મનોરંજન

Ajay Devgan ને કારણે ના થઈ શક્યા આ એક્ટ્રેસના લગ્ન, વર્ષો બાદ થયો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડ એક્ટ્રેસ તબ્બુ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને હાલમાં જ એક્ટ્રેસને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો એક્ટ્રેસના લગ્ન સંબંધિત છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તબ્બુના લગ્ન બોલીવૂડના જ એક એક્ટ્રેસને કારણે નથી થયા, ચાલો તમને આ અભિનેતા વિશે જણાવીએ અને આખી સ્ટોરી શું છે એ જાણીએ-

આ પણ વાંચો : એક્સ બોયફ્રેન્ડની આજે પણ દિવાની છે તબ્બુ?

તબ્બુ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. દેખાવમાં સુંદર એવી આ અભિનેત્રીએ અત્યાર સુધી કોઈને પોતાનો જીવનસાથી નથી પસંદ કર્યો અને તે સિંગલ જ છે. તબ્બુના સિંગલ રહેવા માટે બોલીવૂડ એક્ટર જવાબદાર છે. આ અભિનેતાને કારણે જ તબ્બુ ક્યારેય દુલ્હન બની શકી નહોતી.

આ અભિનેતા કોણ છે એવો સવાલ થયો ને? ચાલો તમને આ સવાલનો જવાબ આપીએ. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ આપણો બાજીરાવ સિંઘમ એટલે કે અજય દેવગણ છે. અજય દેવગણ અને તબ્બુની બોન્ડિંગ કોઈથી છુપી નથી. બંને ખૂબ જ સારા મિત્રો છે. અજય અને તબ્બુએ અનેક ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. 90ના દાયકાથી 2023 સુધી બંને જણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિલસિલો ફિલ્મ વિજયપથથી શરૂ થયો.

ખુદ તબ્બુએ એક વખત મજાકમાં કહ્યું હતું કે અજય દેવગણને કારણે જ મારા લગ્ન નથી થયા. હું અને અજય એકબીજાને છેલ્લાં 25 વર્ષથી ઓળખીએ છીએ. અજય મારા કઝિન સમીર આર્યના પડોશી અને કાજોલનો ક્લોઝ ફ્રેન્ડ હતો. આ જ સમયે અજય અને મારી પણ સારી એવી દોસ્તી થઈ ગઈ.

આ પણ વાંચો : પાર્ટીમાં એક ડ્રિંક અને તબ્બુ-જેકી શ્રોફ વચ્ચે કાયમ માટે સંબંધો વણસ્યા, ક્યારેય એકબીજા સાથે ન કર્યું કામ

આગળ તબ્બુએ એવું પણ જણાવ્યું હતું કે અજય અને સમીર મારી જાસૂસી કરતાં હતા. જ્યારે પણ કોઈ છોકરો મારી વાત કરવા કે મિત્રતા કરવા આવતો હતો એટલે આ બંને જણ એને ધમકાવતા, માર-પીટ કરવાની હૂલ આપતા હતા અને આ જ કારણ છે કે કોઈ પણ છોકરો કે ઈન્ડસ્ટ્રીનો હીરો મારી સાથે વાત કરતાં ડરતા. આ જ કારણ છે કે હું આજે પણ સિંગલ છું…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મો અને લાઈમલાઈટ દૂર જ છે, પરંતુ ઈવેન્ટમાં પોતાની મદહોંશ કરી નાખતી અદાથી લોકોને દિવાના બનાવવાની એક તક ચૂકતી નથી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker