અલખનો ઓટલો: વૈષ્ણવ ભક્તિમાર્ગ-આચાર્ય પરંપરા ને વલ્લભાચાર્યજી…

-ડૉ. નિરંજન રાજ્યગુરુ
આજે વલ્લભાચાર્યજીનો વૈંકુંઠગમન દિવસ છે. શ્રીમદ્ ભાગવત આપણા ભા2તીય સંસ્કૃતિના ભક્તિમાર્ગમાં એક પથપ્રદર્શક ગ્ંરથ ગણાય છે. એમાં ભક્તિના નવપ્રકારો જણાવાયા છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન. ભક્તિના આ નવ તત્ત્વો વૈષ્ણવ પ્રેમલક્ષ્ાણા ભક્તિમાં અગત્યનું સ્થાન ભોગવે છે. શાંડિલ્ય ભક્તિસૂત્ર, નારદ ભક્તિસૂત્ર, હરિભક્તિરસામૃતસિન્ધુ તથા શ્રીમદ્ ભાગવત જેવા આપણા ધર્મગ્રંથોમાં ભક્તિના અનેક ભેદો અને ઉપભેદોે વિષે વિગતથી વિવેચન થયું છે. શ્રીમદ્ ભાગવત વગેરે પુરાણોમાંથી ભક્તિમાર્ગના વિકસેલા પ્રવાહને વૈષ્ણવ આચાર્યોએ પ્રેમલક્ષ્ાણાભક્તિ, રાગાનુગાભક્તિ, મધુરાભક્તિ વગેરે વિવિધ નામોથી ઓળખાતી પરમાત્મ ભક્તિને નવું જ સ્વરૂપ પ્રદાન ક્યુર્ં છે.
આચાર્યની પદવી એને જ મળે જેમણે વેદાન્તના એક સૂત્ર,એક પુરાણ અને શ્રીમદ્ભગવદ્ગીતા પ2ભાષ્ય/ટીકા આપ્યાં હોય. આ ત્રણ ગ્રંથોને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. દરેક વૈષ્ણવ જુદા જુદા નામ રૂપમાં ભગવાન વાસુદેવ કૃષ્ણને જ ઉપાસ્ય ઈષ્ટદેવ તરીકે સ્વીકારે છે અને ભજે છે. પુરાણોની સંખ્યા 18 છે. જેમાનાં લગભગ અડધા તો વૈષ્ણવ ધર્મ સાથે જ
સંબધ ધરાવે છે. હરિવંશ,ભાગવત, વિષ્ણુપુરાણ, ગર્ગસંહિતા, બ્રહ્મપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ વગેરે પુરાણોમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન ગાતાં ઈશ્વ2 પ્રત્યેની ભક્તિભાવનાને પૂષ્ટિ આપતાં આપતાં આપણા પુરાણકારોએ ભક્તિમાર્ગને વધુને વધુ સુદૃઢ અને પુષ્ટ બનાવ્યો.
રામાનુજાચાર્યજી
સગુણ ભક્તિમાર્ગના વૈષ્ણવ આચાર્યોમાં સૌથી પહેલાં રામાનુજાચાર્ય આવે છે. જેમણે શંકરાચાર્યજીના ઐત વેદાન્તના
માર્ગને પડકારી જીવ અને બ્રહ્મ વચ્ચે સેવ્યસેવક ભાવથી કરાયેલી પ્રેમલક્ષણા ભક્તિને પુષ્ટિ આપવાનો પ્રયત્ન ર્ક્યો છે. સગુણ- સાકા2 બ્રહ્મની ઉપાસનાનું સમર્થન કરીને ભક્તિને જ મોક્ષનું સાધન
માનતા રામાનુજાચાર્ય જ્ઞાનને પણ મહત્ત્વ આપે છે. ‘શ્રી સંપ્રદાય’ના નામથી જાણીતા બનેલા રામાનુજના સંપ્રદાયમાં સહેલી અને
સરળ ભક્તિ-ધ્યાન- ઉપાસના પ્રધાન જ્ઞાનમાર્ગી ઉપાસના પ્રણાલીનું પ્રચલન તેઓ કરે છે, અને નારાયણ તથા લક્ષ્મી નામને પ્રાધાન્ય આપે છે.
નિમ્બાર્કાચાર્યજી
વૈષ્ણવ પ્રેમલક્ષ્ાણા ભક્તિમાર્ગના એક બીજા આચાર્ય તે નિમ્બાર્કાચાર્ય .. એમના જન્મ કાળનો નિર્ણય આજસુધી નથી થઈ શક્તો. દ્વૈતાદ્વૈત નામથી પ્રચલિત થયેલા વેદાન્ત તત્ત્વજ્ઞાનના પુરર્સ્ક્તા તરીકે શ્રી નિમ્બાર્કાચાર્યનું નામ અત્યંત જાણીતું છે.
એમણે કોઈના મતોનું ખંડન ર્ક્યા વિના પોતાનો મૌલિક સ્વંતત્ર સંપ્રદાય સ્થાપ્યો છે. જે નિમ્બાર્ક સંપ્રદાય, હંસ સંપ્રદાય, સનકાદિસંપ્રદાય, સનાતન સંપ્રદાય, દેવર્ષિ સંપ્રદાય અને દ્વૈતાદ્વૈત સંપ્રદાય વગેરે વિવિધ નામે ઓળખાય છે.
નિમ્બાર્ક સંપ્રદાય મુજબ બ્રહ્મનો ગુણ અને નિર્ગુણ એમ બન્ને રૂપે વિચા2થઈ શકે છે, અને ભક્તિ જ સાધકને ભગવાન પ્રાપ્તિ કરાવી મોક્ષ પદ મેળવી આપે છે. નિમ્બાર્કાચાર્યથી વેગમાં આવેલી રાધાકૃષ્ણની પે્રમલક્ષ્ણા રસિકભક્તિ આગળ ઉપ2 શ્રીમદ્ વલ્લભાચાર્યજી અને ગૌરાંગ ચૈતન્યદેવના સમયમાં ખૂબ પ્રચા2 પામે છે. ભક્તિમાર્ગ અહીં આપણને બે ફાટામાં વિભાજિત થતો દેખાય છે. શ્રી રામાનુજાચાર્ય અને એમના મધ્વાચાર્યજીની ભક્તિ જ્ઞાન પ્રધાન અને ઉપાસના પ્રધાન છે. જયારે નિમ્બાર્કાચાર્ય અને વલ્લભાચાર્યની ભક્તિભાવના પ્રેમલક્ષ્ણા સ્વરૂપની છે એમ કહી શકાય.
મધ્વાચાર્યજી
શ્રી મધ્વાચાર્યજી પણ ભક્તિમાર્ગના સંવર્ધક આચાર્ય મનાય છે. એમનો સંપ્રદાય સ્પષ્ટરૂપે દ્વૈતવાદી છે. એમની માન્યતા મુજબ બ્રહ્મ,જીવ અને જગત એ ત્રણે સ્વંતત્ર અને સાવ જુદી જ વસ્તુઓ છે. પોતાની વિશિષ્ટ પ્રકારની વિચારસરણી દ્વારા તેઓ ભક્તિપ્રવાહને વધુ ગાઢ અને પુષ્ટ બનાવે છે. વિષ્ણુ અને લક્ષ્મીને પરમાત્મા અને શક્તિ તરીકે સ્વીકારી તેમનું પૂજન કરવામાં માનતા શ્રી મધ્વાચાર્યજી ભક્તિમાં પ્રેમાર્દ્ર ભાવને વધુ મહત્ત્વ આપે છે. ઈશ્વ2ની શરણાગતિથી જીવાત્માનો મોક્ષ્ા થાય છે. પે્રમલક્ષ્ાણા ભાવથી જીવ અને પરમાત્મા વચ્ચેનો ભેદ સમજીને શ્રવણ, મનન અને ધ્યાન દ્વારા જે ઉપાસના કરવામાં આવે છે તે જ સાચી ભક્તિ છે એમ મધ્વ સંપ્રદાયના અનુયાયીઓ માને છે.
વલ્લભાચાર્યજી
ગોપીવલ્લભ શ્રીકૃષ્ણની ઉપાસનામાં આત્મનિવેદન અને શરણાગતિ ભાવ લઈને શ્રી વલ્લભાચાર્યજી પુષ્ટિમાર્ગની સ્થાપના કરે છે. ભગવાનનો અનુગ્રહ મેળવવા મોક્ષ્ાની સાધના માટે ભક્તિ પ2 ભા2 મૂકી નવધા ઉપરાંત પુષ્ટિભક્તિને પ્રાધાન્ય આપતાં પુષ્ટિનો અર્થ સમજાવે છે કે પુષ્ટિ એટલે પોષણ અને પોષણનો અર્થ થાય ઈશ્વરનો અનુગ્રહ. પરમાત્માનો અનુગ્રહ મેળવવા ત્રણ માર્ગો છે. પુષ્ટિમાર્ગ, મર્યાદામાર્ગ, અને પ્રવાહમાર્ગ. જ્ઞાન અને કર્મનો મર્યાદામાર્ગમાં સમાવેશ થાય છે. જ્યારે સાંસારિક સુખોની પ્રાપ્તિનો માર્ગ પ્રવાહમાર્ગ છે. સાક્ષ્ાાત્ પુ2ુષોત્તમ ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલો મનાતો પુષ્ટિમાર્ગ આ ત્રણેમાં ઉત્તમ છે એમ શ્રીમદ્ વલ્લભાચાર્યજી માને છે. એમની શિષ્ય પરંપરામાં શુદ્ધ ભક્તિ માર્ગી કવિઓ થયા છે. જેમની રચનાઓમાં માત્ર ભક્તિ તત્ત્વ અને પ્રભુની લીલાઓનું ગાન હોય છે. દા.ત. સુરદાસ, કુભંનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, નંદદાસ, ગોવિંદસ્વામી, છીતસ્વામી અને ચતુ2ભુજદાસ વગેરે અષ્ટછાપના કવિઓ ઉપરાંત અન્ય કેટલાયે વલ્લભીય વૈષ્ણવકવિઓ.