મનોરંજન

શું યંગ દેખાવાના ચક્કરમાં શેફાલીએ જીવ ગુમાવ્યો? જાણો શું છે હકીકત

કાંટા લગા સોગ અને બીગ બોસ 13 ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે મૃત્યુ થયું છે. 27 જૂનના રાત્રે 9 વાગ્યા આસપાસ શેફાલી જરીવાલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ સમાચારથી ચાહકોમાં દુખનો માહોલ છવાઈ ગયો છે. હાલ શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમ કૂપર હોસ્પિટલમાં ચાલી રહ્યું છે.

શેફાલીનું કાર્ડિયાક એરેસ્ટના લીધે મોત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ ટીવી જગતની જાણીતી હસ્તીઓ આ સમાચારને લઈ સોશિયલ મીડિયા પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે હાલ શેફાલીના પરિવારજનો અંધેરી સ્થિત ઘરે પહોંચી રહ્યા છે. આ વચ્ચે જાણવા મળી રહ્યું છે કે, શેફાલી ઘણા સમયથી એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી.

એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટની ચર્ચા

શેફાલી છેલ્લા 5-6 વર્ષથી એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહી હતી. તેમના ડોક્ટરના જણાવ્યા મુજબ, તેઓ વિટામિન સી અને ગ્લુટાથિયોન નામની દવાઓ લઈ રહ્યાં હતાં, જે ત્વચાની સુંદરતા માટે હતી. ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે આ દવાઓનો હૃદય પર કોઈ અસર થતી નથી. ઉપરાંત, શેફાલી લગભગ નાન પણથી 15 વર્ષ સુધી આંચકી આવવાની બીમારીથી પીડાતી હતી.

ઉલ્લેખનીય છે કે, શેફાલીનું નિધન 27 જૂનની રાત્રે થયું. મુંબઈ પોલીસને રાત્રે 1 વાગ્યે સૂચના મળી, જે બાદ તેઓ શેફાલીના અંધેરી સ્થિત ઘરે પહોંચી. પોલીસે તેમના પતિ પરાગ ત્યાગી, પરિવારજનો અને સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.

આ પણ વાંચો…અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button