આમચી મુંબઈ

શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ: “મહારાષ્ટ્રમાં વિકાસનો યોગ 21 જૂને જ શરૂ થયો હતો”

મુંબઈ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે ઉપર કટાક્ષ કરવાનો મોકો શોધી લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, તેમણે કહ્યું કે તેમણે આ દિવસે એક મોટો યોગ કર્યો હતો. તે મેરેથોન યોગ હતો અને તેના કારણે મહારાષ્ટ્રમાં ઘણા બધા ફેરફારો થયા. આ જ કારણ છે કે આજે મહારાષ્ટ્રમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ યોગે મહારાષ્ટ્રની દિશા બદલી નાખી છે. શિંદેના મતે, આ યોગે મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિરતા અને વિકાસ લાવ્યો છે.

એકનાથ શિંદેએ જૂન 2022 માં શિવસેનામાં બળવો શરૂ કર્યો હતો અને પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. શિંદેના દાવાને ભાજપ અને એનસીપીના અજિત પવારે ટેકો આપ્યો હતો. આ પછી, શિંદે મુખપ્રધાન બન્યા. જ્યારે, પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ મળ્યું. એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ યોગની શરૂઆત મુંબઈથી થઇ હતી. અમારી સરકાર લોકો માટે કામ કરી રહી છે.

આ પણ વાંચો: ‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ સાસરિયાઓ દ્વારા હેરાન થનારાઓની મદદ કરશે: એકનાથ શિંદે

દેવેન્દ્ર ફડણવીસ અને હું, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ દિશામાં કામ કરી રહ્યા છીએ. શિંદેએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

તેમણે યોગને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ શ્રેય આપ્યો હતો. વડા પ્રધાન મોદી પોતે દરરોજ યોગ કરે છે, તેથી તેઓ સ્વસ્થ અને ફિટ છે. તેને કારણે જ આપણા દેશ અને તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને પણ પાઠ ભણાવ્યો, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર પહેલાથી જ ‘કમોન કીલ મી’ કહેનારાઓ પહેલા જ મરી ચૂક્યા છે: એકનાથ શિંદે

2019માં સંયુક્ત શિવસેનાએ ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. પરંતુ ચૂંટણી પરિણામ પછી રાજકારણમાં જબરી ઉથલપાથલ મચી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કોરાણે મૂકીને કોંગ્રેસ અને સંયુક્ત એનસીપીની સાથે મળીને સરકાર બનાવી.

ઉદ્ધવ પોતે ત્યારે મુખ્ય પ્રધાન બની ગયા. પણ લગભગ બે વર્ષના સમયગાળામાં જ શિવસેના અને એનસીપી, બંને પક્ષોના મોટા ભાગના ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને ફરી એકવાર ચિત્ર બદલાયું હતું. ભાજપ- શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત જૂથ)ના ત્રેખડે સરકાર બનાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button