
અનવર વલિયાણી
એક સત્ય જે સનાતન છે, કદી પણ મિથ્યા થતું નથી એ છે કે પ્રભુને માનવીમાં જે નિહાળે છે તે કદી કોઈ માનવીને જરાયે હેરાન પરેશાન કરે નહીં. હેરાન કરવાની કલ્પના પણ નહીં કરે કારણ કે એ જાણે છે કે એ માનવીને હેરાન કરવાથી પોતે પ્રભુને હેરાન કરી રહ્યો છે.
- પ્રભુને હેરાન કરવાની કોઈ હિંમત કરે નહીં.
- દરેક માનવીમાં પ્રભુને જ નિહાળનાર ઉચ્ચ કોટિના સંત હશે.
- દરેક માનવીમાં પ્રભુનું દર્શન કરનાર માનવ પ્રભુમય જ બની જાય છે.
- ત્યાર પછી કોઈ માનવીની લાગણી એ કદી દુભાવશે નહીં.
- બીજા કોઈની લાગણીને પોતાનાથી દુ:ખ પહોંચે એવું લાગશે ત્યારે તેને ઘણું દુ:ખ થશે.
- જીવનમાં ડગલે ડગલે છે પ્રભુ.
- જે વ્યક્તિનું જીવન પ્રભુમય બને છે તેના જીવન તરફ નજર કરતાં જણાશે કે એ જે કાંઈ કરે તે પ્રભુને અર્પણ કરતો હશે.
- એની દરેક પ્રવૃત્તિ પ્રભુમય હશે.
- શહેનશાહ અકબરના દરબારમાં અકબરના મુખે કવિ કહેવડાવે છે કે,
- પૃથ્વીનો પ્રભુ દસે દિશાઓમાં છે.
- પ્રભુ હિંદુઓનો જ નથી, પ્રભુ ઈસ્લામીઓનો જ નથી. પ્રભુ માનવજાતનો છે.
- પ્રભુ કોઈ એક દિશામાં જ નથી. પૂર્વમાં કે પશ્ચિમમાં જ છે કે ઉત્તર કે દક્ષિણમાં જ છે. એવું નથી.
- પ્રભુ દસે દિશાઓમાં છે. તેથી સૂતી વેળા કોઈ દિશામાં જ માથું રાખીને સૂવું, તે દિશા તરફ પગ થાય નહીં, આવી માન્યતાઓનું ખંડન કરતાં કવિ ઉપર કહ્યા મુજબ શહેનશાહ અકબરના મુખે કહે છે કે,
- પ્રભુ તો દસે દિશાઓમાં છે.
- કોઈ એવી દિશા નથી જ્યાં પ્રભુ નહીં હોય.
- એટલે જ કાંઈ કરીએ ત્યારે દિશાને મહત્ત્વ આપવાનો બદલે પ્રભુને સમર્પણ કરીએ.
- એ જે દિશામાં હોય ત્યાં એને આપણું પૂજન, આપણી પ્રાર્થના પહોંચે.
- સાચા દિલનું પૂજન, સાચા દિલની પ્રાર્થના- ઈબાદત એ હંમેશ સ્વીકારે છે.
બોધ:
- પ્રભુ કોઈ એક ધર્મનો નથી. એ સમસ્ત માનવજાતનો છે.
- પ્રભુ મારો જ છે, તમારો નથી એવી માન્યતા રાખીને ખોટા ઝઘડા કરવા જોઈએ નહીં.
- માનવજાતને ઈશ્વરે સર્જી છે. સહુ એનાં સંતાનો છે.
- માતા પિતાને મન બધાં જ સંતાનો સરખા.
- તેમ પ્રભુને મન પણ બધા જ માનવો સરખા.
- કોઈ વચ્ચે એ ભેદ રાખતો નથી.
- માનવી પોતાની જાતે જ ભેદ પાડતો રહે છે અને એ જાતે જ ભેદરેખા પાડે છે અને એમાંથી એ બહાર આવી શકતો નથી.
- પ્રેમપંથની ને પ્રભુ પંથની પહેલી મજલ મૃત્યુ સમોવડી છે, સહુએ એકલા ખેડવાની છે.
-પ્રેમપંથના પ્રવાસીઓ જાણે છે કે એમની પ્રણયયાત્રામાં તેઓ બીજા કોઈને ભાગીદાર બનાવી શકતા નથી. એ પંથ તેમણે એકલાએ જ ખેડવો પડે છે.
આ પણ વાંચો…આચમન : માનવતાનો સ્તંભ: સમભાવ
- તેવું જ પ્રભુ પંથના પ્રવાસીઓનું છે.
- પ્રભુને પામવા માટે માનવીએ જાતે જ મહેનત કરવી પડે છે. બીજું કોઈ એન્ાા માટે પ્રભુને પામવાની મહેનત કરી શકે નહીં.
- બીજા કોઈ એજન્ટ કે વકીલ રોકીને પ્રભુને પામી શકાય નહીં.
- તેમાંય પ્રેમપંથ કે પ્રભુપંથ પરથી મંજિલે પહોંચવાનું કામ ઘણું કપરું હોય છે.
- એમાં કોઈવાર મૃત્યુને પણ ભેટવું પડે છે.
- પ્રેમીઓ પ્રેમ ખાતર પ્રાણ ન્યોછાવર કરતાં પણ ડરતા નથી.
- મીરાંબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો એ પીવાથી મૃત્યુ થશે એવું જાણવા છતાં મીરાંબાઈ ઝેર ગટગટાવી જાય છે.
- મૃત્યુની તકલીફ દેહની બદલી કરવાની તકલીફ છે. પરંતુ જો આ સાચી સમજ પ્રાપ્ત થઈ હોય તેને તકલીફ પણ તકલીફ નહીં લાગે.
- આ પ્રથમ પળ પસાર થઈ જાય પછી મન મસ્ત બની જાય છે.
- ફકીરી પોતે અમીરી બની જાય છે.
- વિરાટને પામવા તડપતું જીવન ભવ્ય બની જાય છે.
આ પણ વાંચો…આચમન: પૈસો ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી…