મનોરંજન

ચોથા સ્ટેજના કેન્સર સામે લડી રહી છે અભિનેત્રી, જાણો તેની હિંમતભરી દાસ્તાન

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી અને નિર્દેશક તનિષ્ઠા ચેટરજી (Tannishtha chatterjee) અત્યારે એક ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. એક વર્ષ પહેલા જ તેના પિતાનું કેન્સરથી મોત થયું હતું અને અત્યારે તેને પણ ભયંકર બીમારી થઈ છે. ચાર મહિના પૂર્વે તેને મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર (Metastatic breast cancer) થયું હતું અને તે પણ ચોથા સ્ટેજનું. તે ‘એક રૂકા હુઆ ફૈસલા’ નામની ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને તે દરમિયાન, તેણીને તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો.

તનિષ્ઠા નહોતી ઇચ્છતી કે તેની પુત્રી તેની નબળાઈ જુએ
પિતાના અવસાન પછી 70 વર્ષની માતા અને 9 વર્ષની દીકરીની જવાબદારી તનિષ્ઠા નામે આવે છે. પરંતુ હવે તેને પણ બીજાના સહારાની જરૂર પડી છે. જ્યારે તેને ખબર પડી કે તેને કેન્સર છે, ત્યારે તેનો બધો આત્મવિશ્વાસ એક ક્ષણ માટે તૂટી ગયો છે.

પણ તેની આંખોમાં હજુ પણ આશાની એક ચમક છે, ‘મેં વિચાર્યું, કેમ? ફક્ત હું જ કેમ? શું આ કર્મ છે?’ તનિષ્ઠાએ તેની પુત્રીને તેની બહેન સાથે રહેવા માટે અમેરિકા મોકલી દીધી છે. કારણ કે, તનિષ્ઠા નહોતી ઇચ્છતી કે તેની પુત્રી તેને નબળી જુએ. તે નહોતી ઇચ્છતી કે તેનું બાળપણ ભય અને અસુરક્ષામાં વિતશે. તેણે કહ્યું, ‘તે વિચારે છે કે હું એક સુપરવુમન છું અને હું ઇચ્છું છું કે તે આવું જ વિચારતી રહે. કેટલાક લોકો માને છે કે બાળકોને બધું જ કહેવું જોઈએ, પરંતુ હું તેનું રક્ષણ કરવા માંગતી હતી, જેમ દરેક માતા ઇચ્છે છે.’

કપરા સમયમાં સૌથી વધુ મદદ મિત્રોએ કરી

કેન્સરના નિદાન માટે ડૉક્ટરોએ તનિષ્ઠાનો કોઈ વિશ્વાસપાત્રને સાથે લાવવા માટે કહ્યું છે, જેથી તે કાગળો પર સહી કરી શકે! પછી બહેને કહ્યું, ‘હવે મદદ માંગવાનો સમય છે.’ અને અહીં વાસ્તવિક જીવનની ‘કાસ્ટ’ આગળ આવી, મિત્રો, જે પરિવારથી ઓછા નથી. શબાના આઝમી, રિચા ચઢ્ઢા, કોંકણા સેન શર્મા, વિદ્યા બાલન, દિવ્યા દત્તા, ઉર્મિલા માતોંડકર અને દિયા મિર્ઝા, આ નામો માત્ર સિનેમાનો ભાગ બન્યા નહીં, પણ તનિષાના સમર્થનમાં પણ આવ્યા. તેઓ કીમોથેરાપી દરમિયાન તેની સાથે રહ્યા અને તેને ક્યારેય એકલી ન અનુભવવા દીધી.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી છે

તનિષ્ઠાએ બધુ જ હારી ચૂકી હતીં પરંતુ તે તૂટી નહોતી. દરેક ખરાબ સમયનો મસાનો કર્યો અને અડીખમ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો હતો. તનિષ્ઠા ચેટરજીની સ્ટોરી માત્ર કેન્સર સામે લડતી સ્ત્રીની નથી પરંતુ તે એક માતા, એક પુત્રી, એક માનવીની અસાધારણ લડાઈની કહાણી છે, જે કેમેરાની વાર્તા નથી, પરંતુ જીવનની રિયલ સ્ટોરી છે. તનિષ્ઠા એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી છે. તનિષ્ઠા ચેટરજીએ હિંદી સિનેમા તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

હું પરિણીત નથી, પણ હવે મારે એક બાળક છે

‘દેખ ઇન્ડિયન સર્કસ’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે. આ સાથે તનિષ્ઠાએ ‘બસ યુન હી’, ‘શેડોઝ ઓફ ટાઇમ’, ‘બહાર આના’, ‘જલ’, ‘ગુલાબ ગેંગ’, ‘મોન્સૂન શૂટઆઉટ’, ‘સિદ્ધાર્થ’, ‘ભોપાલ: પ્રેયર ફોર રેઇન’, ‘આઈ લવ ન્યૂ યર’, ‘ગૌર હરિ દાસ્તાન’ અને ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તનિષ્ઠા 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ સ્ટોરી ટેલર’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો -‏‏‎ ટીવી સ્ટાર શિવાંગી જોશીનું થયું બ્રેક અપ, જાણો શું લખ્યું સોશિયલ મીડિયા પર?

વ્યક્તિગત જિંદગી પણ રહી છે પડકારજનક

44 વર્ષીય તનિષ્ઠાએ લગ્ન નથી કર્યાં પરંતુ તેને એક દીકરી છે, જેને 2019માં ગોદ લીધી હતી. પુત્રી દત્તક લીધા પછી તેણે કહ્યું હતું કે હું પરિણીત નથી, પણ હવે મારે એક બાળક છે. તનિષ્ઠાની વ્યક્તિગત જિંદગી ખૂબ જ સંઘર્ષમય રહી છે. તેણે એવું પણ કહ્યું કે, છોકરા સાથે સમય વિતાવવા કરતાં બાળક દત્તક લેવું વધુ સારું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button