ઉત્સવ

મારા ફાધર જેવા તો તમે ક્યારેય ન બનતા, કારણ કે

કુખ્યાત ડ્રગ્સ લોર્ડ પાબ્લો એસ્કોબાર વિશે એનો પુત્ર કરે છે સ્ફોટક વણકહી વાતો…

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આમ તો બાપ તેવા બેટા અને વડ તેવા તેટા’ એક બહુ જાણીતી કહીવત છે,પણ સદનસીબે નશીલાં પદાર્થોનો બેતાજ બાદશાહ જેવો પાબ્લો એસ્કોબારના પુત્ર યુઆનના કિસ્સામાં ઉપરોકત ગુજરાતી કહેવત સદંતર ખોટી ઠરી છે.

નેટફિલક્સ’ પર પ્રસારિત અતી લોકપ્રિય વેબ સિરીઝ નાર્કોસ’ જોનારાઓ તેમ જ નહીં જોનારાઓમાંથી ઘણાએ પાબ્લો
એસ્કોબારનું નામ સાંભળ્યું જ હશે. ૮૦ના અંત અને ૯૦ના શરૂઆતના દાયકામાં કોકેઇનના ધંધામાં અબજો ડોલરની કમાણી કરનાર કોલમ્બિયાના પાબ્લો એસ્કોબારના માથા પર લાખો ડોલરનું ઇનામ સરકારે જાહેર કર્યું હતું. પાબ્લોએ કોલમ્બો સરકાર સામે ખુલ્લુ યુદ્ધ છેડી દીધુ હતું. શિકારો’ તરીકે ઓળખાતા ભાડૂતી હત્યારાઓ મારફતે પાબ્લોએ ૮ જ વર્ષમાં ચાર હજારથી વધુ હત્યા કરાવી હતી.

કોલમ્બિયાના ડિફેન્સ મિનિસ્ટરથી માંડીને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર, લશ્કરના કમાન્ડરથી માંડીને સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશો, છાપાના માલિક – તંત્રીઓથી માંડીને પોલીસ અધિકારીઓ સુધીનાઓની નિર્મમ હત્યાઓ કરાવીને પાબ્લો વિશ્વભરમાં ખતરનાક’ આદમી તરીકે કુખ્યાત થઈ ગયો હતો. સુપ્રિમ કોર્ટના સ્ટ્રોંગરૂમમાં સચવાયેલા પોતાના વિરુદ્ધના પુરાવાનો નાશ કરવા માટે
પાબ્લોએ સુપ્રિમ કોર્ટ પર હુમલો કરાવ્યો હતો. પાબ્લોના માણસોએ ૨૦થી વધુ સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશોની હત્યા કરીને આખી સુપ્રિમ કોર્ટ સળગાવી મૂકી હતી.

ઘણી વાર નામ કરતાં બદનામી વધુ ઝડપથી પ્રસરતી હોય છે. પાબ્લો વિશે છ થી વધુ પુસ્તક લખાયા છે ને કેટલીક ફિલ્મો પણ બની છે.

નાર્કોસ’ વેબસિરિઝમાં દર્શાવ્યું છે એમ પાબ્લો એના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો. ૧૯૯૩માં પોલીસે એક એન્કાઉન્ટરમાં પાબ્લોને પતાવી દીધો ત્યારે ત્યારે એના પુત્ર યુઆન ૧૫ વર્ષનો હતી. એની નાની પુત્રી ૧૦ વર્ષની હતી. પાબ્લો ઠાર થયો એ પહેલાં એણે ફોન પર છેલ્લી વાત યુઆન સાથે કરી હતી. પાબ્લોના મોતના સમાચાર યુઆનને મળ્યા એટલે કુમળી વયે યુઆને પત્રકારોને સામેથી ફોન કરીને કહ્યું હતું કે પિતાના મોતનો બદલો હવે એ લેશે. જો કે, આવું કહ્યાના પછી અરધો કલાક પછી એણે ફરીથી પત્રકારોને ફોન કરીને કહ્યું કે મારો કોઈ ઇરાદો હિંસા કરવાનો નથી. ફક્ત આવેશમાં આવી મારાથી આવું કહેવાય ગયુ હતું….

આજે ચાલીસી વટાવી ચુકેલો યુઆન આર્જેન્ટીનામાં રહે છે. માણસોને મારવાને બદલે કે ડ્રગના કારોબારમાં પડવાને બદલે તે આર્કિટેક્ચર ડિઝાઇનર તરીકે કામ કરી રહ્યો છે.

યુઆને જે કેટલીક ટીવી ચેનલોને મુલાકાત આપી છે એ સાંભળીએ તો લાગે કે એનું બૌદ્ધિક સ્તર ખૂબ ઉંચું છે. પિતાથી એકદમ જ વિપરીત એ શાંતિપ્રિય છે. યુઆન માને છે કે નેટફિલ્કસે’ જે રીતે પાબ્લો એસ્કોબારને દર્શાવ્યા છે- ફિલ્મીકરણ કર્યું છે એ સાવ જ ખોટું ને વાહિયાત છે… નાર્કોસ ’ જોઇને કેટલાય યુવાનો પાબ્લો એસ્કોબાર બનવા માંગે છે. …વેબસિરિઝમાં પાબ્લોને પૈસામાં આળટતો ને બધી ખર્ચાળ સુખ-સગવડ ભોગવતો બતાવામાં આવ્યો છે… જો કે એ વિશે યુઆન છે કે એ સમગ્ર વેબસિરિઝ સત્યત્થી ઘણી વેગળી છે.

યુઆન કહે છે : મારા પિતાના મૃત્યુ પછી કોલમ્બિયાના બીજા ડ્રગ્સ માફિયા મને – મારી માતા તથા બહેનને મારી નાંખવા માંગતા હતા. મારી મા સમાધાન માટે બીજા ડ્રગ્સ માફિયાઓ પાસે ગઈ ત્યારે એમણે અમારી તમામ મિલ્કતો તેમજ પૈસા માંગી લીધા હતા. અમારું સર્વસ્વ એમને આપીને પણ અમે સલામત નહોતા….સમય જતાં હીટલિસ્ટમાંથી મારી મા – બહેનના નામ તો નિકળી ગયા, પરંતુ મારા માથા માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. કારણ કે મેં જે રીતે ઉશ્કેરાટમાં આવી જઈને બધાને મારી નાંખવાની ધમકી આપી હતી એ વાત એ લોકોએ ગંભીરથી લઈ લીધી હતી…. નેટફિલ્કસ’ની વેબસિરિઝમાં બતાવવામાં આવ્યું છે એમાં ઘણા બધા ગપ્પા છે, પરંતુ હું અહીં કેટલાક ખુલાસા કરવા માંગુ છું. મારા પિતાને મૃત્યુ પહેલાં પગમાં અને ખભામાં ગોળી વાગી પછી ઘયલ અવસ્થામા પોલીસના હાથે જીવતા પકડાવું ન પડે એમણે પોતે જ જમણા કાનમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જો કે સરકારે અને પોલીસે એવી જાહેરાત કરી હતી કે એમણે જ મારા પિતાને ઠાર માર્યા હતા….મારા પિતા મને હંમેશા કહેતા કે કોઈપણ વખત મરવું હોય તો ઝડપથી મોત આવે એ માટે જમણા કાનમાં ગોળી મારી દેવી…

મૃત્યુ પહેલાં મારા પિતા શરણે થવા ઈચ્છતા હતા અને સેટેલાઇટ ફોનથી અમારી સાથે સંપર્કમાં રહેતા હતા. જો કે, છેલ્લા દિવસોમાં એ ખૂબ જ નકારાત્મક થઈ ગયા હતા. એ હંમેશા કહેતા કે ફોનનો ઉપયોગ એમના માટે મોતનું કારણ બનશે. આમ છતા બેદરકાર થઈને એ વારંવાર સેટેલાઇટ ફોનથી અમારી સાથે વાત કરતાં… હું એમને ફોન નહીં કરવા કહેતો હતો છતાં એ માનતા નહોતા…
પિતાના મૃત્યુ પછી અમારે દેશ છોડીને ભાગી જવુ પડે એમ જ હતું. વેટિકન, અમેરિકા, રેડક્રોસ તેમજ યુરોપના ઘણા દેશોમાં અમે શરણાગતિ માટે પ્રયત્નો કર્યા, પરંતુ કોઈએ અમને મદદ કરી નહીં… છેવટે અમે નામ બદલી નાંખ્યા. મેં મારું નામ સેબેસ્ટીયન મેરોક્વીન’ રાખ્યું હતું. જે હજીપણ ચાલુ છે. છેવટે લાંબી રઝડપાટને અંતો અમને મોઝમ્બીકાએ શરણ આપ્યું,પણ એને માટે પણ અમારે મોટી રકમ ચૂકવવી પડી.પાછળથી અમે એક્વાડોર ભાગ્યા ને ત્યાર બાદ અમે છેવટે આર્જેન્ટીમાં સ્થાયી થયા.

કોલમ્બિયા છોડ્યા પછી યુઆન ફક્ત એક વખત ફરીથી પોતાના દેશ ગયો હતો. પાબ્લોએ જેટલા નિર્દોષોની હત્યા કરી હતી એમના કુટુંબિઓને મળીને યુઆને સૌની દિલથી માફી માંગી હતી.
આ ઉપરાંત એણે ધ સીન્સ ઓફ માય ફાધર’ નામની એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી. યુઆનનું કહેવું છે કે એમના પિતાના મોટા ભાગના પૈસા ભ્રષ્ટ અધિકારીઓને લાંચ આપવામાં તેમજ હિંસા આચરવામાં ખતમ થઈ ગયા હતા. પરિવારમાં યુઆન એક જ એવી વ્યક્તિ હતી કે જે પિત પાબ્લો એસ્કોબારને એમની હિંસા અને બોમ્બ ધડાકા બંધ કરવા એમને મોઢા પર કહી શકતો હતો. યુઆન કહે છે કે મારા પિતા મને એક તરફ કઈ રીતે સારી વ્યક્તિ બની શકાય એ વિશે સલાહ આપતા તો બીજી તરફ પોતે જ હત્યાઓ કરાવતા રહેતા હતા. એમનું વ્યક્તિત્વ વિરોધાભાસી હતું. એ સામ્યવાદી ગેરીલાઓને પણ ફંડ આપતા એમ જમણેરી વિચારધારાવાળા રાજકીય પક્ષોને પણ મદદ કરતા…. દરેક યુવાનોને સ્લાહ આપું છું કે ડ્ગ્સ લોર્ડ એવા મારા મારા પિતા જેવા બનવાની કોશિષ કયારેય ન કરતા…!’ (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…