ધર્મતેજ
ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?

આચમન – અનવર વલિયાણી
ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો તમે કોઈપણ ધર્મનો અભ્યાસ કરો, દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે
- ડર લાગે તો મદદ મેળવવા રામનું
નામ લો, - ખુદાને યાદ કરો,
- નવકાર મંત્ર ભણો,
- એ માનસિક મદદ મળી જ કહેવાય.
- જીવનમાં કયું કાર્ય યોગ્ય, કયું અયોગ્ય?
- કયું કાર્ય કરવાની છૂટ, શાની પાબંદી?
- એ બધું શીખવે ધર્મ.
- એટલે જ ધર્મના નામ-સ્વરૂપ અલગ હોય
- પરંતુ તાત્ત્વિક રીતે બે ધર્મ વચ્ચે કોઈ ભેદ ન હોય….
- અને છતાં જ્યારે આપણે ચારેય તરફ ધર્મના નામે પક્ષાપક્ષી,
- મતભેદ
- સંઘર્ષ
- લડાઈ, ટંટા, ફસાદ, રમખાણ, યુદ્ધ જોઈએ છીએ, ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય છે કે આ ધર્મ હશે?
- ના-એ ધર્મ નથી.
- ધર્મ તો સમાધાનકારી છે,
- ઈશ્ર્વરને પ્રાર્થના હોય કે
- ખુદાની બંદગી…!
- માનસિક શાંતિ મુખ્ય છે અને એ
ધર્મ છે. - એટલે જ જેઓ સાચા જ્ઞાનીઓ છે તેઓ ધર્મના નામે વિવાદ કરવાની પાબંદી
ફરમાવે છે. - પરંતુ માણસને અવકપાંસળીઓ અમસ્તો નથી કહેવાતો.
- એ કુદરતી નિયમો અને ન્યાયની વિરુદ્ધ જ્યારે વર્તન કરે છે ત્યારે…
- હાહાકાર સર્જાય છે,
- ખાનાખરાબી થાય છે,
- જાનહાનિ થાય છે,
- તબાહી વરસે છે…
- આ બધું જ શૈતાની વૃત્તિનું પરિણામ છે.
દરિયાના મોતી:
- સુઘરી સરસ માળો બાંધે છે એ સાચું પણ એની ડિઝાઈનમાં ક્યારેય ફેરફાર થયો નથી.
- મધમાખી મધ ભેગું કરે છે પણ એની રસમ તથા પ્રક્રિયામાં ક્યારેય ફેરફાર થયો નથી.
- બિલાડી કે કૂતરાને ગમે તેટલી તાલીમ અપાય, પરંતુ એ નિયત સીમા બહારની તાલીમ પામી જ ન શકે.
- જ્યારે માનવીનું એવું નથી.
- ગુફા અને જાનવરની ખાલથી દેહનું રક્ષણ કરતાં કરતાં માણસ આજે સ્પેસયાનમાં મહિનાઓ ગાળતો થયો છે.
- ધરતી તો ધરતી અવકાશમાં પણ વનસ્પતી ઉગાડવાનો પ્રયત્ન કરે છે.
- કૂતરા-બિલાડાને પ્રાદેશિક સીમા,
- ભાષાનું બંધન,
- જીવનમાં સ્વરચતિ કાનૂનોનું પાલન કરવાનું હોતું નથી.
- માણસને આ બધું કરવાનું હોય છે.
- કારણ બીજા તમામ જીવો કરતાં માણસ પાસે એક ખાસ ચીજ છે અને તે બુદ્ધિ.
- આ બુદ્ધિએ સર્જેલા
- આદર્શો, ધ્યેયો,
- શોધેલા સત્યો, સિદ્ધાંતો,
- ઘડેલાં નિયમો, કાનૂનો,
- વ્યક્ત કરેલા વિચારો, તત્ત્વો,
- એ તમામને એક એવું નામ આપ્યું જેનું સૌ સમજી શકે અને આ નામ એટલે
- ધર્મ.
પ્રેરણાસ્ત્રોત:
જ્યારે મહાન શક્તિઓનો દુરુપયોગ કરવામાં આવે છે, ત્યારે વિશ્ર્વમાં અશાંતિ ફેલાવી સ્વાભાવિક જ છે.