નેશનલ

સિંધુ જળ સમજૂતી મુદ્દે પાકિસ્તાનની યુદ્ધની ધમકી: બિલાવલ ભુટ્ટોએ ફરી ઝેર ઓક્યું

નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદના જવાબમાં શરૂ કરેલા ઓપરેશ સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંન્ને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણી મહત્વની સિંધુ જળ સમજૂતી પર રોક લગાવવામાં આવી હતી.

આ સમજૂતીને લઈ પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીને સંબોધતા બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું, જ્યારે આ નિવેદનથી બંને દેશો વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.

આપણ વાંચો: સિંધુ જળ સમજૂતી મોકૂફથી પાકિસ્તાન ઘેરાયું! શાહબાઝ શરીફે કરી ડંફાસ, જાણો શું કહ્યું?

છ નદીનું પાણી આપીશું

બિલાવલે દાવો કર્યો કે ભારતે સિંધુ જળ સમજૂતી રદ્દ કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેણે કહ્યું કે આ સમજૂતી વર્લ્ડ બેન્કની મધ્યસ્થતાથી થઈ હતી અને ભારત તેને રદ્દ ન કરી શકે.

જો ભારતે આવું કર્યું તો પાકિસ્તાન યુદ્ધ કરશે અને ભારતની ત્રણ શું છ નદીનું પાણી છીનવી લઈશું. ઉલ્લેખનીય છે કે તેમણે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની હારને જીત તરીકે રજૂ કરી.

આપણ વાંચો: સિંધુ જળ સમજૂતી મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનની આજીજી, અમારા 24 કરોડ લોકોની જિંદગી પર ખતરો…

યુદ્ધની પોકળ ધમકી

બિલાવલે દાવો કર્યો છે કે પાકિસ્તાનની સેના અને વાયુસેના શક્તિશાળી છે, અને જો ભારતે સમજૂતીનું પાલન નહીં કર્યું અથવા નદીઓ પર બંધ કે નહેરો બાંધ્યા તો યુદ્ધ અનિવાર્ય છે. તેણે પોતાના નિવેદનમાં ઉમેર્યુ કે ભારતે પાકિસ્તાનને ટેરરિસ્ટ સ્ટેટ જાહેર કરવાની કોશિશ કરી, પરંતુ તે નિષ્ફળ રહ્યું છે.

ભારતની હારનો દાવો

તેણે આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો, જેમાં ભારત અને ઈઝરાયલની લોબીએ પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. બિલાવલે દાવો કર્યો કે IMF લોન રોકવાની ભારતની કોશિશ પણ નિષ્ફળ રહી. આ નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો તણાવ ઉભો કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button