ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

આચમનઃ – અને ઈશ્વરના આશીર્વાદ ઈસુ પર ઊતરી આવ્યા…

અનવર વલિયાણી

પ્રભુ ઈસા મસીહ લગભગ બે હજાર વરસ પૂર્વે થઈ ગયા. એક અભ્યાસ મુજબ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેમના વિશે જાણતું નહીં હોય, પણ અનેકને ખબર નથી તે ખરેખર કોણ હતા.

  • અમુક કહે છે કે તે બસ એક ભલા માણસ હતા.
  • અમુક કહે છે કે તે એક મહાન ગુરુ હતા.
  • અમુક તો તેમને ઈશ્વર માને છે અને તેમની ભક્તિ કરે છે.
  • ઈલાહી કિતાબ બાઈબલ કહે છે:
  • ‘અનંત જીવન એ છે કે તમે એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેમને ઈશ્વરે મોકલ્યા છે તેમને ઓળખો.’
  • ‘મુંબઈ સમાચાર’ પત્રની ધર્મતેજ પૂર્તિના વ્હાલા શ્રદ્ધાળુ વાચકો! જો તમે ઈશ્વર હોવા અને ઈસુ વિશે શીખો, તો તમને સુંદર ધરતી પર શાશ્વત કાળ માટે જીવવાનો મોકો મળશે.
  • આપણે ઈસુ વિશે પણ શીખવાની જરૂર શા માટે છે?
  • કેમ કે ઈસુએ જ બતાવ્યું આપણે કઈ રીતે બધા સાથે હળી-મળીને રહી શકીએ.
  • કઈ રીતે સત્યના માર્ગ પર ચાલી શકીએ. તેમણે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે.
  • ધરતી પર ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં બાઈબલે તેમના વિશે જણાવ્યું હતું.
  • ‘મસીહ’ મૂળ હિબ્રૂ શબ્દ છે અને ‘ખ્રિસ્ત’ ગ્રીક શબ્દ છે. પણ બંનેનો અર્થ એક જ છે.
  • અભિવ્યક્તિ એટલે કે યહોવાએ પસંદ કરેલી વ્યક્તિ. આ વ્યક્તિને ઈશ્વર ખાસ જવાબદારી અને ઊંચી પદવી આપવાના હતા.
  • ઈસુનો જન્મ થયો એ પહેલાં, ઘણા લોકો એ વિચારતા હતા કે એ મસીહ; અભિષિકત વ્યક્તિ હતી કે નાઝારેથના ઈસુ જ મસીહ છે.
  • સિમોન પિતર નામના એક શિષ્યે બધાની સામે ઈસુને કહ્યું,
  • ‘તમે મસીહ છો!’
  • શિષ્યો શા માટે એમ માનતા હતા?
  • આપણે પણ કેવી રીતે એવી જ શ્રદ્ધા રાખી શકીએ કે ઈશ્વરે મોકલેલા મસીહ ઈસુ જ છે?
  • ઈસુ ધરતી પર આવ્યા એ પહેલા, યહોવાએ પોતાના ભક્તોને મસીહ વિશે ઘણી વિગતો જણાવી હતી. એટલે ઈસુ ધરતી પર આવ્યા ત્યારે લોકો સહેલાઈથી તેમને ઓળખી શકયા.
    ઉદાહરણ તરીકે બસ-સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ કે એરપોર્ટ પર કોઈને લેવાનું છે. તમે એમને કદી જોયા નથી, પણ કોઈ તમને અમુક માહિતી આપે કે તે દેખાવે કેવા છે પછી જલદીથી તેમને ઓળખી કાઢશે.
  • એવી જ રીતે, ઈશ્વરે પોતાના પયગંબરો, સંદેશવાહકો દ્વારા બાઈબલમાં અનેક વિગતો જણાવી હતી.
  • જેમ કે મસીહ પૃથ્વી પર આવશે ત્યારે તેમના જીવનમાં કેવા કેવા બનાવો બનશે. એ બનાવો પરથી, ઈશ્વર-ભક્તો આસાનીથી, સરળતા, સહેલાઈથી મસીહને ઓળખી કાઢી શકે.
  • મસીહ વિશે અનેક વચનો સાચાં પડ્યાં હતાં. જેમાંના બે ઉદાહરણો જોઈએ:
  • એક તો મસીહનો જન્મ ક્યાં થશે.
  • ઈસુ પૃથ્વી પર આવ્યા એના લગભગ 700 વર્ષ પહેલાં બાઈબલે એ વિશે જણાવ્યું હતું. યહોવાએ મિખાહ નામના પયગંબર (ઈશ્વરના દૂત)ને કહ્યું કે, મસીહનો જન્મ યહુદાહ દેશના બેથલેહેમ ગામમાં થશે. ઈસુનો જન્મ બેથલેહેમમાં જ થયો.
  • બીજું કે લોકો મસીહને ક્યારે સહેલાઈથી ઓળખી શકશે?
  • ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, યહોવાએ દાનિયલ 9:25માં જણાવ્યું હતું કે તેમને 29મી સાલમાં લોકો ઓળખશે. એ પણ સાચું પડ્યું!
  • મસીહ હોવાના બીજા ઘણાં લક્ષણો ઈસુમાં જોવા મળ્યા.
  • એ સાબિત કરે છે કે ઈસુ જ મસીહ, અભિષિક્ત વ્યક્તિ છે. જેમને ઈશ્વરે ખાસ કામ માટે પસંદ કર્યાં હતાં.
  • બીજું ઉદાહરણ જોઈએ: ઈસવીસન 29માં એક વધારે સાબિતી મળી કે ઈસુ જ મસીહ છે.
  • એ વરસના અંતમાં ઈસુ બાપ્તિસ્મ લેવા માટે યરદન નદીએ ગયા. એ વખતે યોહાન લોકોને બાપ્તિસ્મ આપતા હતા. આ બનાવ પહેલાં ઈશ્વરે યોહાનને વચન આપ્યું હતું કે તેમને મસીહની ઓળખ વિશે નિશાની આપશે. ઈસુ બાપ્તિસ્મ પામ્યા ત્યારે યોહાનને એ નિશાની જોવા મળી.
  • એના વિશે બાઈબલ કહે છે કે,
  • બાપ્તિસ્મ લઈને ઈસુ પાણીમાંથી બહાર આવ્યા.
  • તરત જ આકાશ ખૂલી ગયું.
  • ઈશ્વરના આશીર્વાદે કબૂતરની જેમ ઈસુ પર ઉતર્યો.
  • પછી જન્નત, સ્વર્ગમાંથી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.’
  • યોહાને પોતાની આંખે એ જોયું ને કાને સાંભળ્યું. તેમને પૂરી ખાતરી થઈ કે ઈશ્વર જ ઈસુને પૃથ્વી પર મોકલ્યા હતા. ઈશ્વરનો આશીર્વાદ ઈસુ પર ઊતરી આવ્યો ત્યારથી મસીહ કે ખ્રિસ્ત બન્યા. એટલે કે ઈશ્વરના પસંદ કરેલા રાજા બન્યા.

આપણ વાંચો:  રૂપાંદેનું માલદેને ઉપદેશ અર્પતું ભજન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button