મનોરંજન

TMKOCમાં ઐશ્વર્યા કરશે આ મહત્ત્વનો રોલ? સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…

હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં ઐશ્વર્યા એટલે બચ્ચન પરિવારની બહુરાનીની વાત થઈ રહી છે તો ભાઈ એવું નથી. આ તો ટીવી સિરીયલ ગુમ હૈ કિસી કે પ્યારમાં પાંખી ચવ્હાણનું પાત્ર ભજવનાર ઐશ્વર્યા શર્માની વાત થઈ રહી છે.

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે અને છેલ્લાં કેટલાય સમયથી શોમાં દયાબેન ગડા ઉર્ફે દિશા વાકાણીને પાછા લાવવાની માંગણી દર્શકો દ્વારા કરવામાં આવી રહી છે. મેકર્સ દ્વારા પણ આ શોમાં જેમ બંને એમ જલદી શોમાં દયાબેનની વાપસી કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે પણ હવે આ જ બાબતને લઈને એક મહત્વની માહિતી સામે આવી રહી છે. સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો મેકર્સને દયાબેનનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે.

https://twitter.com/i/status/1747263219591270504

મળી રહેલી માહિતી પ્રમાણે શોના મેકર્સને દયાબેનના પાત્ર માટેનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે અને આ રિપ્લેસમેન્ટ બીજું કોઈ નહીં પણ ટીવી સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંની પાંખી એટલે કે ઐશ્વર્યા શર્મા છે. જોકે મેકર્સ દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી.

વાત જાણે એમ છે કે ફેન્સ લાંબા સમયથી શોમાં દયાબેનને પાછા લાવવાની માગણી કરી રહ્યા છે અને એની સાથે સાથે જ ફેન્સ મેકર્સને એવી સલાહ પણ આપી રહ્યા છે કે જો દિશા વાકાણી શોમાં પાછી નથી આવવા માંગતી તો તમે ગુમ હૈ કિસી કે પ્યાર મેંની ઐશ્વર્યા શર્માને શોમાં દયાબેન તરીકે લઈ આવો. એ પરફેકટ ઓપ્શન છે.


અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા પતિ નીલ ભટ્ટ સાથે રિયાલિટી ટીવી શો બિગ બૉસ 17માં જોવા મળી હતી. દરમિયાન એક્ટ્રેસ ઐશ્વર્યાએ પતિ નીલ ભટ્ટ સાથે એક ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું અને આ લાઈવમાં તેણે ફેન્સના સવાલોના જવાબ આપ્યા હતા. દરમિયાન એક ફેને તેને દયાબેનની મિમીક્રી કરવા કહ્યું હતું.
બસ પછી તો પૂછવાનું શું હતું ઐશ્વર્યાએ એક પણ સેકન્ડના વિલંબ વિના તરત જ દયાબેનની એક્ટિંગ કરતાં દયાબેનનો ફેમસ ડાયલોગ હે મા માતાજી, ટપ્પુ કે પાપા બોલતી જોવા મળે છે. પતિ નીલ પત્નીની આ મિમિક્રી જોઈને હસી પડે છે. ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.


ફેન્સ તારક મહેકા કાના મેકર્સને દયાબેનના રોલમાં ઐશ્વર્યા શર્માને કાસ્ટ કરવાની માગણી કરી રહ્યા છે. હવે જોવાની વાત એ છે કે મેકર્સ આ વાતને કેટલી હદે સીરિયસલી લે છે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ