આપણું ગુજરાતનેશનલ

વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન હુમલો, દરિયાઇ તટની સુરક્ષા જોખમમાં મુકાઇ

વેરાવળ/ઓખા: હિંદ મહાસાગરમાં ભારતીય જહાજ પર ડ્રોન એટેકની એક ગંભીર ઘટના સામે આવી છે. ડ્રોન એટેક બાદ જહાજમાં વિસ્ફોટ થતા આગ લાગી હતી. ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ આ ઘટનાને કારણે ઓખા-વેરાવળમાં દરિયાઇ સુરક્ષા પર મોટું જોખમ ઉભુ થવાના અણસાર લાગી રહ્યા છે.

હજુસુધી આ ઘટના અંગે કોઇ અધિકારીએ પુષ્ટિ કરી નથી, જો કે સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે ફેલાઇ રહ્યા છે. આ હુમલો વેરાવળના દક્ષિણ-પશ્ચિમ વિભાગમાંથી થયો હતો, આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય જહાજોને સાવચેતી રાખવા તાકીદ કરાઇ છે.

આ જહાજ મૂળ ઇઝરાયલનું હતું જે સાઉદી અરેબિયાથી મેંગલુરૂ જઇ રહ્યું હતું. તેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા અને જહાજમાં ક્રૂડ ઓઇલ હતું. જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ લગાવેલો હતો. છેલ્લે સાઉદી અરેબિયા સાથે તેને સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ વધુ તપાસ માટે ICGS વિક્રમને ત્યાં મોકલ્યું છે. હુમલા બાદ ક્રૂ મેમ્બર્સને તો કોઇ નુકસાન થયું નથી પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આગ લાગી હતી, જે હવે કાબૂમાં લેવાઇ ગઇ છે.

બ્રિટિશ મિલિટરીના મેરીટાઇમ ઓપરેશન્સ અહેવાલ આપ્યો હતો કે જહાજ ભારતના વેરાવળથી 200 નોટિકલ માઇલ દૂર હતું, તેમજ સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલ આ હુમલાની કોઇએ જવાબદારી લીધી નથી.

છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં ચાંચિયાગીરીની અનેક ઘટનાઓ બની છે. આ વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની બોટની શંકાસ્પદ ગતિવિધિઓ પણ જોવા મળી હતી, જેની સામે તટીય સુરક્ષા દળોએ યોગ્ય પગલા પણ લીધા હતા. આ પ્રકારની ઘટનાઓ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય શિપિંગ વ્યવહારોને નુકસાન પહોંચાડી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…