Abhishek Bachchanએ ડિવોર્સ બાબતે તોડ્યું મૌન કહ્યું, અત્યાર સુધી હું…

બોલીવૂડના પાવરફૂલ કપલમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં તો કપલ ડિવોર્સ લઈ રહ્યું છે તો વળી કેટલાક રિપોર્ટ્સમાં કપલ ગ્રે ડિવોર્સ લઈ રહ્યું છે. જોકે, હવે લાંબા સમય બાદ અભિષેક બચ્ચને ડિવોર્સને લઈને ખુલાસો કર્યો છે. આવો જોઈએ અભિષેક બચ્ચને શું કહ્યું-
અભિષેક બચ્ચન સામાન્યપણે પોતાની પર્સનલ લાઈફને લઈને બોલવાનું ઓછું જ પસંદ કરે છે, પણ હવે અભિષેકે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં અભિષેકે જણાવ્યું હકું છે જે રીતના ખોટા સમાચારો સામે આવી રહ્યા છે, એ પરિવારને અફેક્ટ કરે છે. એક્ટરે જણાવ્યું હતું કે સાર્વજનિક રીતે તે કેમ નથી બોલવાનું પસંદ નથી કરતા.
અભિષેકે જણાવ્યું હતું કે જે લોકો અમને લઈને આવા ખોટા સમાચારો ફેલાવે છે એ વિશે સ્પષ્ટતા કરવી એ મારા માટે સમયનો વેડફાટ છે. પહેલાં મારા વિશે લોકો કંઈ પણ બોલતા હતા મને કોઈ ફરક નહોતો પડતો. હવે મારો પરિવાર છે અને એ મારા માટે ખૂબ જ મુશ્કેલ છે.
આગળ અભિષેકે જણાવ્યું હતું કે હું જો કોઈ સ્પષ્ટતા કરું છું તો લોકો એને પણ તોડી મરોડીને રજૂ કરે છે, કારણ કે આજે નેગેટિવ ન્યુઝ જ વેચાય છે. તમે હું નથી. તમે મારું જીવન નથી જીવી રહ્યા. તમે એ લોકોને જવાબ આપવા બંધાયેલા નથી, જેમના માટે જવાબ આપવા હું બંધાયેલો છું. જે લોકો આવી નેગેટિવિટી ફેલાવે છે તેમણે એક વખત પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ છે.
આ પણ વાંચો: લો બોલો! આ કારણે અભિષેક બચ્ચનને થવું હતું ગાયબ
એક્ટરે આગળ એવું પણ જણાવ્યું હતું કે આવા લોકોએ પોતાની જાતને જવાબ આપવાનો છે. મને આ વાતથી ખાસ કંઈ ફરક નથી પડતો. મને ખબર છે કે અહીંયા શું શું થાય છે, પણ એમાં મારો પરિવાર સામેલ છે.
વાત કરીએ અભિષેકના વર્ક ફ્રન્ટની તો અભિષેક ટૂંક સમયમાં જ ફિલ્મ કાલિધર લાપત્તામાં જોવા મળશે. આ પહેલાં તે બી હેપ્પીમાં જોવા મળ્યો હતો, જેમાં દર્શકોને તેનું પર્ફોર્મન્સ ખૂબ જ પસંદ આપ્યું હતું.