ધર્મતેજ

માનસ મંથન : સાદગી ને સરળતાભર્યું જીવન ભલે હોય પરંતુ તેવું જીવન રસપૂર્ણ હોવું જોઈએ

  • મોરારિબાપુ

‘માનસ’ કેવું અનંત છે ! હું શરૂઆતમાં કથા કહેતો હતો ત્યારે મને કથા બહુ સરળ લાગતી હતી, પરંતુ ગુરુકૃપાથી જેમ-જેમ ગાતો જાઉં છું, તેમ-તેમ મને લાગે છે, રામકથા ‘कहत कठिन समुझत कठिन साघत कठिन बिबेक| છે, બહુ જ કઠિન છે. આ અનંત શા છે. હું બિલકુલ તટસ્થભાવે કહી રહ્યો છું. વિશ્વને જરૂર હતી એટલે તુલસીએ ‘રામચરિતમાનસ’ આપ્યું. તુલસીએ ગ્રામ્યગિરામાં એ કહ્યું. આ પાવન ગ્રંથના વક્તા, શ્રોતાઓને થોડો પરિચય આપે છે, એટલા માટે પહેલો દિવસ માહાત્મ્યથી શરૂ થાય છે. વિશ્વવંદ્ય ગાંધીબાપુ કહ્યા કરતા હતા કે,જેમને ‘રામાયણ’ અને ‘મહાભારત’ વિશે જાણકારી ન હોય એમને હિન્દુસ્તાની હોવાનો અધિકાર નથી. ગુજરાતીમાં ગવાયું છે-

‘રામાયણ’ ને ‘ગીતા’ મારી અંતરની આંખો.

મતલબ કે ‘રામાયણ’ અને ‘ગીતા’ એ આપણાં આંતર ચક્ષુ છે, એના વિના આપણે અંધ છીએ.

અને પ્રભુએ દીધી છે મને ઊડવાની પાંખો.

આ બે ગ્રંથોથી આપણે આકાશમાં ઊડી શકીએ છીએ,એટલે કે ઉર્ધ્વગમન કરી શકીએ છીએ,એવી પરમાત્માએ આપણા પર કૃપા કરી છે. આ એવાં શાો છે, જેનાથી આપણે આપણી જાતને બહુ ઉપર ઉઠાવી શકીએ છીએ.

તુલસીજીએ ‘કાંડ’ નથી લખ્યું,‘સોપાન’ લખ્યું છે. ‘રામચરિતમાનસ’ સપ્તસોપાનનું શા છે. સાત સોપાન,સાત સીડીઓ છે. ‘બાલકાંડ’ કહે છે કે, સમય, સ્થળ, સંજોગ અને આપણી પોતાની સમજ એ ચારેય યોગ્ય જગ્યાએ હોય તો પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરી લેવો, એ તલગાજરડી દ્રષ્ટિએ ‘બાલકાંડ’નો સંક્ષિપ્ત મેસેજ છે. ‘બાલકાંડ’માં ભવાની એ સમયનો કેવો સુંદર સદુપયોગ કર્યો ! જ્યારે એમ લાગે કે સમય અનુકૂળ છે, અવસર મનાવવા યોગ્ય છે, એ સમયને પકડી લેવો એ ‘બાલકાંડ’નો સૂત્રાત્મક સંદેશ છે.

નારદજી ઘૂમતાં ઘૂમતાં હિમગિરિમાં ગયા અને હિમગિરિની શીતળતા- શાંતિ જોઈને અને નારદનું મન ત્યાં ઠરીઠામ થયું. હિમાલયનું એવું સ્થાન મળ્યું તો એમ થયું કે ગંગાના તટ પર પ્રાપ્ત સ્થિતિનો સદુપયોગ કરીએ. એવું સ્થાન હતું એનો સદુપયોગ એ ‘બાલકાંડ’ની શીખ છે.

સંજોગ આયો. કોઈ રાજા ધનુષ ન તોડી શક્યા. અહીં જનકજી બહુ જ ઉગ્ર થઈ ગયા. એવી પરિસ્થિતિ સર્જાઈ કે હવે કુંવરી કુંવારી જ રહી જશે ! શું કરવું? શું થશે? એવા સંજોગોમાં વિશ્વામિત્રજીએ રામને કહ્યું, ધનુષ તોડો. અને એવી જ સહજતાથી એ પ્રાપ્ત સંજોગોનો રાઘવેન્દ્રે સદઉપયોગ કર્યો. અને સમજ, ના પણ, વિવેક વિનય એ જ્યારે આપણને અનુકૂળ લાગે કે આપણે સમજની ધારામાં છીએ, વિનયની ધારામાં છીએ ત્યારે એનો સદઉપયોગ કરી લેવો. પરશુરામ એટલું બધું બોલ્યા પરંતુ ભગવાને વિવેક ન તોડ્યો.

‘અયોધ્યાકાંડ’; એનું સૂત્ર છે, બીજાના હક્કની વસ્તુ પર અધિકાર ન જમાવવો; મારો અધિકાર હોય તો પણ હું છોડી દઉં; અને જો બધું બરાબર રહેતું હોય તો પણ હું છોડવા માટે તૈયાર છું. આટલું જ સૂત્ર અયોધ્યા કાંડનું છે. જ્યેષ્ઠ પુત્ર હોવાને નાતે રાજ્ય માટેનો રાઘવનો હક હતો પરંતુ રાઘવે એ છોડ્યું; ભગવાને જવા દીધું. યુવાન ભાઈ -બહેનો, બીજાના હકને છીનવવો નહીં. હક્ક એટલે પૈસા જ નહીં. બીજાના સમયને પણ ન છીનવવો. કોઈ ભજનમાં બેઠું હોય તો એના સમયને ન છીનવો.

ત્રીજું સૂત્ર છે સાદગી- સરળતાથી જીવન જીવવું. પરંતુ સાદગી હોય, સરળતા હોય, તો પણ જીવનમાં રસ પૂર્ણતા હોય એવું જીવન ‘અરણ્યકાંડ’ છે. ભગવાન રામે વલકલ વ- સાદા વ પહેર્યા. પગમાં કંઈ નથી. બિલકુલ સાદગી છે, ભારોભાર સાદગી છે; પણ છતાં પણ રસની કમી નથી. રામ જાનકીજીને પ્રાપ્ય વસ્તુઓથી શણગાર કરી રહ્યા છે. રસ અખંડ રહેવો જોઈએ. સાદું જીવન હોય પરંતુ પરમાત્માનો પર્યાય જે રસ છે, એવું રસમય જીવન હોવું જોઈએ. આ બે જ વસ્તુ ‘અરણ્યકાંડ’ નો નિચોડ છે. સાદું જીવન, છતાં પણ રસમય જીવન. આટલા બધા ઊંચે રહેનારા લોકોને ઈર્ષા થઈ ગઈ કે આવી રીતે પદત્રાણ વિના અને કુટીયામાં રહેનારાનું આવું સાદગીભર્યું જીવન અને આટલી બધી પ્રસન્નતાથી જીવી રહ્યા છે ! મોટા મોટા લોકોના દીકરાઓને ઈર્ષા થવા લાગી ! ઈન્દ્રના દીકરાને ઈર્ષા થઈ! રસ માટે વધારે ઉપકરણોની જરૂર નથી. ફુલ જેવો કોઈ શણગાર નથી. સાદું જીવન અને પરમાત્માવાચક જે રસ છે, એવા રસના જીવનને એન્જોય કરવું એ ‘અરણ્યકાંડ’નો પાઠ છે.

‘કિષ્ક્ધિધાકાંડ’ નું સૂત્ર છે યુવાનો પોતાની ક્ષમતા મુજબ કશીક શોધ કરે; કંઈક નવું સર્જન કરે એ જરૂૂરી છે. ‘કિષ્ક્ધિધાકાંડ’માં જાનકીની શોધનું એક અભિયાન ચાલ્યું. વિશ્વને ઉપયોગી એવી કોઈ પરમ ચીજની શોધ કરવી એ ‘કિષ્ક્ધિધાકાંડ’ નું પારાયણ છે.

આ ‘તલગાજરડી’ ‘રામાયણ’ છે. કેવળ એક સૂત્રી રામાયણ. અને ‘સુંદરકાંડ’ નો પાઠ કરવો જ કરવો, અવશ્ય કરવો, પરંતુ જીવન છે; જીવનમાં ડગલેને પગલે અનેક બાધાઓ આવશે. ગમે તેટલી મુશ્કેલીઓ આવે પરંતુ જીવનની સુંદરતા જાળવી રાખવા માટે ગમે તેવી પરિસ્થિતિમાં અખંડ હરિસ્મરણ એ ‘સુંદરકાંડ’નો પાઠ છે. ‘સુંદરકાંડ’માં જાનકી પર કેટલી વિપત્તિઓ આવી, પરંતુ –

कृस तनु सीस जटा एक बेनी |
जपति हृदय रघुपति गुण श्रेनी ॥

હું રામસ્મરણ નહીં છોડું, એવી માનસિકતા ‘સુંદરકાંડ’નું પારાયણ થઈ જશે.

‘લંકાકાંડ’ સંઘર્ષ છે. જીવનમાં સંઘર્ષ આવે એવા સમયે હું જીતી જઈશ, હું આટલો બળવાન છું, એવો અહંકાર ન કરવો એ ‘લંકાકાંડ’ નો પાઠ છે. મારી સામે એ તો તુચ્છ છે, એ મને શું કરી શકશે, એવું ન સમજવું એ ‘લંકાકાંડ’ નો પાઠ છે. એમ સમજવું કે હું અહંકારથી મુક્ત થઈ જઈશ, કેમ કે અહંકાર પછાડે છે. હું શા માટે મારી જાતને પછાડું? સ્વયં રાવણે અહંકાર વશ થઈને ભગવાન રામને મનુષ્ય સમજ્યા અને પરિણામ એ આવ્યું કે રાવણનું પતન થયું.. મારી સામે એ કંઈ નથી એવો ભાવ છોડીને અહંકારથી મુક્ત જીવન જીવવાની પ્રમાણિક કોશિશ કરવી એ તલગાજરડાની દૃષ્ટિએ ‘લંકાકાંડ’ નો પાઠ છે.

આપણ વાંચો મનન : ભય ને સમજતા પહેલા ડર ને સમજવો પડે

‘ઉત્તરકાંડ’ છે જીવનનો આખરી પડાવ. એ એવો પડાવ છે, જેમાં હવે પ્રશ્નો ખતમ થઈ જવા જોઈએ; ઉત્તરો જ રહેવા જોઈએ. આપણા જીવનમાં પ્રશ્નો જ પ્રશ્નો છે! સમસ્યાઓ જ સમસ્યાઓ છે! જ્યાં જુઓ ત્યાં સમસ્યાઓ! અમારે આ મુશ્કેલી છે અને પેલી મુશ્કેલી છે! મારી દ્રષ્ટિએ ‘ઉત્તરકાંડ’નું પારાયણ એ છે કે હવે ઉત્તરમાં જીવો. હવે એવું જ કહો કે હા, આપે જે કહ્યું એ બરાબર છે. કઠિન ખૂબ છે પરંતુ આ તલગાજરડી ‘રામાયણ’ બિલકુલ સરળ છે. સાત સૂત્રોમાં સાતકાંડની સીધીસાદી વાતો છે. મને લાગે છે કે એ શીખી જઈએ તો જીવન બહુ જ સુંદર બનશે; આનંદીત બનશે. એનાથી ખૂબ ફાયદો થશે. બીજું કંઈ પરિવર્તન કરવાની જરૂર નથી. (સંકલન: જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button