ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Shani Nakshtra Parivartan: પાંચ રાશિના લોકો માટે શરૂ થશે Golden Time…

શનિને ન્યાયના દેવતા તરીકે ઓલખવામાં આવે છે અને શનિની ચાલમાં પરિવર્તન, ગોચર, નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. શનિદેવનું નામ સાંભળીને જ લોકોના મનમાં ગભરાટની લાગણી આવી જાય છે. શનિદેવ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે અને તેઓ રાજાને રંક તો રંકને રાજા બનાવી દે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર હોળી બાદ શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને તેઓ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. આ નક્ષત્ર પર ગુરુનું આધિપત્ય છે. શનિદેવનું ગુરુના નક્ષત્રમાં પ્રવેશવું ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. આ નક્ષત્ર પરિવર્તન પાંચ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ…

આપણ વાંચો: આજનું રાશિફળ (25-03-24): હોળીનો તહેવાર લઈને આવશે તમારા માટે ખુશીઓનો ખજાનો…

મેષઃ

મેષ રાશિના જાતકો માટે શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. નોકરી રહેલાં લોકોનું પ્રમોશન થઈ શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો ખૂબ જ સારો છે. નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. રોકાણ માટે અનુકૂળ સમય છે, તમને સારા પરિણામ મળી શકે છે. ધનલાભના યોગ બની રહ્યા છે. આર્થિક સમસ્યાઓ દૂર થશે.
મિથુનઃ

મિથુન રાશિના લોકો માટે પણ શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યું છે. આર્થિક પક્ષ મજબૂત થઈ રહ્યો છે. કામમાં કોઈ અવરોધ આવી રહ્યા હતા તો એ પણ દૂર થઈ રહ્યા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. કરિયરમાં સફળતા મળી રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે.

સિંહઃ

આ રાશિના લોકો માટે પણ શનિનું ગુરુના નક્ષત્રમાં પ્રવેશનું શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. હોળી બાદ આ રાશિના લોકોનો સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોની સમસ્યા દૂર થઈ રહી છે અને વેપારીઓના વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયે કોઈ નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે.
કન્યાઃ

કન્યા રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન સારા સમાચાર લઈને આવી રહ્યું છે. હોળી બાદ આ રાશિના લોકોને નવી નવી તક મળી રહી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કામમાં કોઈ અવરોધ આવી રહ્યા હતા તો તે પણ દૂર થઈ રહ્યા છે.

મકરઃ

મકર રાશિના લોકોના સંબંધ પણ આ નક્ષત્ર પરિવર્તનને કારણે મજબૂત બની રહ્યા છે. આ રાશિના લોકો પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવશે. વૈવાહિક જીવનમાં સમસ્યા આવી રહી હતી તો એ પણ દૂર થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકો માટે સારો સમયગાળો છે, કોઈ જગ્યાએ સારી નોકરી મળી શકે છે. મન પ્રસન્ન રહેશે અને શાંતિનો અહેસાસ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ