દીપિકા પદૂકોણની આઠ કલાકની શિફ્ટ પર Ajay Devgan-Kajolએ કહ્યું ઈન્ડસ્ટ્રીમાં…

બોલીવૂડની મસ્તાની ગર્લ દીપિકા પદૂકોણ હાલમાં તો મધરહૂડ એન્જોય કરી રહી છે, પણ આ સિવાય તે હાલમાં સંદીપ રેડ્ડી વાંગા સાથેના વિવાદને કારણે પણ ચર્ચામાં રહે છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દીપિકાએ સંદીપ પાસે ફીની સાથે સાથે 8 કલાકની શિફ્ટની ડિમાંડ કરી હતી.
આ સિવાય તેણે તેલુગુ ભાષા માટે ડબિંગ નહીં કરવાની વાત પણ કહી હતી. આ જ કારણે દીપિકાને ફિલ્મમાંથી રિપ્લેસ કરવામાં આવી છે. પરંતુ દીપિકાની આઠ કલાકની શિફ્ટે એક નવો વિવાદ છેડ્યો છે અને આના પર હવે અજય દેવગણ અને કાજોલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આવો જોઈએ શું કહ્યું છે બંનેએ-
આપણ વાંચો: ફિલ્મ માની રીલિઝ પહેલાં કાજોલ પહોંચી કોલકતાના જાણીતા મંદિરે…
વર્કિંગ મધર માટે આઠ કલાકની શિફ્ટ અંગે અજય દેવગણ અને કાજોલ બંનેએ દીપિકા પદૂકોણને સપોર્ટ કર્યું છે. 29મી મેના કાજોલની ફિલ્મ માના ટ્રેલર લોન્ચ પર અજય અને અને કાજોલને પૂછવામાં આવ્યું કે શું એક મા માટે 8 કલાકની શિફ્ટની ડિમાંડ યોગ્ય છે? જેના જવાબમાં કાજોલે જણાવ્યું હતું કે ઠીક છે. મને પસંદ છે કે તમે કામ કરી શકો છો અને…
જોકે, અજય દેવગણે કાજોલને વચ્ચેથી અટકાવતા કહ્યું હતું કે એવું નથી કે લોકોને આ પસંદ નથી. ઘણા લોકો આ વસ્તુને સમજી રહ્યા છે. હું કહીશ કે ઈન્ડસ્ટ્રીના ઈમાનદાર ફિલ્મ મેકર્સને એનાથી કોઈ સમસ્યા નહીં થાય. આ સિવાય એક મા હોવાને કારણે, 8 કલાક કામ કરવાને કારણે મોચા ભાગના લોકો આઠથી નવ કલાકની શિફ્ટમાં કામ કરવાનું પસંદ કરે છે.
આપણ વાંચો: કાજોલ અને અજય દેવગને પરિવાર સાથે આ રીતે ઉજવ્યું નવું વર્ષ
એટલે મને લાગે છે કે આ વ્યક્તિ વ્યક્તિ પર આધાર રાખે છે, પણ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો આને સમજવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની ફિલ્મ સ્પિરીટ માટે દીપિકા પદૂકોણને સાઈન કરી હતી. આ દીપિકાની પ્રભાસ સાથે બીજી તેલુગુ ફિલ્મ હોત.
પરંતુ થોડાક સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે દીપિકાએ આ ફિલ્મ છોડી દીધી હતી, કારણ કે વાંગાએ તેની કેટલીક ડિમાંડ પૂરી કરવાનો ઈનકાર કર્યો હતો, જેમાંથી એક માંગણી 8 કલાકની શિફ્ટની હતી.
જોકે, દીપિકાએ હજી સુધી આ મામલે ખુલીને કંઈ કહ્યું નથી. મેકર્સ દ્વારા પણ ઓફિશિયલ એનાઉન્સ કરવામાં આવ્યું છે કે ફિલ્મ સ્પિરીટમાં હવે પ્રભાસ સાથે તૃપ્તિ ડિમરી જોવા મળશે.