IPL 2024સ્પોર્ટસ

ધોની મિડલ-ઓવર્સમાં કદાચ કોઈને સીએસકેના કૅપ્ટન તરીકે પ્રમોટ કરશે: રાયુડુ

બેન્ગલૂરુ: મહેન્દ્રસિંહ ધોની ગયા વર્ષે આઇપીએલનું પાંચમું ટાઇટલ જીત્યો ત્યારે જ આ ટૂર્નામેન્ટને ગુડબાય કરીને તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવા માગતો હતો. જોકે ચાહકોનો પ્રચંડ ઉત્સાહ જોઈને તેણે નિર્ણય બદલ્યો અને આ વખતની આઇપીએલમાં પણ રમવાનો છે.

જોકે ધોનીએ તાજેતરમાં મીડિયામાં સંકેત આપ્યો હતો કે આ વર્ષની આઇપીએલમાં પોતાના માટે એક નવો નિયમ લાગુ કરશે.

એના પરથી તેની જ ટીમના નિવૃત્ત ખેલાડી અને હવે કૉમેન્ટરી આપનાર અંબાતી રાયુડુએ શુક્રવારે પીટીઆઇને કહ્યું હતું કે ‘ધોની આ વખતે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમનો અલગ રીતે લાભ લેશે એવું મને લાગે છે. મને લાગે છે કે તે મિડલની ઓવર્સ દરમ્યાન પોતાને મેદાન પર સક્રિય નહીં રાખે અને ટીમના કોઈ ખેલાડીને કૅપ્ટન તરીકે પ્રમોટ કરશે. એ જોતાં સીએસકે માટે આ વખતની આઇપીએલ મોટા પરિવર્તનની ટૂર્નામેન્ટ બની રહેશે.’

રાયુડુનું એવું પણ કહેવું હતું કે ‘ધોની કદાચ બૅટિંગમાં પોતાને પ્રમોટ કરવાને બદલે કોઈ યુવા બૅટરને આગળ મોકલશે. એનું સૌથી મોટું કારણ એ છે કે ન્યૂ ઝીલૅન્ડનો ડેવૉન કૉન્વે ઈજાને લીધે નથી રમવાનો એટલે ધોની યુવા બૅટરને ઉપરના ક્રમે મોકલવાનું નક્કી કરશે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…