આમચી મુંબઈ

અતિક્રમણો હટાવવા તમામ સરકારી યંત્રણાઓ એકત્ર કામ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરમાં ઠેર-ઠેર ઊભા થઈ ગયેલા અતિક્રમણો હટાવવા માટે વિવિધ સરકારી ઍજેન્સીઓએ આપસમાં સમન્વય સાધીને કાર્યવાહી કરવી અને પોલીસ પ્રશાસને પણ અતિક્રમણ નિર્મૂલનની કાર્યવાહી દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરી આપવો એવો એવો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આપ્યો છે. હાઈ કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે બનાવેલી અતિક્રમણ નિર્મૂલન (સ્થાયી) સમિતિની બેઠક મંગળવાર, ૧૨ સપ્ટેમ્બરના પાલિકા મુખ્યાલયમાં કમિશનર ઈકબાલસિંહ ચહલના નેતૃત્વમાં યોજાઈ હતી. અતિક્રમણ નિર્મૂલનની કાર્યવાહીની તમામ માહિતી અને વિગતો યોગ્ય રીતે સાચવી રાખવી, જેથી કરીને ભવિષ્યમાં તપાસ અને કોર્ટના કામકાજ માટે આ માહિતી મહત્ત્વપૂર્ણ બની શકે છે એવી સલાહ પણ આ દરમિયાન કમિશનરે આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…