જૂનાગઢટોપ ન્યૂઝ

આજે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ, કોના પર ઢોળાશે જીતનો કળશ?

વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે જંગ તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની કોંગ્રેસના રમેશ ચાવડા સાથે સીધી ટક્કર

કડી, વિસાવદરઃ આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીનું પરિણામ (Assembly By-Election Result) જાહેર થવાનું છે. કઈ પાર્ટીના ઉમેદવારની જીત થયા છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જવાનું છું. આ બે બેઠકો ગુજરાતના રાજકારણમાં એક નવો મળાંક આવી ગયો છે. કડી અને વિસાવદર બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે. કોના ફાળે બેઠક જાય તેવું ચોક્કસ કરી શકાય નહીં. કારણે કે, દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ જામેલો છે. મતદાન તો થઈ ગયું છે. આજે દરેકની નજર માત્ર પરિણામ પર ટકેલી છે.

કઈ પાર્ટીના ઉમેદવારને લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હશે?

મતદાનની વાત કરવામાં આવે તો, કડી વિધાનસભા બેઠક (Kadi Assembly Seat)માં 57.90 ટકા અને વિસાવદર વિધાનસભા બેઠકમાં 56.89 ટકા મતદાન થયું હતું. સૌથી વધારે મત કોને પડ્યા? કઈ પાર્ટીના ઉમેદવારને લોકોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યો હશે? આ દરેક અટકળો વચ્ચે અનેક સમીકરણો બની રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે, આ બેઠક પર અમારી જ જીત થવાની છે. તો સામે કોંગ્રેસને પણ જીતનો વિશ્વાસ છે. સૌથી મોટી વાત તો એ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જીતની આશા સેવીને બેઠા છે.

વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પણ મેદાને

વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા વચ્ચે મુખ્ય મુકાબલો છે. જ્યારે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પણ મેદાનમાં છે. કડી વિધાનસભા બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ છે. જ્યાકે કડી બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને મેદાને ઉતાર્યાં છે. કડી બેઠક એટલે ચર્યાનો વિષય બની છે કારણ કે, આ બેઠક પર ત્રણેય પાર્ટીના ઉમેદવાર ચાવડા છે. જેથી કોની જીત થશે તે સમીકરણ ગમે ત્યારે બદલાઈ શકે છે.

આ પણ વાંચો…કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાનઃ વિસાવદરમાં 16, કડીમાં 8 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button