મનોરંજન

અભિનેત્રી શર્લિન ચોપરાએ કંઈક કર્યું કે સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધમાલ

મુંબઈ: બોલીવુડની અમુક અભિનેત્રીઓ હંમેશા જ વિવાદોના કારણે ચર્ચામાં રહેતી હોય છે પછી તે કોઇ વિવાદાસ્પદ નિવેદન હોય, વિચિત્ર કપડાં હોય કે પછી કોઇ પબ્લિસિટી સ્ટન્ટ. શર્લિન ચોપરાનું નામ પણ આ અભિનેત્રીઓની હરોળમાં જ સ્થાન પામે છે, કારણ કે તે કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતી જ હોય છે.

બોલીવુડમાં અભિનેતા કે અભિનેત્રીએ વધુ ખૂબસૂરત દેખાવા માટે સર્જરી કરાવી હોય તે નવી વાત નથી અને શર્લિન ચોપરા પણ અનેક સર્જરી કરાવી ચૂકી છે. અમુક લોકો સર્જરી કરાવી હોવાની વાત છૂપાવતા હોય છે. જોકે પોતાના બિનધાસ્ત અંદાજ માટે જાણીતી શર્લિન ચોપરાએ જાહેરમાં પોતે સર્જરી કરાવી હોવાની વાત કબૂલી હતી અને એ વિશે વિગતવાર વાત પણ કરી હતી.

શર્લિન ચોપરા બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી માંડીને કોન્ટેક્ટ લેન્સની સર્જરી કરાવી ચૂકી છે અને આ સર્જરી બાદ તેનો આખો લુક જ બદલાઇ ગયો હતો. શર્લિન ચોપરાની તમે સર્જરી પહેલાની તસવીરો જોશો અને સર્જરી બાદના ફોટો જોશો તો તમે તેને જરાય ઓળખી જ નહીં શકો.


શર્લિને પોતે જ સોશિયલ મીડિયા પર અને ઇન્ટરવ્યૂમાં પણ સર્જરી વિશે ખુલીને વાત કરી છે. તેનું કહેવું છે કે જો સર્જરી કરાવ્યા બાદ તમે તમારા શરીરને પ્રેમ કરવા માંડો તો તમારે જરૂર સર્જરી કરાવવી જોઇએ. શર્લિન કહે છે કે સર્જરીમાં કોઇકના જીવનને બદલવાની તાકાત છે.

ઉલ્લેખનીય છે કે શર્લિન દિલ બોલે હડિપ્પા, વજહ તુમ હો તેમ જ માયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. છેલ્લે તે પૌરુષપુર વેબ સિરીઝમાં જોવા મળી હતી. આ સિરીઝની હવે ત્રીજી સીઝન પણ આવી ચૂકી છે અને શર્લિન ત્રણેય સીઝનનો ભાગ રહી ચૂકી છે. આ સિરીઝમાં તેનો બોલ્ડ અવતાર લોકોને જોવા મળ્યો હતો.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ