નેશનલ

જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ રજૂ કરવા એએસઆઈએ વધુ સમય માગ્યો

વારાણસી: જ્ઞાનવાપી સંકુલના વૈજ્ઞાનિક સર્વેનો અહેવાલ રજૂ કરવા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ કોર્ટ પાસેથી વધુ ૧૫ દિવસનો સમય માગ્યો હતો. સર્વેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, પણ ટેકિનકલ રિપોર્ટ હજુ બાકી હોવાથી વધુ સમયની માત્ર કરવામાં આવી છે તેવી અરજી એએસઆઈએ વારાણસીના ડિસ્ટ્રીકટ કોર્ટમાં કરી છે તેવી માહિતી કેન્દ્ર સરકારના ધારાશાસ્ત્રી અમિત શ્રીવાસ્તવે આપી હતી.

ડિસ્ટ્રીક્ટ જજ એ.કે વિશ્ર્વેશની કોર્ટમાં આ અરજી પર સુનાવણી શનિવારે કરવામાં આવશે. આ અગાઉ બીજી નવેમ્બરે એએસઆઈએ ૧૭મી નવેમ્બર સુધીનો સમય માગ્યો હતો. સર્વેના કામ માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની માહિતી સહિત સર્વેનો અહેવાલ પૂરો કરવા માટે એએસઆઈએ વધુ સમય માગ્યો હતો.

પાંચમી ઑક્ટોબરે કોર્ટે એએસઆઈને ચાર વધુ સપ્તાહનો સમય આપ્યો હતો અને તે પછી સર્વે માટે વધુ સમય આપવા કોર્ટે ઈન્કાર કર્યો હતો. ઑગસ્ટ-૨૦૨૧માં પાંચ હિંદુ મહિલાએ જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની પરવાનગી મેળવવા અરજી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…