મનોરંજન

Ayodhya Ram Mandir: આ મુસ્લિમ અભિનેતાએ કહ્યું ‘રામ મારા નામમાં છે, હું જે કંઇ પણ છું એમના કારણે છું’

મુંબઇ: અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની લાખો લોકો રાહ જોઇ રહ્યાં છે. હાલમાં દેશ અને દુનિયાની નજર અયોધ્યા ધામ પર છે. જ્યાં 5 હજાર વર્ષ બાદ ફરીથી મંદિરમાં શ્રીરામ બિરાજમાન થશે. રામ મંદિરને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં એક જૂથને રામ મંદિરના નિર્માણને કારણે તકલીફ થઇ રહી છે. અને તેઓ ગમે તેવા નિવેદનો કરી રહ્યાં છે. તો બીજી બાજુ મોટાભાગના લોકો શ્રીરામના આવવાની ખૂશી મનાવી રહ્યાં છે. મોટાભાગના સેલિબ્રીટીઝને પણ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ જેમને નથી મળ્યું એ પણ શ્રીરામના આવવાનો આનંદ મનાવી રહ્યાં છે. પછી એ બીજા ધર્મના કેમ ન હોય. ત્યારે હાલમાં જ એક મુસ્લીમ એક્ટરે શ્રીરામ માટે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.

જાવેદ અખ્તર પહેલાંથી જ શ્રીરામની પ્રશંસા કરી ચૂક્યા છે. જાવેદ અખ્તરે કહ્યું કે, મંદિરના નિર્માણથી એમને કોઇ વાંધો નથી. તેઓ સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. તેઓ શ્રીરામને ભારતની ધરોહર માને છે. જાવેદ અખ્તર બાદ હવે ભારતીય ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રઝા અલી મુરાદે પણ ભગવાન રામ સાથેનું તેમનું કનેક્શન જણાવ્યું હતું. રઝા મુરાદે કહ્યું કે, શ્રીરામનો તેમના જીવન પર બહુ મોટો પ્રભાવ છે. તેમનો જન્મ જ રામપુરમાં થયો છે. તેમની પહેલી હિટ ફિલ્મ પણ રામના નામની હતી. રામ તેરી ગંગામેલી જેને લોકો આજે પણ પસંદ કરે છે. આ અભિનેતાએ 2021માં પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, મારા જીવનમાં પ્રભુ રામનું ખૂબ મહત્વ છે. એમની કૃપાથી જ હું આજે આ મુકામ પર પહોંચ્યો છું. રામનગર પહોંચીને મને ખૂબ આનંદ થઇ રહ્યો છે. કારણ કે આ શહેર પણ શ્રીરામના નામે છે. આ વાત તેમણે ત્યારે કહી હતી જ્યારે તેઓ ઉત્તરાખંડમાં આવેલા હનુમાન મંદિરના પરિસરમાં આવેલ એક દુકાનનું ઉદઘાટન કરવા ગયા હતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…