7 વર્ષ સુધી વાત ન કરી… આમિર ખાને જુહી ચાવલા અંગે કર્યો મોટો ખુલાસો

મુંબઈઃ બોલીવુડમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વચ્ચે કોઇના કોઈ મુદ્દે વિવાદ ચાલતો હતો છે. અત્યારે આમિર ખાન (Aamir Khan) પોતાની ફિલ્મ સિતારે જમીન પર (Sitaare Zameen Par)નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે ત્યારે આમિર ખાન લગાતાર એકબાદ એક ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યો છે.
પોતાની ફિલ્મ હિટ જાય તેના માટે આ બધી મથામણ ચાલી રહી છે. આમિર ખાન મોટા ભાગે જાહેરમાં વ્યક્તિગત વાતો કરવાનું ટાળતો હોય છે. પરંતુ અત્યારે મહત્વની વાત એ છે કે, આ દરમિયાન આમિર ખાન પ્રોફેશનલ વાતો સાથે વ્યક્તિગત જીવનની વાતો પણ શેર કરી રહ્યો છે. ચાલો જોઈએ આ અહેવાલમાં…
આપણ વાંચો: પીએમ મોદીએ સૌથી પહેલા માતાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું! આમિર ખાન થઈ ગયો ભાવુક
આમિર ખાન જુહી ચાવલા મુદ્દે કરી આ ખાસ વાત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેતા આમિર ખાન આ દિવસોમાં ફિલ્મ સિતારે જમીન પરના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને અભિનેત્રી જુહી ચાવલા (Juhi chawla) સાથેના ઝઘડા પર અંગે ખાસ વાત કરી છે.
આમિર અને જુહી વચ્ચેનો ઝઘડો 7 વર્ષ સુધી ચાલ્યો હતી. જોકે, આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની રીના દત્તાએ આ ઝઘડાનો અંત લાવ્યો અને બન્ને વચ્ચે દોસ્તી કરાવી હતી. આમિર ખાને આ દરમિયાન જણાવ્યું કે, જ્યારે તેનો કોઈ સાથે ઝઘડો થાય અને કોઈ તેને દુઃખ પહોંચાડે તો તે પોતાને સંપૂર્ણપણે અલગ કરી દે છે અને એકલો રહેવાનું પસંદ કરતો હતો.
આપણ વાંચો: આખરે આમિર ખાન દેખાયો ગર્લફ્રેન્ડ સાથેઃ હાથમાં હાથ લઈને ચાલતા કપલનો વીડિયો વાયરલ
એકવાર મારો કિરણ સાથે પણ ઝઘડો થયો હતો
વધારે વિગતે વાત કરવામાં આવે તો આમિર ખાને એવું જણાવ્યું કે, એકવાર તેનો કિરણ રાવ સાથે ઝઘડો થયો હતો અને તેઓ 4 દિવસ સુધી એકબીજા સાથે વાત નહોતા કરતા. આનાથી કિરણ રાવ ખૂબ રડી હતી.
આમિરે કહ્યું કે જુહી ચાવલા સાથે પણ આવું જ બન્યું હતું. એક વાત એ પણ છે કે આમિર ખાન સેટ પર બધા સાથે સારી રીતે વાત કરતો હોય છે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળે છે. પરંતુ તેના અનેક લોકો સાથે ઝઘડા પણ થયેલા હોવાનું મીડિયા દ્વારા પ્રકાશમાં આવેલું છે.
આપણ વાંચો: આમિર ખાન હવે યુટ્યુબના સહારે! Aamir Khan Talkies નામથી શરૂ કરી ચેનલ
મેં 7 વર્ષ સુધી જુહી સાથે વાત નહોતી કરી
આમિર ખાને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ મારી સૌથી મોટી નબળાઈ છે. મને ખૂબ જ જલદી ખોટું લાગી જતું હતું, અને જેની સાથે મને અણબનાવ રહેતો તેને હું ભૂલી જતો હતો. જુહી અને મારો ઝઘડો થયો, તે 7 વર્ષ સુધી ચાલ્યો હતો. મેં 7 વર્ષ સુધી જુહી સાથે વાત નહોતી કરી. ભલે અમે સાથે કામ કરતા હતા. 7 વર્ષ સુધી હું નાની નાની વાત પર ગુસ્સે થતો.
રીનાએ ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ હુ માન્યો નહોતો. રીના મને કહેતી કે તું કેમ આવું કરી રહ્યો છે? તેને (જુહીને) મળ અને ઝઘડાનો અંત લાવ’. ત્યાર બાદ આમિર અને જુહીના ઝઘડાનો અંત આવ્યો હતો. તેમ છતાં, છેલ્લા કેટલાય વર્ષોથી જુહી અને આમિર એકસાથે કોઈ ફિલ્મમાં દેખાયા નથી.
હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે નેવુંના દાયકામાં જુહી ચાવલા અને આમિર ખાનની જોડી હીટ હતી. અનેક ફિલ્મોમાં બંનેની જોડીને લોકોએ વિશેષ પસંદ કરી હતી.
બંનએ એકસાથે લગભગ સાતથી આઠ ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં કયામત સે કયામત તક, લવ લવ લવ, તુમ મેરે હો, દૌલત કી જંગ, હમ હૈ રાહી પ્યાર કે, આતંક હી આતંક અને ઈશ્ક વગેરેનું નામ લઈ શકાય છે.