આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારેરાએ દ્વારા 1,343 ફરિયાદોનો ઉકેલ

મુંબઈ: ઘર ખરીદનારાઓની ફરિયાદોને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે મહારેરા દ્વારા સમાધાન (કાંકાઇલેશન) બેંચની રચના કરવામાં આવી છે. આ બેન્ચે અત્યાર સુધીમાં 1,343 ઘર ખરીદનારાઓની ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ કર્યું છે. હાલમાં રાજ્યમાં બાવન સમાધાન બેન્ચ દ્વારા 876 કેસોની સુનાવણી થઈ રહી છે.

આ ફોરમ મુંબઈ, પુણે, નાસિક, નાગપુર જેવી ઘણી જગ્યાએ કામ કરી રહી છે. મહારેરામાં આવતા ઘર ખરીદનારાઓની ફરિયાદો અંગે નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ ફરિયાદીઓના તમામ અધિકારો અકબંધ રાખીને પ્રથમ સુનાવણીમાં સમાધાન બેંચનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આ સમાધાન ફોરમમાં ગ્રાહક સંગઠનોના પ્રતિનિધિઓ, વિકાસકર્તાઓની સ્વ-નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ફરિયાદકર્તાઓનો સમાવેશ થાય છે. ગ્રાહક સંગઠનો અને સ્વ-નિયમનકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ આ ક્ષેત્રમાં વરિષ્ઠ અને નિષ્ણાતો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત