અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 8 મૃતકોના ડીએનએ મેચ થયા નથી, પરિવાર પાસે બીજા સેમ્પલ મંગાવાયા…

અમદાવાદઃ અમદાવાદ વિમાન પ્લેન ક્રેશની ઘટનાને આજે 10થી પણ વધારે દિવસો થઈ ગયાં છે. અનેક લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતદેહની ઓળખ થઈ શકે તેમ નહોતી. જેથી પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યાં અને પછી મૃતદેહઓની ઓળખ થઈ ત્યારે તેને સન્માન સાથે પરિવારને સોંપવામા આવ્યાં હતાં. પરંતુ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તેવા 8 મૃતકોના પરિવારના ડીએનએ સેમ્પલ મેચ થયા નથી. જેથી બીજા સંબંધીના સેમ્પલ લેવા પડશે તેવું કહેવામા આવ્યું છે. જ્યા સુધી ડીએનએ મેચ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ પરિવારને સોપમાં આવશે નહીં તેવું અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું.

231 મૃતકોના ડીએનએ નમૂના તેમના સંબંધીઓ સાથે મેચ થયાં
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જોશીએ જણાવ્યું હતું, કે જો કોઈ ભાઈ-બહેને નમૂના આપ્યો હોય અને તે પીડિતના ડીએનએ સાથે મેળ ખાતો ન હોય, તો બીજા ભાઈ-બહેનનો નમૂના લેવામાં આવે છે. અમે સામાન્ય રીતે પીડિતના પિતા અથવા પુત્ર/પુત્રીનો નમૂના લઈએ છીએ. જો આમાંથી કોઈ ઉપલબ્ધ ન હોય, તો અમે પરિવારના કોઈપણ અન્ય સભ્યનો નમૂના લઈએ છીએ’. આ સાથે એવું પણ સ્પષ્ટ કર્યું હતું આ પ્રક્રિયામાં, ઘણા પીડિતોના ભાઈ-બહેનોના નમૂના પણ મેચ થયા છે. પરંતુ 8 મૃતકો એવા છે જેમના સેમ્પલ મેચ થયા નથી, તેથી બીજા સેમ્પલ માંગવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, 231 મૃતકોના ડીએનએ નમૂના તેમના સંબંધીઓ સાથે મેચ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી 210 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા
અમદાવાદમાં 12 જૂને લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયાના થોડી ક્ષણોમાં જ ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં બંને પાઇલટ, 10 ક્રૂ મેમ્બર્સ અને 229 મુસાફરોના મોત થયા છે. વિશ્વાસ કુમાર રમેશ નામનો એકમાત્ર મુસાફર બચી ગયો. તે લંડનનો રહેવાસી છે. તેની અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. અત્યારે અમદાવાદ સિવિલ ખાતે સતત ડૉક્ટરો મહેનત કરી રહ્યાં છે, સત્વરે મૃતદેહોને પરિવારને સોંપવામા આવે છે.

AI-171 ટેક ઓફ થયાના થોડી ક્ષણોમાં જ ક્રેશ થઈ ગઈ
8 પરિવારજનો એવા છે તેમના ડીએનએ હજી કોઈ મૃતદેહ સાથે મેચ થયા નથી. જેથી એ પરિવાર સહિત ડૉક્ટરો પણ ચિંતિત છે. પ્રશ્નો થઈ રહ્યાં છે કે, શું આ પરિવારના કોઈ સભ્યનો મૃતદેહ મળ્યો જ નહીં હોય? શું તે વ્યક્તિને મૃતદેહ આગમાં બળીને ખાખ થઈ ગયો હશે? અથવા તો શું આ 8 પરિવારનું પરિજન હજી મળ્યું જ નથી? આવા અનેક સવાલો થઈ રહ્યાં છે. કારણે કે, આ ઘટના એટલી ભયાનક હતી કે તેમાં અનેલ લોકો જીવતા ભડથું થયા હતાં. જો કે, અત્યારે તેમના બીજા કોઈ સંબંધીના સેમ્પલ મંગાવ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button