દુકાળ રાહત માટે કેન્દ્ર પાસેથી ₹ ૨,૬૦૦ કરોડની માગણી
મુંબઈ: રાજ્યમાં દુકાળ પ્રશ્ર્ન ગંભીર બની રહ્યો હોઇ પીડિત ખેડૂતોને મદદ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ રૂ. ૨૬૦૦ કરોડની માંગણી કરી છે. રાહત અને પુનર્વસન વિભાગે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલીને દુકાળની સ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ કરી હોવાની…
- આમચી મુંબઈ
વાદળોનો ઘેરો…:
મુંબઈમાં પડેલા વરસાદને કારણે ઘણા અંશે હવા શુદ્ધ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે મરીન ડ્રાઈવ પર વાદળો સાથેનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. (જયપ્રકાશ કેળકર)
- આમચી મુંબઈ
પુષ્પાંજલિ
ચર્ચગેટ ખાતેના ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર (આઈએમસી) ગાર્ડનમાં આવેલા શહીદોના સ્મારક પર દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલ અને કોન્સ્યુલર કોર્પ્સના ડીન તથા કાર્યક્રમના મુખ્ય અતિથિ એન્ડ્રુ કુહ્નએ પુષ્પાંજલિ અર્પી હતી. આ નિમિત્તે આઈએમસીના અગ્રણીઓ અને સ્ટાફના સભ્યો હાજર હતા.
માવઠાંએ ત્રીજા દિવસે દ. ગુજરાતમાં વિનાશ વેર્યો
૨૪ કલાકમાં રાજ્યના ૨૩૬ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં શનિવારે રાતે જૂનાગઢથી શરૂ થયેલા કમોસમી વરસાદે રવિવારે સમગ્ર રાજ્યમાં પારાવાર નુકસાન કર્યા બાદ સોમવારે સતત ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતનાં તાપી અને નવસારી સહિતના જિલ્લામાં ધોધમાર…
ભારતના અમેરિકા ખાતેના રાજદૂત સંધૂનું ન્યૂ યોર્કના ગુરુદ્વારામાં ખાલિસ્તાની ટેકેદારો દ્વારા અપમાન
ન્યૂ યોર્ક: ગુરુપરબ નિમિત્તે અહીંના ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા ગયેલા અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધૂ સાથે રવિવારે દુર્વ્યવહાર થયો હતો. ખાલિસ્તાની સમર્થકોએ સંધૂ સામે બૂમાબૂમ કરી હતી અને અપમાન કર્યું હતું.શીખ સમાજના સભ્યો સંધૂને સુરક્ષાપૂર્વક બહાર લઈ ગયા હતા.…
મધ્ય પ્રદેશમાં વીજળી પડવાથી ચાર જણનાં મૃત્યુ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળે વીજળી પડવાને પગલે ચાર જણના મૃત્યુ થયા હતા અને એક કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેવું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. રવિવારે મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડી હતી. ધાર…
ટનલ દુર્ઘટના: ૩૧ મીટર ઊભું બોરિંગ કરાયું
ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનામાં છેલ્લાં ૧૫ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને બહાર કાઢવા સિલ્કયારા ટનલમાં સોમવારે ઊપરથી ૩૧ મીટર ઊભું બોરિંગ કરવામાં આવ્યું હતું.બીજીતરફ કાટમાળમાંથી માણસોની મદદથી આડું ડ્રિલિંગ કરવા પણ ખાણીયાઓની ટુકડી આવી પહોંચી હતી.હાલને તબક્કે મશીનની મદદથી ઊભું ડ્રિલિંગ…
તેલંગણા ચૂંટણી – ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં તૈનાત
આચારસંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં ₹ ૭૦૯ કરોડની જપ્તી હૈદરાબાદ: ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં રોકાશે, એમ મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજેએ જણાવ્યું છે.રવિવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું…
મલયેશિયા ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપશે
કુઆલા લુમ્પુર, તા. ૨૭ : મલયેશિયા પહેલી ડિસેમ્બરથી ભારત અને ચીનના નાગરિકોને ૩૦ દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજૂરી આપશે એવી જાહેરાત એના વડા પ્રધાન અનવર ઈબ્રાહીમે કરી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિદેશીઓને સવલત આપી મલેશિયા તાજેતરના અઠવાડિયામાં આવી છૂટ…
ચાઇનીઝ બીમારી સામે ગુજરાતમાં ઍલર્ટ: હૉસ્પિટલોમાં દવા-બેડ તૈયાર રાખવા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમય બીમારીને પગલે ભારત સરકારે એડ્વાઇઝરી જાહેર કરી છે. એટલું જ નહીં ગુજરાત સહિતના રાજ્યોને ઍલર્ટ રહેવા સૂચના આપી છે. શિયાળાની ઋતુમાં જ ઇન્ફલૂએન્ઝા, માઇકોપ્લાઝમા અને ન્યૂમોનિયા જેવા રોગના દર્દીઓ પર નજર રાખવામાં આવી…