શું આ ફિલ્મ આમિર ખાનની છેલ્લી ફિલ્મ હશે? એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યો મોટો સંકેત

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ એક્ટર આમિર ખાન (Aamir Khan) છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ ઓછી ફિલ્મોમાં અભિનય કરે છે. બે કે ત્રણ વર્ષે તેઓ સ્કિન પર જોવા મળે છે, છેલ્લે તેઓ વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યા હતાં. ત્યારબાદ હવે તેઓ ‘સિતારે ઝમીન પર’(Sitaare Zameen Par) ફિલ્મમાં જોવા મળશે, આ ફિલ્મ આગામી 20 જુનના રોજ રિલીઝ થવાની છે. એવામાં આમિર ખાને તેના આગામી મોટા પ્રોજેક્ટ વિશે મોટું નિવેદન આપ્યું હતું, આ સાથે એવી અટકળો પણ લાગી રહી છે કે તેઓ અભિનયમાંથી નિવૃત્તિ લઇ શકે છે.
આમીર ખાને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની ડ્રીમ ફિલ્મ ‘મહાભારત’ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યો છે. આ વાતચીત દરમિયાન, તેણે એવો સંકેત આપ્યો કે આ તેની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે.
મહાભારત આમીરનો ડ્રીમ પ્રોજેક્ટ:
આમિર ખાને તાજેતરમાં યુટ્યુબર રાજ શમનીને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન આમિર ખાને તેના જીવન અને વ્યાવસાયિક જીવન વિશે ખુલીને વાત કરી હતી. વાતચીતમાં આમિર ખાને જણાવ્યું કે મહાભારત, એક એવી વાર્તા છે જેને હું હંમેશા જીવંત કરવા માંગુ છું. તેમાં ઘણા બધા લેયર્સ છે, તેમાં લાગણીઓ છે, તેનો સ્કેલ મોટો છે, તમને દુનિયામાં જે કંઈ મળશે, તે બધું મહાભારતમાંછે.
ઇન્ટરવ્યુમાં થયેલી વાતચીત સાબિત કરે છે કે આમિર મહાભારત વાર્તા માટે કેટલો ઊંડો આદર અને લાગણી ધરાવે છે.
આપણ વાંચો: દીકરાની બર્થડે પાર્ટીમાંથી Shahrukh Khan જ ગાયબ, ગૌરી અને કિંગ ખાન વચ્ચે બધું બરાબર છે?
આ આમીરની છેલ્લી ફિલ્મ હશે?
આ ઇન્ટરવ્યુ દરમિયાન, આમિરે એક એક મોટો સંકેત પણ આપ્યો. જ્યારે આમિરને પૂછવામાં આવ્યું કે શું ‘મહાભારત’ તેની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે, ત્યારે તેણે કહ્યું, ‘કદાચ આ કામ પછી મને લાગશે કે મારી પાસે કરવાનું કંઈ બાકી નથી રહ્યું, આ ફિલ્મ પછી હું કંઈ કરી શકું એમ નથી, કારણ કે આ ફિલ્મનું કન્ટેન્ટ જ એવું હશે.’