આચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક | મુંબઈ સમાચાર
ધર્મતેજ

આચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક

-અનવર વલિયાણી

મહાભારત વિશે તો તમે સાંભળ્યું હશે.

  • માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં મહાભારત એક કથાકાવ્ય તરીકે જાણીતું છે.

કહે છે કે

  • મહાભારતમાં બબ્બે લીટીના એક લાખ શ્ર્લોક છે.
  • એ મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસે રચ્યું છે.
  • મહર્ષિ વેદવ્યાસ પવનની ગતિએ વિચારી શકતા, પરંતુ એ ઝડપે લખી શકતા નહોતા. એટલે એમને એક કુશળ લહિયાની જરૂર પડી.

લહિયો એટલે તમે મોટેથી બોલીને જેને લખાવી શકો. આજની ભાષામાં એને સ્ટેનોગ્રાફર કહેવાય.

  • વેદવ્યાસે સૃષ્ટિના સર્જક બ્રહ્માજીના કાને વાત નાખી.

-મને કોઈ સારો લહિયો બતાવો.

-બ્રહ્માજીએ ગણપતિનું નામ સૂચવ્યું.

-વેદવ્યાસે ગણપતિને નિમંત્રણ મોકલ્યું.

-ગણેશ મળવા આવ્યા ત્યારે વ્યાસજીએ મહાભારત લખવાની પોતાની યોજના તેમને સમજાવી.

-ગણેશજીએ એક શરત રજૂ કરી:

આ પણ વાંચો…આચમનઃ આરબ સિપાહીઓ બોલી ઊઠ્યા, ‘જલા તું તો અલ્લાહનું નૂર…

  • તમારે મને એકધારું અને સતત લખાવું પડશે.
  • વચ્ચે વચ્ચે અટકવાનું નહીં.

-આ તો બહુ વિકટ શરત હતી છતાં વ્યાસજીએ સ્વીકારી પણ સામી શરત મૂકી:

  • ભલે, પરંતુ તમારે વિચાર્યા વગર કશું ટપકાવવાનું નહીં.
  • હું ઉતાવળમાં જે બોલી જાઉં તે તમારે સમજી વિચારીને લખવાનું.

-ગણેશજીએ હા પાડી.

-મહાભારતનું સર્જનકાર્ય શરૂ થયું.

-વ્યાસજીએ એક યુક્તિ કરી.

  • પચાસ પોણોસો પંક્તિ એક સાથે લખાવે.
  • એમાં પાંચ સાત પંક્તિ એવી હોય જેમાં ગણેશે વિચારવું જ પડે.
  • સાંભળેલું અવિચારીપણે લખી નખાય નહીં.
  • એનો અર્થ વિચારવા ગણેશજી રોકાય એટલી વારમાં વ્યાસજી આગળના પ્રસંગો વિચારી લે અને સ્નાન – ભોજન વગેરે કામ ફટાફટ ઉકેલી નાખે.

-આમ મહિનાઓની એકધારી મહેનત પછી મહાભારત રચાયું.

-આ કથાનો મર્મ સમજવા જેવો છે.

  • આજે અંગ્રેજી શાળામાં ભણતાં બાળકોને ઘણીવાર ગણેશનું સ્વરૂપ સમજાતું નથી.
  • સૂંપડા જેવા કાન, * ઝીણી આંખો, * મોટું પેટ અને * હાથીનું મોઢું…* આ તે કઈ જાતના દેવ! પરંતુ વ્યાસજી અને મહાભારતવાળો પ્રસંગ ધ્યાનથી વાંચતા ગણપતિના સ્વરૂપનો મર્મ સમજાઈ જશે.
  • સૂંપડા જેવા કાન એટલે?
  • ગણપતિ નાનામાં નાના અને મોટામાં મોટા માણસની વાત પણ પૂરેપૂરા ધ્યાનથી, ધીરજથી સાંભળે છે, એ બધી વાતો.
  • પોતાના સાગર જેવા પેટમાં રાખે છે.
  • પોતાની જાસૂસ જેવી ઝીણી નજરથી એનું ખરું-ખોટું ચકાસે છે, ચારેબાજુ નજર રાખે છે.
  • પોતાના કાને પડેલી વાતો પેટમાં સાચવી રાખે છે.
  • ગમે ત્યાં બોલી નાખતા નથી.

-ઝીણી આંખ એટલે પરિસ્થિતિને સાચા સ્વરૂપમાં સમજવાની વિશેષ શક્તિ. ગણપતિમાં આ શક્તિ હતી માટે બ્રહ્માજીએ તેમના નામની ભલામણ વ્યાસજીને કરી.

-વ્યાસજીએ ગણપતિને મહાભારત લખાવ્યું.

-જગતને એક અદ્ભુત મહાકાવ્યની ભેટ મળી.

-જોકે ગણપતિ તમામ દેવોમાં સૌથી પહેલા પૂજાય છે અને તમામ સંકટો – વિઘ્નોનો નાશ કરે છે. એ વધુ મહત્ત્વનો મુદ્દો છે.

પ્રેરણાસ્ત્રોત:

-આઝાદીના સંગ્રામમાં લોકોને સામેલ કરવા દરેક દેશનેતાએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા.

-મહારાષ્ટ્રમાં જ્ઞાની નેતા શ્રી લોકમાન્ય ટિળકે ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવ્યો.

  • ઉત્સવના અને ધર્મના નામે લોકો જલદી સંગઠિત થાય છે એ હકીકત ટિળક સમયસર સમજી ગયેલા.

એ રીતે

  • શેરીઓમાં, * સોસાયટીઓમાં, * મોહલ્લામાં અને * ગામમાં બધા ભેગા થાય છે.
  • આમ ગણપતિ
  • સંગઠન અને * સંઘશક્તિનું પણ પ્રતીક બની રહ્યા.
  • આ દુંદાળા દેવને-કોટિ કોટિ વંદન.

    આ પણ વાંચો…આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button