ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણ જૂનમાં માસ ઘટ્યું, હજુ ઘટાડાની શક્યતા

મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. જેમાં પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની જાહેરાત બાદ બજારમાં તેજી જોવા મળી હતી. આ દરમિયાન એનએસડીએલ ના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ આ અઠવાડિયે ભારતીય શેરબજારોમાં રૂપિયા 3,346.94 કરોડનું રોકાણ કર્યું છે.
રૂપિયા 3,275.76 કરોડની વેચવાલી
જેમાં પણ આરબીઆઇના વ્યાજદરના ઘટાડા બાદ રોકાણ કારોનો ઉત્સાહ વધ્યો છે. તેથી 9 જૂનથી 13 જૂન સુધીના અઠવાડિયાના પ્રથમ ત્રણ ટ્રેડિંગ સત્રોમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો હતો. જોકે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવે અઠવાડિયાના અંતમાં રોકાણકારો ઉત્સાહ ઘટાડયો હતો. જ્યારે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે વિદેશી રોકાણકારો એ ભારતીય શેરબજારોમાંથી રૂપિયા 3,275.76 કરોડની વેચવાલી કરી. જેના લીધે અઠવાડિયા માટે ચોખ્ખા રોકાણનો આંકડો ઘટીને રૂપિય 3,346.94 કરોડ થયો છે.
ભારતીય ઇક્વિટી બજારોમાંથી રૂપિયા 5,402 કરોડ પરત ખેંચ્યા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ જેવા ભૂ-રાજકીય તણાવના સમયમાં રોકાણકારો તેમના નાણાં સોના જેવી સુરક્ષિત સંપત્તિઓમાં રાખવાનું વલણ ધરાવે છે. જેના લીધે ભારતીય બજારમાં રોકાણનો પ્રવાહ ઘટી શકે છે. સપ્તાહ દરમિયાન સકારાત્મક રોકાણપ્રવાહ હોવા છતાં, જૂન માટે એકંદર વિદેશી રોકાણ વલણ નકારાત્મક રહ્યું છે. એનએસએલડી ના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ જૂન માસમાં અત્યાર સુધી ભારતીય ઇક્વિટી બજારોમાંથી રૂપિયા 5,402 કરોડ પરત ખેંચ્યા છે.
મે માસમાં રૂપિયા 19,860 કરોડનું વિદેશી રોકાણ
જ્યારે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ 6 જૂનના રોજ 50 બેસિસ પોઇન્ટના વ્યાજ દર ઘટાડાની જાહેરાત કરી હતી. રેપો રેટ ઘટાડીને 5.5 ટકા કરવામાં આવ્યો હતો. જેનાથી બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો.
મે મહિનાની શરૂઆતમાં, ચોખ્ખો વિદેશી રોકાણ પ્રવાહ સકારાત્મક રહ્યો હતો અને રૂપિયા 19,860 કરોડ રહ્યો હતો. જે વિદેશી રોકાણની દ્રષ્ટિએ આ વર્ષે અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રદર્શન કરતો મહિનો બન્યો હતો.