મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પરવાનગી વિના ચાલતા કન્યા ગૃહમાંથી 26 છોકરીઓ ગાયબ…
![26 girls missing from the girls house without permission in Bhopal, the capital of Madhya Pradesh…](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Jignesh-J-Pathak-2024-01-06T181821.525.jpg)
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પરવાનગી વિના ચાલતા એક કન્યા ગૃહમાંથી 26 છોકરીઓ ગાયબ થઈ જવાની ઘટના બની હતી. આ યુવતીઓ ગુજરાતના સિહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટ, ઝારખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની રહેવાસી હતી. પોલીસે પરવાનગી વગર ગર્લ્સ હોમ ચલાવવાના મામલામાં એફઆઈઆર નોંધી છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ ભોપાલની બહારના પરવાલિયામાં સંચાલિત આંચલ ગર્લ્સ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન જ્યારે તેમણે રજિસ્ટર તપાસ્યું, ત્યારે તેમને જાણવા મળ્યું કે કુલ 68 છોકરીઓની એન્ટ્રી હતી પરંતુ હોસ્ટેલમાં ફક્ત 45 છોકરીઓ જ હાજર હતી એટલે કે 26 છોકરીઓ ગાયબ હતી.
જ્યારે ચિલ્ડ્રન હોમના ડાયરેક્ટર અનિલ મેથ્યુને ગુમ થયેલી છોકરીઓ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, ત્યારબાદ પોલીસને જાણ કરી એને FIR નોંધવામાં આવી હતી. ત્યારે છોકરીઓ માટે ચાલતા આ ચિલ્ડ્રન હોમમાં ઘણી ગેરરીતિઓ પણ જોવા મળી છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ સોશિયલ મિડીયા દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય ચિલ્ડ્રન્સ કમિશનના અધ્યક્ષ અને સભ્યોની સાથે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મિશનરી દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર ચિલ્ડ્રન હોમનું સંયુક્તપણે નિરીક્ષણ કર્યું. આ ગર્લ્સ હોમને ગુપ્ત રીતે અને કોઈ પણ પ્રકારની માહિતી આપ્યા વગર તેમજ લાયસન્સ વિના જ ચલાવવામાં આવી રહ્યું હતું, અહી રાખવામાં આવતી છોકરીઓનો બળજબરીથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરાવવામાં આવતું હતું. આ કન્યા ગૃહમાં 6 થી 18 વર્ષની વયની 40 થી વધુ છોકરીઓમાંથી મોટાભાગની હિંદુઓ છોકરીઓ છે.
આ ઘટના બાદ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વગર ચલાવવામાં આવતી ચિલ્ડ્રન હોમમાંથી 26 છોકરીઓ ગુમ થવાની બાબત મારા ધ્યાન પર આવી છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હું સરકારને તાત્કાલિક ધોરણે પગલાં લેવા વિનંતી કરું છું.