ધર્મતેજ
આચમન : તમામ સુખ-સાહ્યબી હોવા છતાં તમે દુ:ખી કેમ છો?

-અનવર વલિયાણી
માનવી જન્મથી લઈ મૃત્યુ સુધી માત્ર એક વસ્તુની પાછળ દોડે છે છતાં આજીવન તે આ વસ્તુ હાંસલ કરી શકવા અસમર્થ નીવડતો હોય છે તે વસ્તુ છે ‘સુખ!’
- આ પૃથ્વી પર જેણે સંપૂર્ણ સુખનો રસાસ્વાદ માણ્યો હોય તેવી વ્યક્તિ દીવો લઈને શોધવા નીકળીએ તો પણ મળવી મુશ્કેલ છે.
- કોઈ વ્યક્તિને આપણે એવું કહેતાં સાંભળી નથી કે, ‘હું સંપૂર્ણ સુખી છું!’
- આજુબાજુના બધા જ માણસો જેને સુખી કહેતા હોય તેને પણ જો પૂછીએ તો તે પોતાને સુખી કહેવડાવવા તૈયાર હોતા નથી. દરેકે દરેકને કોઈને કોઈ બાબતનું, કોઈને કોઈ વાતનું દુ:ખ હોય જ છે, હોય જ છે અને હોય જ છે…!
- આવું શા માટે?
- શા માટે સુખની સંપૂર્ણ વ્યાખ્યા આપી શકાતી નથી?
- તો એ પ્રશ્નનો ઉત્તર આ લખનારના અનુભવ પ્રમાણે એક જ કારણ છે અને તે એ છે કે વધુને વધુ મેળવી લેવાની મનોવૃત્તિ; અપેક્ષા; મહત્ત્વાકાંક્ષા!
- ગાડી,
- બંગલા,
- નોકર-ચાકર જો મનુષ્યને સુખ અપાવી શક્તું હોય તો આજનો આદમી આટલો બધો માનસિક અસંતોષી જોવા મળત ખરો?
- હવામાં વાતો કરતો,
- હોઠ ફફડાવતો,
- બેચેન રહેતા લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જવાના કારણોમાં એક મહત્ત્વનું કારણ દરેક વાતમાં અસંતોષી રહેવું છે, એવું એક અભ્યાસથી તારણ મળે છે.
- ઈશ્ર્વર,
- અલ્લાહ,
- પ્રભુએ આપણને જે કાંઈ આપ્યું છે તે આપણી જરૂરિયાત કરતાં વધારે જ છે એવો જો માનસિક સંતોષ મેળવી શકીએ તો જ આપણે આપણી નજરમાં; સાચા અર્થમાં સુખી થઈ શકીએ. સુખ એ મનનું જ કારણ છે ને!
પ્રેરણાસ્ત્રોત
- દુ:ખ છે તો સુખની અનુભૂતિ કરી શકાય છે.
- એકલું સુખ જ હોય અને
- દુ:ખ હોય જ નહીં
- તો જીવન જીવવા જેવું રહે ખરું?
બોધ
સુખ કે સબ સાથી,
દુ:ખ મેં ના કોઈ,
મેરે રામ,
એક તેરા નામ સાચા,
દુજા ન કોઈ…!
- બને તેટલું પરોપકારનું કામ કરો.
- વાટના પથ્થર બનો.
- ઈશ્ર્વર, અલ્લાહને તેના સાચા અર્થમાં અનુસરો; તેના પયગામને; સંદેશને વાગોળતા રહો.
- ધર્મ સંદેશને દિલો-દિમાગમાં વણી લો.
- અને હા! પોતાની જાતને કદી પણ છેતરશો નહીં.
- સચ્ચાઈ છૂપ નહીં શકતી બનાવટી ઉસૂલોસે,
- ખુશ્બૂ આ નહીં સકતી કાગઝ કે ફૂલોસે.
આ પણ વાંચો…આચમનઃ આપણા ઉત્સવો હૈયાના મિલન સમા…