ધર્મતેજ
આચમન : મહોરાં પર મહોરું – નકલી ચહેરા સામને આયે અસલી સૂરત છૂપી રહે

-અનવર વલિયાણી
ગુજરાતીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે ડુંગર દૂરથી રળિયામણા લાગે.
- માનવ માત્રના ચહેરા પર ઘણા બધા ચહેરા ચઢાવેલા હોય છે જે નજીક જતા ઊતરતા
હોય છે. - નાનાં બાળકોના મુખ પર તથા પશુ, પક્ષી , પ્રાણીઓ, જળચર અને જીવજંતુઓના મુખ પર મહોરાં હોતાં નથી.
- પરંતુ બાળકો જેમ જેમ સમજદાર થતાં જાય તેમ તેમ મહોરાં પર મહોરાં ચડાવતા શીખી જતાં હોય છે.
- દરેક પત્ની પોતાના પતિને કહેતી જ હોય છે કે ‘હું તમને બરાબર ઓળખું છું. તમે દેખાવ છો તેવા નથી!’
લગભગ રાજકારણીઓ, શ્રીમંતો, નેતા-અભિનેતા કલાકારો -સત્તાધારીઓનાં સંતાનો તેમના વડીલોને મહોરાં વગરના જોઇ ચૂકયાં હોય છે, તે પણ નજદીકીના લીધે જ. - રાવણે પણ સાધુનું મહોરું ધારણ કરીને સીતાજીનું હરણ કરેલું.
- દ્રોણાચાર્યનું મહોરું ત્યારે ઊતર્યું જયારે એકલવ્યનું અંગૂઠો માગ્યો.
- ઋષિ વિશ્વામિત્ર પણ મેનકાનું નૃત્યુ જોઇ પછી શું થયું તે બધા જાણે છે.
- સાધારણ માણસો તો ઘણા નબળા છે.
- ન્યાયાલયોમાં ચાલતા અબજો મુકદમા.
- દગો.
- લૂંટ.
- ફસામણી.
- ચોરી.
- છૂટાછેડાઓ.
- ભાગીદારીઓના તથા
- વારસા-હકના કેસો વગેરે વગેરે મહોરાં ઉતારવાના લીધે જ થાય છે ને!
- પ્રત્યેક વેપારી, સેલ્સમેનો, ચૂંટણી પ્રચારકો હિતચિંતકનું મહોરું પહેરીને આવે છે.
- સંતો, શાહો, વલિઓલિયાઓ કહે છે કે,
- સ્વને ઓળખો.
- સ્વમાં કેટલા દુર્ગણો ભરેલા છે અને તેનું પ્રમાણ કેટલું છે તે જુઓ.
- કરુણામય, અહિંસક થવામાં ઉપર વર્ણવ્યા મુજબના દુર્ગુણો જ બાધારૂપ બને છે.
આ પણ વાંચો: આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર
સનાતન સત્ય :
- સ્વ સાથે નજદીકી કેળવી સ્વદર્શન કરવાથી જ અહંકાર ઓગળતો જશે. નમ્રતા આવશે અને રસ્તો કેટલો લાંબો છે તે દેખાશે.
- સ્વની પાછળ રહેલા અંતરાત્માની નજદીકી કેળવી તેના આદર્શ, સલાહ પ્રમાણે જીવન જીવાય તો ઉતમ.
- બાકી શરીરના કોઇ પણ પ્રવાહી અંશની માઇક્રોસ્કોપની મદદ વડે નજદીકી કેળવીએ- જંતુઓ બેક્ટેરિયા જ દેખાશે. ઍક્સ-રે જોઈએ તો હાડપિંજર દેખાશે.
- પણ આ બધું જોયા પછી પણ તેને ઓળંગી જનારા, ઝેરને કંઠમાં રાખી પેટમાં ન જવા દેનારા પણ છે.
- ઉદાહરણ રૂપે
- માતા-પિતા.
- ડૉકટરો-તબીબો.
- હૉસ્પિટલો.
- નર્સો.
- સદાવ્રતો.
- ભંડારાનાં જમણો.
- પાણીની-છાસની પરબો.
- મધર ટેરેસા બાબા આમટે જેવા
હજારો લોકો. - પ્રભુવચનોમાંના વિશ્વાસના કારણે સભાની દુર્ગંધની ઉપરવટ જઇ ખુશ્બૂ-સુગંધ ફેલાવવાના કામમાં, સેવામાં, સહાયમાં લાગેલાં હતાં અને એવાં હિતચિંતકો છે અને કયામત, આખરી નિર્ણય, ન્યાયના દિવસ સુધી રહેશે, રહેશે અને રહેશે જ…
આ પણ વાંચો: આચમન : કાયમ પૂનમનો ચાંદ બનીને ચમકી શકાતું નથી…
બોધ:
- પરોપકારી -વાટના પથ્થર સમા લોકો સભાના અસલ ચહેરાને જાણ્યા-સમજ્યા પછી પણ કરુણા વરસાવતા રહે છે.
- પોતાનો ચહેરો ઇશ્વરને ગમે તેવો અને સેવારૂપી કર્મ, આચરણ-વ્યવહાર કરવામાં તેમને આનંદ અને તૃપ્તિ મળતી હોય છે.