મરણ નોંધ

હિન્દુ મરણ

મોરબી, હાલ મીરા રોડ, સંજયભાઈ વેદ (ઉં.વ. ૫૬), તે ગૌ.વા. લલિતાબેન હાકેમચંદ વેદના સુપુત્ર. તે સ્વ. હંસાબેન, અ. સૌ. ઉષાબેન દિનેશભાઈ ગાંધી, સ્વ. અશ્ર્વિનભાઈ, સ્વ. રમેેશભાઈના લઘુબંધુ. સ્વ. પ્રજ્ઞાબેનના દિયર. અંકિત અને રત્નાબેન દિપેશભાઈ પાલેજાના કાકા – ગુરુવાર, તા. ૨/૧૧/૨૩ના રોજ શ્રીજીનાચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

હાલાઈ ભાટીયા
સ્વ. પ્રતાપસિંહ (ઉં.વ. ૮૬) તે સ્વ. દમયંતી દામોદર કાપડિયાના પુત્ર. તે નીલાબેનના પતિ. તે. સ્વ. મધુરી મથુરાદાસ ગાજરીઆના જમાઈ. અ.સૌ. સંગીતા સુધીર કાપડિયા તથા હિમાંશુના પિતાશ્રી. તે અ.સૌ. ભક્તિના સસરા. તે સ્વ. રતનસિંહ, પૃથ્વીરાજ, સ્વ. હેમરાજ, ગોપાલ, સ્વ. જીતેન્દ્ર, અશોક, ગં.સ્વ. જ્યોત્સ્ના માનસિંહ કાપડિયા, સ્વ. હંસા જયંત વેદ, ગં.સ્વ. નલીની ધીરજ ભાટીઆ તથા અ.સૌ. નીતા જયંત મોરપરીઆના ભાઈ તે તા. ૧-૧૧-૨૩ને બુધવારના શ્રીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વણકર
ગામ પાચ તલાવડા, હાલ મુંબઈ, વિરારનાં સ્વ. મુકેશ બારીયા (ઉં.વ. ૪૮) મંગળવાર, તા. ૩૧-૧૦-૨૩ના અવસાન પામેલ છે. તેઓ જયંતિભાઈ કાલીદાસ બારીયાના પુત્ર. તેઓ પરેશ કાલીદાસ બારીયાનાં ભત્રીજા. તેઓ શૈલેશ રણજીતનાં ભાઈ. તેઓ પ્રતાપ જિતેન્દ્ર મકવાણાનાં જમાઈ. ગામ: ભડી ભંડારીયા તેઓ નયનાનાં પતિ. તેઓ વશરાજ પ્રાંચીનાં પિતા. તેઓનું બારમું (બેસણુ) શનિવાર, તા. ૪-૧૧-૨૩ના ૯.૦૦ વાગે. સ્થળ: સ્ટાર સેરેસ્ટોન-૪૦૨, ૪થે માળે, વાય.કે.નગર, એક્સપટ સ્કૂલની બાજુમાં, વિરાર (વેસ્ટ).

કપોળ
સાવરકુંડલાવાળા (સુદાનવાળા), હાલ મુલુંડ, ગં. સ્વ. હંસાબેન બટુકભાઈ કાળીદાસ મોદીના પુત્ર અનીષના ધર્મપત્ની દીપ્તિ (ઉં.વ. ૫૦), તે યશ અને ગ્રુશા જીમિત જાંગલાના માતુશ્રી. રજુવાળા સ્વ. ભારતીબેન જીતેન્દ્રભાઈ સંઘવી (ઘડીયાળી)ની સુપુત્રી, તા. ૧/૧૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા: તા. ૫/૧૧/૨૩, ૧૦ થી ૧૨. : વેલબાઈ સભાગૃહ, ચંદાવરકર રોડ, નપ્પૂ હોલની બાજુમાં, માટુંગા (સી.આર.).

ખંભાતી લાડ વણિક
ગં. સ્વ. નિર્મળા (ઉં.વ. ૯૨), વસઈ, સ્વ. હરીહંતલાલ ચણયારીના પત્ની. ડો. દિલીપ, ભરતના માતૃશ્રી. સ્વ. દેવીના, મનીષાના સાસુ. કુણાલ, દેવાંશ, મિતાલીના દાદી. જૂની, અનિલ, હેમાલીના દાદીસાસુ. સ્વ. વિનોદચંદ્ર, સ્વ. ચંદ્રકાંત, સ્વ. હેમેન્દ્ર, હંસાબેન, સ્વ. હસમુખબેન, સ્વ. બચીબેનના ભાભી. સ્વ. નગીનદાસ શાહના પુત્રી, ૧/૧૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. અંતિમયાત્રા ૩/૧૧/૨૩ સવારે ૧૦ એમના નિવાસસ્થાનેથી. લૌકિક પ્રથા બંધ છે.

લુહાર સુથાર
ગામ જામકાવાળા, હાલ બોરીવલી ગં. સ્વ. અંજવાળીબેન પરષોત્તમભાઈ મકવાણા (ઉં.વ. ૮૧) ૩૧/૧૦/૨૩ના અક્ષરનિવાસી થયેલ છે. તે અમુભાઈ, સ્વ. શાંતિલાલ, હસમુખભાઈ, જીતુભાઇ તથા લાભુબેન નાથાભાઈ, કંચનબેન સતિષભાઈના માતા. દામજીભાઇ વીરજીભાઈ, સ્વ. કાશીબેન, ગં. સ્વ. શારદાબેન પરમાર, લીલીબેન ડોડીયા, નંદુબેન ચુડાસમાના ભાભી. મંજુબેન, ગં. સ્વ. દક્ષાબેન, રેખાબેન, દિવ્યાબેનના સાસુ. નાગેશ્રીવાળા શામજીભાઈ નાનજીભાઈ, વનમાળીભાઈ, સ્વ. શાંતુબેન, સ્વ. સમજુબેન, ગં. સ્વ. નંદુબેન, કમળાબેનના બહેન. વિપુલ, દેવાંગ, અમિત, નિલેશ, વિજય, દીલિપ, ગૌરવ, મેહુલ, કૌશલ, મોનીકા, કોમળના દાદી. તેમની પ્રાર્થનાસભા ૩/૧૧/૨૩ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

કપોળ વૈષ્ણવ
ગં. સ્વ. પ્રતિભા મુનિ તે તા.૩૧/૧૦/૨૩, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રવીણ મુનિના પત્ની. અમિત અને વૃંદાના મમ્મી. શોભા અને ધર્મેશભાઈના સાસુ. પ્રથમ અને મયંકના દાદી. સ્વ. ઇચ્છાબેન બાલુભાઈ મુનિના વહુ. સ્વ. શંકરભાઈની પુત્રી. લૌકિક પ્રથા બંધ રાખી છે.

ઔદિચ્ય સહ બ્રાહ્મણ
ગામ કોડવાવ (ગુજરાત) હાલ કાંદિવલી પ્રતાપરાય પુરુષોત્તમદાસ પંડ્યાના ધર્મપત્ની નિર્મળાબેન પંડ્યા (ઉં.વ. ૯૦) શુક્રવાર, તા. ૨૭-૧૦-૨૩ના કૈલાસવાસી થયા છે. તેઓ સ્વ. રાધાબેન ગંગારામ પંડ્યાના સુપુત્રી. સુરેશભાઈ, રેખાબેન, રીનાબેન તથા હેમાન્શુભાઈના માતાજી. ઉષા સુરેશ પંડ્યા, સંજયકુમાર પાઠક, પ્રમોદકુમાર પંચાલ તથા દિપ્તી હેમાન્શુ પંડ્યાના સાસુજી. આદિત્ય, ભૂષણ, ઉર્વી તથા કેવીનના દાદીમા. રવી પાઠક તથા શીયા પંચાલના નાનીજી. લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન રતનશી ત્રિકમજી સોનાગેલાના સુપુત્ર સ્વ. સુરેશભાઈ (ઉં.વ. ૬૮) ગામ જખૌ હાલ થાણા તે રંજનબેનના પતિ. તે સ્વ. જગદીશભાઈ, સ્વ. લક્ષ્મીબેન, મંજુલાબેન, શોભનાબેન તથા તુલશાબેનના ભાઈ. તે અલ્પા રાહુલકુમાર શાહ, હસ્તિ અંકિતકુમાર કતીરાના પિતાશ્રી તથા હર્ષાબેન નિલેશકુમાર દાવડા, કલ્પેશ-દિયા, કૌશલના કાકા. સ્વ. સુંદરજી હંસરાજ રૂપારેલ ગામ બરંદાના જમાઈ. બુધવાર, તા. ૧-૧૧-૨૩ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩-૧૧-૨૩ના ૫થી ૭. સ્થળ: ગોપૂરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલ પાસે, ડૉ. આર.પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ).

કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ બાયઠ હાલ મીરા રોડ અ.સૌ. શશીકલાબેન નિર્મળ (ઉં.વ. ૬૭) સોમવાર, તા. ૩૦-૧૦-૨૩ના રામશરણ પામ્યા છે. તે મહેન્દ્ર રવજીના પત્ની. સ્વ. મણીબેન (ટબામાં) રવજી વિશ્રામના પુત્રવધૂ. સ્વ. રામાબાઈ જેરામ વિશ્રામ દુબલ (રામપર વેકરા)ના પુત્રી. મનસુખ રવજીના ભાભી. કિષ્ના, ઈલા, છાયા, હિના, વિજયના માતુશ્રી. કાજલ, અજીત, સ્વાનંદ, પ્રણવ, પ્રવીણના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩-૧૧-૨૩ના સાંજે ચારથી પાંચ વાગે પાંજી વાડી, પહેલે માળે, કાંજુરમાર્ગ (ઈસ્ટ). (દશાવ પ્રથા બંધ છે).

રાજગોર બ્રાહ્મણ
ભૂજ, રાજગોર કાંતિલાલ વિશનજી જોષી (કરાચીવાળા) (ઉં.વ. ૭૬) તે સ્વ. ચંપાબેન વિશનજીના પુત્ર. મંજુલાબેનના પતિ. મનોજ, દિપાલીબેનના પિતાશ્રી. પશ્ર્વિકા તથા જયંતીલાલ મહેતાના સસરા. સ્વ. ગંગાબેન ઉમિયાશંકર ત્રિકમજી માકાણી (નારાયણ સરોવર)ના જમાઈ. સ્વ. લાલજી, સ્વ. હિરાલાલ, સ્વ. ભોગીલાલ, સ્વ. મણીલાલ, સ્વ. શાંતીલાલ, જયંતીલાલ, સ્વ. દેવકાબેન પ્રભાશંકર શર્મા, સ્વ. જયાબેન ઉમિયાશંકર ભટ્ટ, સ્વ. નિર્મળાબેન મણીલાલના ભાઈ. તા. ૩૧-૧૦-૨૩ના રોજ રામશરણ પામેલ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ
લીમડા હનુભાના હાલ અંધેરી ઈસ્ટ, સ્વ. ફુલચંદ નાગરદાસ શાહ (ફિફાદરા)ની સુપુત્રી ચિ. કૈલાસબેન અમરચંદ નાગરદાસ, હસમુખભાઈ, લીલીબેન ભાયાણી, કંચનબેન, મંજુબેનની ભત્રીજી (ઉં.વ. ૯૦) હાલ રાજકોટ ૩૧-૧૦-૨૩ના મરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?