તરોતાઝા

ફ્લેવર્ડ ગૌમૂત્ર (ગૌમંગલ સંજીવની રસ)

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

(ગતાંકથી ચાલુ)
=ગૌમુત્રનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરતા આ પ્રમાણેના દ્રવ્યો, તત્ત્વો, પદાર્થો એટલે કે ઘટકો મળી આવ્યા છે.

નાઇટ્રોજન, એમોનિયા, સુવર્ણ ક્ષાર ૮.૫૦mg/ltr, તાંબુ, સિલ્વર ૪.૫૭mg/ltr,
મેંગેનીઝ ૩.૨૧mg/ltr, આયોડિન, સલ્ફર, એમોનિયા ગેસ,

યુરિયા,
ફુલ્વિક (fulvic) એસિડ ૧૬૫ mg /ltr,
યુરિક એસિડ, આલ્કલીક એસિડ, હિપુરિક એસિડ, લેકટોજ એન્ઝાઇમ, ક્રિયેટિન, સીસું, આયર્ન ૪.૨૮ mg/ltr,
ઝીંક ૪.૬૬ mg/ltr,
લોહતત્ત્વ ,હાર્મોન ,
આરમ ઓક્સાઇડ, કેલ્શિયમ ૧૮૦mg/ltr, ફોસ્ફેટ ,
પ્રોપોલીન ઓક્સાઇડ,
ઈથીલીન ઓક્સાઇડ,

ગ્લોનોટોઝ, ગ્લાઇકો ડાયસ અને અનેક પ્રકારના પ્રજીવકો હાર્મોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ગ્લુકોઝ, એલકેલાઇડ, એસીટેટ, પોટેશિયમ બાય ટ્રાઈટેટ તેમજ એનેક પ્રકારનાં મિનરલ્સ; ખનિજ તત્ત્વો આ ઉપરાંત વિટામિન A એ, B1= 295 ug, વિટામિન B12= 6.64 ug, વિટામિન સી,ડી અને ઈ વત્તા ઓછા પ્રમાણમાં જણાયું છે. તેમજ દૂધ આપતી ગાયોના મૂત્રમાં લેકટોઝ વિશેષ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલ ફેલવોનોઈડ અને કેરોટીન હૃદયને મજબૂત કરી રક્ષણ આપે છે. તેમ જ પી ૩ નામનું તત્વ લોહીને જામી જતું અટકાવે છે. અને પ્રવાહી સ્વરૂપ જાળવી રાખે છે.

પ્રકૃતિનાં સર્વોત્તમ એન્ટિક્સિડેન્ટ અને ઈમ્યુનિટી બુસ્ટર ગૌઝરણથી નિર્મિત ગૌમંગલ સંજીવની રસ એક સુમધુર,સુગંધિત પીણું બનાવ્યું છે, જેમાં જંગલમાં ચરતી ગૌમાતા બાવન પ્રકારની વનસ્પતિનું સેવન કરીને તેનાં ગુણધર્મો નો સાર માનવ જગતને ધન્વંતરિ સ્વરૂપે આપે છે..

આ ઉપરાંત મેથોલ ગ્લાયોનેક્ષોલ, એરીપ્રોપોઇતિંન, પ્રોસ્ટોગ્લાયડીન, ઓર્ડિનાઈલોટ, જાતીય હરમોન્સ, યુરોનકાઈનેઝ જેવાં કેટલાંય પ્રકારના એન્ઝાઈમ્સ તેમ જ સ્ટીરોઇડ નો ઉત્તમ સ્ત્રોત છે.

એનાલિટિકલ લેબોરેટરી દ્વારા સિદ્ધ થયું છે કે એક લીટર સંજીવની રસમાં લગભગ ૮.૫૦મીલી ગ્રામ સોનું અને ૪.૫૭મીલી ગ્રામ ચાંદી પ્રદાન કરે છે, જે શરીરનાં નિર્માણ, મસ્તીષ્કનાં પોષણ અને સ્મરણશક્તિ વધારવામાં મદદ કરે છે.

સંજીવની રસ એક ઉત્તમ પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક હોવાથી વિટામિન બી ૧૨ વર્ધક છે. ૩૦ મિ.લી સંજીવની રસ આખા એક દિવસની વિટામિન બી ૧૨ની જરૂરિયાત સહજતાથી પૂરી કરે છે.

ગૌમંગલ સંજીવનીરસ શરીરમાં જમા થયેલ વિષાક્ત પદાર્થોને બહાર કાઢી પ્રતિરક્ષા પ્રણાલીને સશક્ત બનાવવામાં મદદ કરે છે. અને હાનિકારક કોલેસ્ટ્રોલ અને યુરિક એસિડને નિયંત્રિત કરે છે.

ગૌ.સ.રસમાં રહેલ શીલાજીત, હ્યુમિક એસિડ અને ફોલવિક એસિડનું ઉત્તમ સ્ત્રોત છે. જે વિષનાશક, એન્ટિઓક્સિડન્ટ અને સ્ફૂર્તિદાયક માટે જાણીતા છે.

૩૦ મીલી. ગૌ. સ. રસમાં લગભગ ૫૦૦ મીલીની એક કેપ્સુલ બરાબર શીલજીત આપે છે. શીલજીત હાડકા અને સાંધાઓને મજબૂત બનાવે છે. સાથે વીર્ય,બળ અને આયુવર્ધક રસાયણ છે.

અતિ આધુનિક મેડિકલ સાયન્સએ ન શોધેલાં એવાં અનેક પ્રકારના ખનીજ તત્વો ગૌમુત્રમાં રહેલાં છે; ગૌમૂત્રમાં રહેલાં અનેક પ્રકારના સમુદ્ર જેવાં રહસ્યો આધુનિક વિજ્ઞાને હજી શોધવાનાં બાકી છે..

ગૌમુત્રમાં રહેલા આ બધા જ તત્ત્વો તેમ જ પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં તેમ જ અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં હોવાથી શરીરમાં તદ્દન આસાનીથી પચી જાય છે. એટલે કે સુપાચ્ય છે. મનુષ્યનું શરીર પંચતત્વોનું બનેલું છે તે જ પ્રમાણે ગૌમાતાનું શરીર પણ પંચ તત્ત્વનું બનેલું છે.
મનુષ્યના શરીરમાં પણ પાંચઇન્દ્રિય છે . તે જ પ્રમાણે ગૌમાતાના શરીરમાં પણ એ જ પ્રકારની પંચેન્દ્રીઓ આવેલી છે. ગૌમાતાની શરીર રચના અને મનુષ્યની શરીર રચનામાં ઘણું બધું સામ્ય હોવાથી મનુષ્યનું શરીર ગૌમૂત્ર (પંચગવ્ય) ને સહેલાઈથી પચાવી શકે છે. ગૌમૂત્ર તદ્દન કુદરતી નેચરલ પદાર્થ છે તે માનવ જાતને ભગવાને આપેલું આરોગ્યનું અમૂલ્ય વરદાન છે.

ગૌમુત્ર પાન કરવાથી શરીરમાં ખૂટતા બધા જ તત્ત્વો એટલે કે માનવ જીવનને જરૂરી તમામ પ્રકારના વિટામિન અને ક્ષારો, જીવન પ્રજીવકો, ગૌમૂત્રમાંથી મળી જાય છે. જેથી મનુષ્ય રોગમુક્ત તો થાય જ છે. સાથે તેનાથી શરીરનું પણ રક્ષણ પોષણ અને વિકાસ પણ થાય છે. તે મનુષ્યના તન, મન, હૃદય અને આત્માને ચેતન્યથી ભરી દે છે. તેના જીવનમાં ઉત્સાહઉમંગ અને આનંદ નિર્માણ કરે છે.

ગૌમૂત્રમાં બહુ જ અલ્પ માત્રામાં આવેલ મેન્થોલ ગ્લાયોનેક્સલ નામનો પદાર્થ દરેક સ્ટેજના કૅન્સરના દર્દીઓને ખૂબ જ લાભ કરતા છે. ગૌ મૂત્ર પિવાથી તથા લાંબો સમય ચરી પાડવાથી કેન્સર મટવાની શક્યતાઓ વધી જાય છે.

અમારાં છેલ્લાં પ્રયોગમાં ગળાનું કૅન્સર થયેલા દર્દીને ફક્ત ગૌ. સ. રસ થી સતત ત્રણ મહિના ઉપચાર કરતા ચમત્કારીક પરિણામ મળ્યાં છે. વધુ વિગત માટે કૅન્સરનાં દર્દીઓ ૯૦૦૪૮૯૧૫૫૧ ઉપર પોતાનો રિપોર્ટ વ્હોટ્સએપ કરીને મફત માર્ગદર્શન લઈ શકે છે.
ગૌમુત્ર ખોરાકમાં રહેલા પદાર્થોને પચવામાં તથા તેમાંથી લોહી બનવાની ક્રિયામાં સક્રિય ફાળો આપી સહયોગ આપે છે. તેનાથી પાચન શક્તિ વધે છે. હોજરીની દીવાલો ઉપર જામેલા થરો, પડોને દૂર કરી ચોખ્ખી કરે છે. અને સ્નાયુઓને સક્રિય કરી પાચન ક્રિયાને સતેજ જ કરે છે. ઉપરાંત અનેક હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. પાચનતંત્રના રોગોને દૂર કરે છે.

ગૌમુત્ર શરીરમાં શ્ર્વેતકણોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. શ્ર્વેતકણો રોગોના જીવાણુઓ સામે લડવાનું કામ કરે છે. ગૌમૂત્ર શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. માટે ગમે તેવા રોગચાળા વખતે પણ શરીરનું રક્ષણ કરી રોગમુક્ત રાખે છે. ગૌમૂત્ર વેક્સિનેશનનું કામ કરે છે. જે છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન ભારત દેશ ની એક પણ ગૌશાળામાં એક પણ કોરોનાનાં કેસ થયાં નથી..

ગૌમુત્રમાં ઘણા એવા તત્ત્વો છે તેને હજી સુધી આધુનિક વિજ્ઞાન સાયન્સે શોધ્યા જ નથી. એવા અજ્ઞાત તત્ત્વો જેનું નામકરણ થયું નથી. પણ આ શક્તિશાળી ગૌમુત્રના તત્ત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શરીરને નિરામય રાખે છે. તેમાં કોઈ સંશય નથી.

ગૌમૂત્રમાં યુરિયા નામનો પદાર્થ શરીર માટે અત્યંત ઉપયોગી પદાર્થ છે. મૂત્રપિંડોની કાર્યક્ષમતા વધારે છે. તેના કારણે કિડનીને લાગતા રોગો દૂર થાય છે. કિડનીને ફેલ થવાનો જ ભય દૂર થાય છે. કિડની સક્રિયતા તેમજ કેપેસિટી વધે છે.

ગૌમુત્રમાં રહેલો એરિથ્રોપોઈટીન નામનો પદાર્થ હાડકા નાં મજ્જાતંતુઓને સક્રિય કરી નવાં લાલ રક્તકણોનું નિર્માણ કરે છે. તેના કારણે લાલ રક્તકણોની ઊણપને કારણે થતા રોગો ઉપર નિયંત્રણ આવે છે.

=ગૌમુત્રમાં રહેલો પ્રોસ્ટોગ્લાઇડીન નામનો પદાર્થ હર્મોન્સ સ્નાયુઓની સ્થિતિ સ્થાપકતા એટલે કે વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા માટે અત્યંત જરૂરી છે. ગર્ભાશયના સંકોચન અને વિસ્તરણ માટે તે ઉપયોગી છે. તેના કારણે પ્રસૂતિ નોર્મલ થાય છે. એના અભાવે સ્નાયુઓ સ્થિત એટલે કે જડ થઈ જાય છે. એના કારણે હાડકાના સાંધાઓના હલનચલનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. અથવા બેસવામાં-વજન ઊંચકવામાં-વ્યાયામ કરવામાં તકલીફ થાય છે. શરીરમાં જડત્વ નિર્માણ થાય છે.

ગૌમુત્રમાં આવેલ ઓર્ડિનાઈલોટ નામનો હાર્મોન્સ મગજની આજ્ઞા પ્રમાણે શરીરના અવયવોને અનુસરવાની પાલન કરવાની ક્ષમતા આપે છે. તેથી શરીરની એક્ટિવનેસ ચપળતા નિર્માણ થાય છે. શરીરમાં પૂરતી સ્ફૂર્તિ, તરવરાટ, થનગનાટ, ઉત્સાહ અને ઉમંગ નિર્માણ થાય છે.

ગૌમુત્ર જાતીય હારમોન્સને જાગૃત એટલે કે ઉત્તેજિત કરે છે. એક્ટિવ કરે છે તે માણસની નિર્બળતાઓ દૂર કરી ચેતના નિર્માણ કરે છે. તેના કારણે સંતાન પ્રાપ્તિના યોગ નિર્માણ થાય છે.

ગૌમુત્રમાં શરીર વૃદ્ધિ કરનારા વિકાસ એટલે કે ગ્રોથ હાર્મોન આવેલા જ હોય છે.તેના કારણે માણસોનો શારીરિક વિકાસ એટલે કે વૃદ્ધિ થાય છે. તેને લીધે માણસની ઊંચાઈ અને વજન વધે છે જે આજનાં આધુનિક ભેળસેળીયા જીવનશૈલીમાં પંચગવ્યનાં અભાવે ઘટે છે.(આપણા વડવાઓ સાથે આપણી સરખામણી કરી શકો)

ગૌમૂત્રમાં આવેલું યુરોંનકાઈનેઝર રક્તવાહિનીઓની અંદર પેદા થયેલ લોહીનાં ગઠ્ઠા જામવાની પ્રક્રિયામાં વિભાજન કરીને છૂટા પાડે છે. તેને ઓગાળીને પુન: લોહીના સ્વરૂપમાં રૂપાંતર કરે છે. માણસની ધમનીઓ નળીઓમાં લોહીના ગઠ્ઠાઓનો અવરોધ ઊભો કરે છે. પરિણામે રૂધિરાભિસરણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે. લોહી હૃદય સુધી પહોંચતું નથી આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હાર્ટ એટેક આવે છે.

ગૌમુત્રમાં લોહીને પાતળું પ્રવાહી સ્વરૂપમાં રાખવાનો જબરજસ્ત ગુણ છે. તે સારક છે; એટલે કે લોહીને જમવા દેતું નથી ગઠ્ઠાઓને ઓગાળે છે. લોહીના પ્રવાહી સ્વરૂપને સતત જાળવી રાખે છે. લોહીનું ભ્રમણ નિયમિત અને સરળ બનાવે છે. હૃદયરોગના હુમલાને ટાળે છે.

ગૌમુત્રમાં એન્ઝાઈમ્સ હોય છે. શરીર માટે આ અત્યંત ઉપયોગી પદાર્થ છે. તે શરીરમાં ચાલતી બધી ક્રિયાઓનું નિયમન કરે છે. કંટ્રોલ કરે છે. તેના ઉપર કાબૂ ધરાવે છે.
ગૌમુત્રનું સેવન કરનારાઓની પ્રાણશક્તિ મજબૂત થાય છે. તેના કારણે તેવી વ્યક્તિઓ વાતાવરણમાંથી ઓક્સિજનને આત્મસાત્ કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે.
કાચું ગૌમુત્રનું પાન કરનારાઓના લોહીની વિકાસ દૂર થાય છે, કારણ કે ગૌમુત્ર લોહીમાં લાલકણોનું ઉત્પાદન વધારે છે. તેનાથી શરીરની લાલાશ વધે છે મોં ઉપર તેજ એટલે કે ક્રાંતિ વધે છે ચમક આવે છે.

કાચું ગૌમુત્ર એન્ટિબાયોટિક પણ છે. હાલના સંજોગોમાં એલોપેથી ડોક્ટરો ઘણા રોગોમાં એન્ટિબાયોટિક ઇન્જેક્શનનો આપે છે. કાચું ગૌમૂત્ર લેનારાઓને તેની જરૂર પડતી નથી. કારણ કે કાચું ગૌમૂત્ર સ્વયમ એન્ટિબાયોટિક છે. તે રોગ સામે લડવાની અદભુત શક્તિ આપે છે.

કાચું ગૌમુત્ર શક્તિવર્ધક ટોનિક છે તે મનુષ્યના શરીરની નબળાઈઓ-અશક્તિ દૂર કરી શકતી સંચાર કરે છે. એલોપેથી ડૉક્ટરો નબળી વ્યક્તિઓને વિટામિનની ગોળીઓ કે ઇન્જેક્શનનો આપે છે. અકુદરતી રીતે તેના શરીરમાં દાખલ કરે છે. આવા વિટામિનો શરીર પચાવી શકતું નથી. કાચા ગૌમુત્રમાં કુદરતી વિટામિનો ક્ષારો અને દ્રવ્યો આવેલા છે, જે શરીરને ટોનિક જીવનશક્તિ પૂરી પાડે છે.

કાચું ગૌમુત્ર ઘણા અસાધ્ય રોગો જડમૂળમાંથી દૂર કરી તેને કાયમ માટે દૂર કરે છે. દા.ત. હૃદયરોગ, કૅન્સર, એઇડ્સ, અસ્થમા, ચામડીના રોગો, પેટના રોગો, શ્ર્વસન તંત્રના રોગો મટાડે છે, પણ કાચા ગૌમૂત્રના કયા તત્વોને કારણે કયા રોગો મટે છે, તે હજી સુધી ચોક્કસ રીતે શોધાયું નથી; હજી સંશોધનોને ઘણો અવકાશ છે. કાચાગૌમુત્રમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. જે આધુનિક વિજ્ઞાનને ઉજાગર કરવાના છે. કાચા ગૌમુત્રને હજી આધુનિક મેડિકલ સાયન્સના આધારનું સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્રની ખૂબ જ જરૂર છે. હજારો વ્યક્તિઓના અસાધ્ય રોગો મટ્યા છે. તે ખરેખર ચમત્કાર જ ગણાય, પણ તેનું વૈજ્ઞાનિક પથ્થકરણ કરીને ડોક્યુમેન્ટેશન કરવાની જરૂર છે. જેથી વધુને વધું લોકો ગૌ. સ. રસનું પાન કરશે. અને ત્યારે કાચા ગૌમૂત્રની માગ વધતા ગૌ પાલકોને ગૌમૂત્રનું સારું મૂલ્ય મળશે. અને આમ થતાં કોઈ ગૌપાલક પોતાની દૂધ ન આપતી ગૌમાતા અને નંદીને ઘરબહાર નહીં કાઢે. કસાઈ ને નહીં વેચે. અને આપણી ગૌમાતા ઉકરડામાં નહીં પેટ ભરે.
કાચા ગૌમુત્રનું સેવન કરવાથી ઘણા રોગીઓનું કૅન્સર મટ્યા ના ઘણા કેસો છે. ગૌમુત્રનું કયું તત્વ કૅન્સર મટાડે છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. હજી વૈજ્ઞાનિકોએ તે શોધવાનું બાકી છે. કેટલાક કેસોમાં એવું જોવા મળ્યું છે કે ગૌમુત્રમાં રહેલું મેથીલગ્લાયોક્ષલ નામનું તત્વ કૅન્સર મટાડવામાં મદદરૂપ છે.

કાચું ગૌમુત્ર જંતુગ્ન એટલે કે જંતુઓનો નાશ કરનારું છે તે રોગોના કીટાણુઓનો નાશ કરે છે. હોજરીમાં રહેલા જંતુઓનો નાશ કરે છે. ઉપરાંત હવા દ્વારા કે પાણી દ્વારા શરીરમાં દાખલ થયેલા વિવિધ હાનિકારક ખાદ્ય રસાયણો અને રોગોના જંતુઓનો નાશ કરી શરીરને જંતુમુક્ત કરી નિરોગી બનાવે છે.
વધું આવતા અઠવાડિયે…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત