સૌરાષ્ટ્રના તાલાલામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, રહેવાસીઓ એલર્ટ…

તાલાલા: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આચંકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના 23 જૂનના રાત્રીના સમયે બની છે, ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ પણ મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા નથી. સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક સતર્કતા દાખવી અને લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.
રાત્રે 8 વાગ્યે તાલાલામાં ભૂકંપનો આંચકો નોંધાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. આ હળવો આંચકો હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતનું નુકસાન થયું નથી, પરંતુ રહેવાસીઓમાં થોડી ગભરાટ જોવા મળી.
ભૂકંપના આંચકા બાદ સ્થાનિક વહીવટી તંત્રે તરત જ પરિસ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું. અધિકારીઓએ લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી. આવા હળવા ભૂકંપ સામાન્ય રીતે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનુભવાતા હોય છે, પરંતુ સતર્કતા જરૂરી હોવાનું નિષ્ણાતો જણાવે છે. રહેવાસીઓને સુરક્ષિત સ્થળે જવા અને ઈમારતોની બહાર રહેવાની સૂચના આપવામાં આવી.
ગીર સોમનાથ જેવા વિસ્તારો ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાય છે, જોકે આવા નાની તીવ્રતાના આંચકા મોટું નુકસાન કરતા નથી. ભૂકંપ વિજ્ઞાનીઓનું કહેવું છે કે આવા આંચકા ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે થાય છે. સ્થાનિક પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે પરિસ્થિતિ પર નજર રાખી છે અને લોકોને કોઈપણ આફત સામે તૈયાર રહેવા જણાવ્યું છે.