PM મોદીને લઈને લાલુ યાદવના નિવેદન પર INDIA અલાયન્સમાં પડી ફૂટ, ઓમર અબ્દુલ્લાએ કહ્યું- “Self-Goal”
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના પરિવારને લઈને આપેલા નિવેદનને લઈને INDIA ગઠબંધનમાં હંગામો મચી ગયો છે. લાલુ પ્રસાદના ભત્રીજાવાદ અને પરિવારવાદના નિવેદન પર, જેકેએનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “હું ક્યારેય તેમના (લાલુ) પક્ષમાં ન હતો અને ન તો તેમની (ટિપ્પણીઓ)થી અમને ફાયદો થયો છે.”
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે પણ આપણે આવા સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનાથઈ આપણને જ નુકસાન થાય છે. મતદારો આનાથી પ્રભાવિત થતા નથી, તેઓ જાણવા માંગે છે કે અમારી વર્તમાન સમસ્યાઓ કેવી રીતે હલ થશે, અમારી નોકરી ક્યાંથી આવશે, ખેડૂતોની સમસ્યાઓ કેવી રીતે હલ થશે, ગ્રામીણ અર્થતંત્ર કેવી રીતે પુનર્જીવિત થશે, મતદારો આ મુદ્દાઓ પર સાંભળવા માંગે છે. તેના બદલે કોનું કુટુંબ છે કે નથી એવા નિવેદનોનો કોઇ અર્થ નથી.
લાલુએ પોતાનું નિવેદન આપીને સેલ્ફ ગોલ કર્યો છે એમ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવા નિવેદનોથી કાં તો આપણે સેલ્ફ ગોલ કરી દઈએ છીએ અથવા ગોલની સામેથી ગોલકીપરને હટાવીને મોદી સાહેબને ગોલ કરવાનું કહીએ છીએ. હવે પરિવાર પર, લાલુએ તેમને ખુલ્લેઆમ એક ધ્યેય આપ્યો, તેમણે તકનો ઉપયોગ કર્યો અને ગોલ કરી દીધો અને કહ્યું કે મોદી તેમના છે જેમનું કોઈ નથી. અમારી પાસે આનો કોઈ જવાબ નથી. મને લાગે છે કે આપણે આ પ્રકારનું રાજકારણ છોડીને લોકોના મુદ્દાઓ પર વાત કરવી જોઈએ.
નોંધનીય છે કે બિહારમાં મહાગઠબંધનની રેલી દરમિયાન લાલુ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનો કોઈ પરિવાર નથી તેથી તેઓ બીજાના પરિવાર સામે સવાલો ઉઠાવે છે. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આખો દેશ મોદીનો પરિવાર છે. એટલું જ નહીં ભાજપના નેતાઓએ તેમના સોશિયલ મીડિયામાં બાયોમાં ‘ મોદી કા પરિવાર’ શબ્દ લગાવી દીધા હતો.