મનોરંજન

Alia Bhattને કેમ ગુસ્સો આવ્યો? લાંબી લચક પોસ્ટ કરીને ઝાટકી નાખ્યા…

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પોતાની ફિલ્મ જિગરાના પ્રમોશનમાં ભલે વ્યસ્ત હોય પણ તે પોતાની ફિલ્મ કરતાં પણ બોટોક્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ સતત તેની સ્માઈલ પર કમેન્ટ કરી રહ્યા છે અને હવે કદાચ આલિયા ગુસ્સે ભરાઈ છે. આલિયાએ લાંબીલચક પોસ્ટ કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. ચાલો જોઈએ આલિયાએ શું કહ્યું છે એની પોસ્ટમાં…

શુક્રવારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરેલી પોસ્ટમાં આલિયાએ લખ્યું છે કે કોસ્મેટિક કરેક્શન કે સર્જરી કરાવનાર કોઈ પણ વ્યક્તિ સામે કોઈએ ક્યારેય જજમેન્ટ ના રાખવું જોઈએ. તમારું શરીર તમારી પસંદ છે. ખરેખર જ આ વાતો પર હસવું પણ નથી આવતું. મેં બોટોક્સનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાના દાવા કરતાં વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

પોતાની પોસ્ટમાં આગળ આલિયાએ જણાવ્યું છે કે તમારા જ આર્ટિકલમાં કરેલાં દાવા અનુસાર મારી સ્માઈલ વાંકી છે, બોલવાની સ્ટાઈલ પણ અજીબ છે. આ એક માનવીય ચહેરા વિશેની તમારી અતિ સુક્ષ્મ રાય છે. તમે એકદમ કોન્ફિડન્ટલી વૈજ્ઞાનિક કારણ પણ આપી રહ્યા છો, દાવો કરી રહ્યા છો કે હું એક તરફથી લકવાગ્રસ્ત છું, શું તમે મજાક કરો છો, આ ગંભીર દાવાઓ છે જે કોઈ પણ પ્રકારના પુરાવા વિના અને લાપરવાહીથી રજૂ કરાઈ રહ્યા છે.

આ પણ વાંચો : બોલીવૂડની પટાખા જેવી આ એક્ટ્રેસને દિવાળીમાં ફટાકડાંને દૂરથી જ કરે છે રામ રામ…

આલિયાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે સૌથી ખરાબ વાત તો એ છે કે તમે યુવાન, સેન્સેટિવ મગજને પણ ખરાબ કરી રહ્યા છો, જે હકીકતમાં આ બધી વાતો પર વિશ્વાસ કરી શકે એમ છે. તમે આવું કહી જ કઈ રીતે શકો, એક ક્લિકબેટ માટે? આલિયાએ પોતાની લાંબી લચક પોસ્ટમાં અનેક મુદ્દાઓ પર વાત કરી છે. આલિયાની આ પોસ્ટ જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે તે તેના ચહેરા વિશે કરવામાં આવેલી પાયાવિહોણી ટિપ્પણીથી હર્ટ થઈ ગઈ છે અને ગુસ્સામાં છે.

પોતાની પોસ્ટમાં અંતમાં આલિયાએ કહ્યું હતું કે જિવો અને જીવવા દો નું શું થયું? દરેક વ્યક્તિની પોતાની પર્સનલ ચોઈસ છે. પરંતુ આપણે લોકોને એકબીજાથી દૂર કરવામાં અલગ પાડવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણા માટે આ ખૂબ જ સામાન્ય વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનેક કોસ્મેટિક સર્જન સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે આલિયાની કોસ્મેટિક સર્જરી યોગ્ય રીતે નથી થઈ અને એને કારણે જ તેનો ચહેરો થોડો અલગ અને વિચિત્ર લાગી રહ્યો છે. જોકે, આલિયાએ લાંબી પોસ્ટ કરીને એ વાત સ્પષ્ટ કરી છે કે પોતાના શરીર પર કોઈ પણ ટ્રીટમેન્ટ લેવી એ પર્સનલ ચોઈસ છે. સામાન્યપણે આલિયા આટલી ગુસ્સામાં જોવા મળતી નથી, અને તે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker