પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકને નડ્યો અકસ્માત, શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ

અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂને વિમાન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટનામાં વિમાનના કાટમાળને ત્યાંથી દૂર કરવા માટે અત્યારે પણ સતત કામ ચાલી રહ્યું છે. AI171 પ્લેન ક્રેશના કાટમાળને હટાવવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે પ્લેનના ટેલ ભાગને લઈ જતી એક ટ્રક શાહીબાગ ડફનાળા પાસે ACB કચેરી સામેના ઝાડમાં ફસાઈ ગઈ હોવાની સમાચાર મળ્યાં છે.

ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
વિમાનનો કાટમાળ લઈ જતો ટ્રક ફસાયો હોવાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ટ્રેકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, સત્વરે ટ્રેકને બહાર કાઢીને ત્યાંથી રવાના કરી દેવામાં આવી હતી. શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ રાખવાની પણ ફરજ પડી હતી. જો કે, ટ્રેને બહાર કાઢ્યા પછી ફરી વાહન વ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ફરી લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પ્રેમિકાને પ્રેમીએ પાંચમા માળેથી ફેંકી ને પછી ધસડી ગયો
પ્લેનના ટેઇલમાંથી મળી આવ્યો હતો એર હોસ્ટેસનો મૃતદેહ
અમદાવાદમાં એર ઈન્ડિયાની પ્લેન ક્રેશ દુર્ઘટના ખૂબ જ ભયાનક હતી. આમાં અનેક લોકોના મોત થયા હતા. એટલું જ નહીં પરંતુ પ્લેનનો કાટમાળ દૂર કરતી વખતે પણ અંદરથી એક એર હોસ્ટેસનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યા ફાયર વિભાગ અને NDRFના કર્મચારીઓએ દોરડાથી ખેંચી આ મૃતદેહ બહાર કાઢ્યો. એર હોસ્ટેસના મૃતદેહને પ્લેનના ટેઇલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકો સહિત 270 લોકોનાં મોત થયાં હતાં. વિમાન દુર્ઘટનામાં દરમિયાન મેડિકલ કોલેજના કેટલાક ડોકટરોએ પણ જીવ ગુમાવ્યો હતો.