ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બની રહ્યો છે Panchagrahi Yog, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જૂન મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે કારણ કે એક સાથે અનેક મોટા અને મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે, જેને કારણે એકથી વધુ વિવિધ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની તમામ રાશિના જાતકો પર સારી અસર જોવા મળશે. આવતીકાલે એટલે કે ચોથી જૂનના ચંદ્રમા વૃષભ રાશિમાં ગોચર કરશે.
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર વૃષભ રાશિમાં પહેલાંથી બુધ, સૂર્ય, શુક્ર ગુરુ બિરાજમાન છે. હવે ચંદ્ર પણ આવતીકાલે સવારે 04.13 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેને કારણે પંચગ્રહી યોગ (Panchagrahi Yog)નું નિર્માણ થઈ રહ્યું છે. સાતમી જુન સુધી ચંદ્ર આ જ રાશિમાં બિરાજમાન રહેશે. સાતમી જૂન સુધી સર્જાઈ રહેલાં આ પંચગ્રહી યોગને કારણે કેટલીય રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે.

આ પંચગ્રહી યોગની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ તેમ છતાં ત્રણ એવી રાશિ છે કે જેમને આ યોગનો વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન આ રાશિનામાં નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નફો મળવાની પ્રબળ તકો છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

After eight days, a powerful Raja Yoga

વૃષભ રાશિમાં જ આ પંચગ્રહી યોગ બની રહ્યો છે અને એને કારણે આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહી છે. સુખ-સુવિધાના સાધનોમમાં વૃદ્ધિ થઈ રહી છે. વૈવાહિક જીવન એકદમ શાનદાર રહેશે. કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. પાર્ટનરશિપમાં કરેલાં કામમાં ફાયદો થઈ રહ્યો છે.

કર્ક રાશિના જાતકોના પણ અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે, કારણ કે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે અને એની સાથે સાથે જ આવકના નવા નવી સ્રોત પણ બની રહ્યા છે. નોકરીમાં સફળતા અને ઘણી શુભ તકો મળી શકે છે. તમારા પ્રમોશનની પણ શક્યતાઓ છે. તમને જૂના રોકાણોથી લાભની તકો મળશે. તેમજ આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. શેરબજાર, સટ્ટામાં કે રોકાણ કરવા માંગતા લોકો માટે સમય એકદમ અનુકૂળ રહેશે.

વૃષભ રાશિમાં બની રહેલો આ પંચગ્રહી યોગ સિંહ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બોસ સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ સારા રહેશે. વિદેશ જવા ઇચ્છુક લોકોને વિદેશ જવાની તક મળી શકે છે. વેપારીવર્ગને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ