ધર્મતેજ

શ્રીરામકૃષ્ણદેવ શ્રીરામકૃષ્ણ સત્ય અને નમ્રતાની મૂર્તિ હતા

જીવનનું અમૃત -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
૩. યોગેશ્ર્વરીદેવી (ભૈરવી બ્રાહ્મણી)એ શ્રીરામકૃષ્ણદેવને સૌપ્રથમ ભગવદવતાર જાહેર કર્યા. તેમણે વૈષ્ણવમતના ગ્રંથોમાંથી અવતારનાં લક્ષણો શોધીને તે બધાં લક્ષણો શ્રીરામકૃષ્ણદેવમાં છે તેમ સાબિત કરી બતાવ્યું. મથુરબાબુએ એ અંગે વિચારણા કરવા માટે વિદ્વાનોની એક સભા બોલાવી. યોગેશ્ર્વરીદેવીએ વિદ્વાનોની આ સભા સમક્ષ સાબિત કરી બતાવ્યું કે શ્રીરામકૃષ્ણદેવ ભગવદવતાર છે. એટલું જ નહિ પણ ઉપસ્થિત વિદ્વાનોએ તેમની આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.

૪. શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય અને રામકૃષ્ણલીલા પ્રસંગના લેખક શ્રી શારદાનંદજીએ નોંધ્યું છે કે શ્રીરામકૃષ્ણદેવ અનેક વાર કહેતા કે જે રામ, જે કૃષ્ણ તે જ શ્રીરામકૃષ્ણ. વળી તેઓ કહેતા કે જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આ શરીરમાં (તેમના શરીરમાં) આવેલ છે. એક વાર શ્રીરામકૃષ્ણદેવ નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)ને કહેલું કે જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ અને તે પણ વેદાંતની રીતે નહીં. વેદાંત મત મુજબ તો જે કાંઇ છે તે બધું બ્રહ્મા છે લમૃ ઈાંલ્મર્ડૈ રૂૄસ્ત્ર તેથી જીવમાત્રને બ્રહ્મા માનવામાં કશો બાધ નથી. શ્રીરામકૃષ્ણ આ અર્થમાં અવતાર છે તેમ નહિ, પરંતુ અવતાર એક વિરલ અને રહસ્યપૂર્ણ ઘટના છે. જીવનું બ્રહ્મસ્વરૂપ હોવું એ તો જીવનમાત્રને લાગુ પડે છે, પરંતુ પરમાત્માનું માનવશરીર ધારણ કરી અહીં પૃથ્વી પર આવવું- અવતરવું એ તદ્દન ભિન્ન ઘટના છે અને શ્રીરામકૃષ્ણ આ ભગવદવતરણના અર્થમાં અવતાર છે.

શ્રીરામકૃષ્ણ સત્ય અને નમ્રતાની મૂર્તિ હતા. તેથી અતિ શંકાશીલ પુરુષ સિવાય કોઇ એમના શબ્દોની સચ્ચાઇમાં શંકા સેવે નહિ. એમના શબ્દો પણ એક પ્રમાણ છે. તેથી એમના આ શબ્દો દ્વારા પણ તેઓ ભગવદવતાર હતા તેમ સમજાય છે.

૫. નવદ્વીપની યાત્રા દરમિયાન ગંગાપાર કરતી વખતે શ્રીરામકૃષ્ણદેવને બે કિશોરોનાં દર્શન થયાં. આ બંને કિશોરો તે શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી નિત્યાનંદજી હતા. બંને ધીમેધીમે શ્રીરામકૃષ્ણદેવની નજીક આવ્યા અને આખરે તેમના શરીરમાં સમાઇ ગયા. આ અનુભૂતિ દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીરામકૃષ્ણદેવની અભિન્નતા સિદ્ધ થાય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવદવતાર છે અને તે જ ફરીથી શ્રીરામકૃષ્ણ સ્વરૂપે આવ્યા હતા એમ આ અનુભૂતિનો અર્થ છે.

૬. ભગવદવતારમાં બે ચેતનાઓ હોય છે. એક માનવચેતના અને બીજી ભાગવતચેતના. શ્રીરામકૃષ્ણદેવમાં આ બંને ચેતનાઓનાં દર્શન થાય છે. મોટા ભાગે તેઓ માનવચેતનામાંથી વ્યવહાર કરતા અને ભક્તભાવમાં રહેતા, પરંતુ અનેક વાર તેઓ ભાગવતચેતનામાં પણ રહેતા અને એ રીતે વ્યવહાર પણ કરતા. આ અવસ્થામાં તેઓ પૂજા માટેનાં ફૂલો અને બિલ્વપત્રો પોતાના મસ્તકે ચડાવતા, જગદંબાના શયનના પાટ પર બેસતા. જગદંબાને ધરવા માટે બનાવેલો ભોગ. જગદંબાને ધરાવ્યા વિના પોતે જ આરોગતા. આ બધા પ્રસંગો દ્વારા તેમનામાં રહેલાં ભાગવતચેતનાનો પરિચય મળે છે, જે માત્ર અવતારમાં જ શક્ય છે.

૭. ભગવાન પોતાના ભક્તોને મળવા આતુર હોય છે. ભક્તો જ ભગવાનના સગાં છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં તેમનું પોતાના ભક્તો પ્રત્યે આ પ્રકારનું વલણ જોવા મળે છે. માએ તેમને બતાવી દીધેલું કે હવે ભક્તો આવશે. તેઓ અગાશી પર ચડીને બૂમો પાડીને ભક્તોને બોલાવતા અને તેમને મળવા માટે અત્યંત આતુર બની જતા. વળી ભક્તોના આગમન વખતે તેઓ ઓળખી જતા કે અમુક વ્યક્તિ તેમના નિજમંડળમાંની એક છે કે નહિ. અવતાર તેમના નિજમંડળ સહિત આવે છે. શ્રીરામકૃષ્ણદેવ પણ પોતાના નિજમંડળ સહિત આવ્યા છે. તેમનો આ પરિવાર અને પરિવારના સભ્યો પ્રત્યે તેમના પ્રેમ- આ બધા દ્વારા તેમના ભગવદવતાર હોવાના સંકેતો મળે છે.

૮. સંપૂર્ણ કામવિજય માત્ર ભગવદવતારમાં જ શક્ય છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રી વ્યાસભગવાને કહ્યું છે કે નારાયણઋષિ વિના આ સંસારમાં એવો કોણ છે જેને કામનું બાણ કદી વાગ્યું ન હોત? અહીં નારાયણઋષિનો ઉલ્લેખ ઉપલક્ષણથી કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ભગવદવતાર સમજવાના છે. એટલે કે સંપૂર્ણ કામવિજય માત્ર ભગવદવતારમાં જ સંભવે છે. શ્રીરામકૃષ્ણદેવમાં આ સ્વરૂપનો સંપૂર્ણ કામવિજય જોવા મળે છે. તેઓએ પોતાના સહધર્માચારિણી શ્રી મા શારદામણિદેવી સાથે છ માસ સુધી એક જ શય્યામાં શયન કર્યું હતું અને એક ક્ષણ માટે પણ તેમનું મન ચલાયમાન થયું ન હતું. આ સ્વરૂપનો કામવિજય સામાન્ય જીવ માટે શક્ય નથી. તેમની આ અવસ્થા દ્વારા તેમની ભગવતાનો પરિચય મળે છે.

જો કોઇ વ્યક્તિ ઇચ્છે તો આ બધાં પ્રમાણોના વિરોધમાં દલીલો કરી શકે છે. કેમ કે આ પ્રમાણો દ્વારા તેમને અવતાર તરીકે સમજી શકાય છે, પરંતુ આ કે અન્ય કોઇ પણ પ્રમાણોથી અવતારને પણ અવતાર તરીકે સિદ્ધ કરી બતાવવાનું કાર્ય દુષ્કર છે. આધ્યાત્મિક સત્યોના વૈજ્ઞાનિક પુરાવા અને તાર્કિક સાબિતી મળી શકે નહિ તેથી કોઇ પણ વ્યક્તિ અવતારને અવતાર તરીકે સ્વીકારવા કે ન સ્વીકારવા માટે હર પળે સ્વતંત્ર છે. અવતારને તો તેઓ જ સમજી-સ્વીકારી શકે જેમના પર કૃપા કરીને અવતાર પોતે જ તેમને પોતાનું સ્વરૂપ બતાવે. જેમની સમક્ષ અવતાર પોતે જ પોતાનો અંધારપછેડો દૂર કરે તે જ અવતારને અવતાર તરીકે જાણી શકે છે અને સ્વીકારી શકે છે. માત્ર બુદ્ધિ દ્વારા અવતારને કોઇ સમજે શકે નહિ, કોઇ સમજી શક્યું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ