ધર્મતેજ

ગુરુનાનક જયંતી સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે

આચમન -કબીર સી. લાલાણી

શાંતિ પમાડે તે સંત અને લઘુતા દૂર કરે તે ગુરુ.
૫૫૦-૫૫૫ વર્ષ પૂર્વે જન્મેલા ગુરુ નાનકદેવ સંત અને ગુરુ બન્ને હતા.

  • અન્યો સાથે વહેંચો
  • ઇમાનદારીપૂર્વક જીવો અને
  • સતત ઇશ્ર્વરનું નામ જપતા રહો…
  • ગુરુ નાનકદેવે આ ત્રણ મુખ્ય પાયા પર શીખ ધર્મની સ્થાપના કરી.
  • હિન્દુ-ઇસ્લામના સુભગ સમન્વયસમા શીખ ધર્મમાં બંને ધર્મનું નવનીત છે.
    વહાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો ! મૂળ હિન્દુ પરિવારમાં જન્મેલા નાનકદેવે ભક્તિ અને સૂફી ચળવળો-સંપ્રદાયોમાંથી કેટલીક બાબતો લીધી અને નવો ધર્મ સ્થાપ્યો :
  • શીખ ધર્મ માત્ર રહેણીકરણી કે ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી.
  • સાડા પાંચ સદી પૂર્વે ભારતની સમકાલીન સ્થિતિને અનુરૂપ ધર્મ છે.
  • પંજાબના તલવંડી નગરના કારભારી કાલુચંદને ત્યાં ઇ. સ. ૧૪૬૦ના જન્મેલા નાનક સાહિબના જન્મકુંડલી બનાવનાર પંડિત હરદયાળે કહ્યું કે આ છોકરો કાં તો મહાન બાદશાહ થશે અથવા જગવિખ્યાત સંત.
  • એનું નામ નાનક રાખો.
  • બાળપણથી નાનક બીજાં બાળકો કરતાં જુદા તરી આવતા.
  • માતા કાંઇક આપે તો નાનક તરત શેરીમાં દોડી જાય અને બીજાઓને વહેંચીને પછી વધે તો પોતે ખાય.
  • બીજાઓને ખાતાં જોઇને એ ખૂબ ખુશ થતા.
  • એના મનમાં થતું કે મારા પિતાની પાસે અખૂટ ધનસંપત્તિ છે તો પછી શા માટે કોઇ ભૂખ્યું-તરસ્યું કે અર્ધનગ્ન રહે.
  • પિતાએ પોતાની સંપત્તિથી બધાને સંતોષવા જોઇએ.
    સમભાવના સ્વામી:
  • બાળપણથી નાનકમાં ગજબનો સમભાવ જોવા મળતો.
  • કોઇ પીર-ફકીર કે મૌલવી દેખાય તો આપોઆપ આ બાળક બોલતો-
    અલ્લાહ મહાન છે.
  • પરવરદિગાર દયાળુ છે.
  • કોઇ હિન્દુ સાધુ-સંત દેખાય તો બાળનાનક બોલી ઊઠતા:
  • ધાર્યું ધણીનું થાય.
  • ગોવિંદાનો મહિમા અપાર છે.
  • આમ હિન્દુ-મુસલમાન બન્નેને આ બાળક ખુશ કરતો.
  • નાનકનો કુરાન શરીફનો અભ્યાસ એટલો બધો ઊંડો છે કે તેમનાં લગભગ બધાં ભજનો કાવ્યોમાં કુરાન કરીમની ઊંડી અસર દેખાય છે.
  • નાનકની ઇશ્ર્વરપ્રીતિ જોઇને તેમના શિક્ષક ગોપાલે પિતાને સમજાવ્યા કે દીકરા નાનકને કોઇ પંડિતના હાથ નીચે હિન્દુ ધર્મના શાસ્ત્રો ભણાવો.
  • નાનકની જબરદસ્ત ગ્રહણશક્તિ અને તેજસ્વી પ્રતિભા જોઇને પંડિત બ્રિજનાથ પણ અંજાઇ ગયા.
    સંસ્કૃત ભાષા અને સાહિત્યના ઊંડા અભ્યાસી પંડિત બ્રિજનાથને નાનક પર આધ્યાત્મિક પ્રભાવ જોઇને થયું કે ખરેખર તો મારી આ છોકરા પાસે કોઇ વિસાત નથી.
    જાણવા જેવું:
  • નાનકદેવે કદી સંસાર તજ્યો નહોતો.
  • બટાલાના પટવારી મુલચંદની પુત્રી સુલક્ષણી સાથે તેમનાં લગ્ન થયાં હતાં અને આ લગ્નથી તેમને બે દીકરા પણ થયા હતા.
  • સંસારમાં રહીને નાનક સતત ઇશ્ર્વર સ્મરણ કરતાં.
    તેમણે પુરવાર કર્યું છે કે-
  • પ્રભુની ભક્તિ કરવા માટે સંસાર છોડીને ભગવાં પહેરવાની જરૂર નથી.
  • સંસારમાં રહીને પણ ભગવદ્ ભક્તિ થઇ શકે છે.
  • સાચા ભક્તને તેની દરેક આપત્તિમાં ભગવાન મદદ કરે છે.
    -કોમ -ભાઇબંધ કોમના સૌ વાચકોને ગુરુનાનક જયંતીની શુભેચ્છા.
    સત્નામ-વાહેગુરુ.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…