નેશનલ

પંજાબમાં રાજકીય સમીકરણો બદલાવાના એંધાણઃ જાણો કોણ કોની સાથે જોડાશે

ચંદીગઢઃ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ કૉંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો પણ વિચારમાં પડી ગયા છે. પંજાબમાં લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરનાર ભાજપ હજુ સુધી પોતાની સ્થિતિ મજબૂત કરી શકી નથી. તે જ સમયે, દિલ્હીમાં ખેડૂતોના આંદોલન પછી ભાજપ સાથે 25 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખનાર અકાલી દળે ફરીથી ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ તપાસવાનું શરૂ કર્યાની ચર્ચા જાગી છે.

રાષ્ટ્રીય સ્તરે રચાયેલા ઈન્ડિયા ગઠબંધન હેઠળ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પંજાબમાં બેઠકોની વહેંચણી અંગે સક્રિયપણે વિચાર કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે અકાલી દળએ ફરીથી ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું છે. નવા સમીકરણો નવા ગઠબંધનો તરફ ઈશારો કરી રહ્યા છે.

ભલે પંજાબ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ખુશ નથી, પરંતુ તેઓ આ મામલે પાર્ટી હાઈકમાન્ડના માર્ગદર્શિકાને અવગણવાના પક્ષમાં પણ નથી. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પણ આના સંકેતો આપવામાં આવ્યા છે. બીજી તરફ, પંજાબમાં સરકાર બન્યા પછી તરત જ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરનાર આપ સરકારે અચાનક પોતાનું વલણ નરમ કર્યું છે. આપ સાથે ગઠબંધન વિરુદ્ધ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદનો છતાં પંજાબ આપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.

આપ સરકારે હવે તેમના નિશાના પર અકાલી દળને લઈ લીધું છે. વરિષ્ઠ અકાલી નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ AAP સરકારની તાજેતરની કાર્યવાહી અને મુખ્યપ્રધાન દ્વારા આકરા પ્રહારો એ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં ભાજપની સાથે અકાલી દળ પણ આપના નિશાના હેઠળ આવશે. આ ફેરફારને કોંગ્રેસ અને આપ વચ્ચે વધતી આંતરિક નિકટતા તરીકે જોવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં બંને પક્ષોના હાઈકમાન્ડ પોતાના સ્તરે ગઠબંધન નક્કી કરવા જઈ રહ્યા છે, જેમાં પંજાબના નેતાઓની સલાહ લેવામાં આવશે, તેમ જણાતું નથી. જો કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં આપની સ્થિતિ પછી, પાર્ટી પાસે કૉંગ્રેસ સાથે જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

બીજી તરફ પંજાબમાં લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરનાર ભાજપ ભલે વડાપ્રધાન મોદીની ગેરંટી દરેક ઘર સુધી પહોંચાડવાનો દાવો કરી રહી હોય, પરંતુ પાર્ટી રાજ્યમાં પોતાની કેડરને મજબૂત કરી શકી નથી.

હવે તે જ સમયે, દિલ્હીમાં ખેડૂતોના આંદોલન પછી ભાજપ સાથે 25 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખનાર અકાલી દળએ ફરીથી ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ આંતરિક રીતે તપાસવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રો જમાવી રહ્યા છે ત્યારે લોકસભા પહેલા રાષ્ટ્રીય પક્ષ અને સ્થાનિક પક્ષ સાથે આવે તેવી પૂરી શક્યતા છે. જોકે આના લીધે હાલમાં પંજાબ રાજ્ય સરકારમાં કોઈ ફેરફાર થવાની શક્યતા જણાતી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…