ફોકસ: સિંધુ દર્શન મહોત્સવ

- ધીરજ બસાક
`સિંધુ દર્શન મહોત્સવ’ આ નામ પરથી જ ખબર પડે કે, આ સિંધુ નદીનો એક ઉત્સવ છે. જે ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક બની ચુક્યું છે. સિંધુ દર્શન મહોત્સવ સાલ 1997માં શરૂ કરવામાં આવ્યો હતો અને હવે આ ઉત્સવ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામાં આવે છે. ફક્ત 29 વર્ષમાં આ ઉત્સવે ભારતના ખૂણે ખૂણે પોતાની સાંસ્કૃતિક છાપ છોડી છે. આ મહોત્સવમાં દેશના અલગ અલગ સંસ્કૃતિઓના વિશિષ્ટ મંડળ પોતાની ઉપસ્થિતિ દેખાડી ગૌરવનો આનંદ માણે છે. આ ઉત્સવ દરમિયાન સિંધુ નદીની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ દેશના અલગ અલગ જગ્યાએથી આવેલા કલાકાર પોતાના ક્ષેત્રના વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરે છે.
સિંધુ દર્શન મહોત્સવની શરૂઆત સિંધી સમુદાયના `સિંધુ દર્શન અભિયાન’થી શરૂ થઈ, જે હવે સિંધુ દર્શન મહોત્સવના નામે આયોજિત કરવામાં આવે છે. આવું આયોજન પહેલી વાર 1996માં થયું હતું અને 1997 પછી આ વ્યવસ્થિત રીતે થવા લાગ્યું. આ ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલે છે, જે સિંધુ નદીના કિનારા પર પનપી સભ્યતા અને સંસ્કૃતિના સંગમને દર્શાવે છે. ત્રણ દિવસના આ મહોત્સવમાં પહેલા દિવસે સિંધુ દર્શન ઉત્સવ એટલે કે, સિંધુ નદીના પૂજા પાઠ સાથે લદાખની પરંપરાઓ અને સંસ્કૃતિના સમ્માનના કાર્યક્રમમાં વિતે છે.
આ પર્વમાં ઘણા ધર્મોનો સંગમ થાય છે , મોટા ભાગે સનાતન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મના વિદ્વાન અંદર અંદર મળી સિંધુ નદીની પૂજા અર્ચના કરે છે અને તેને પોતાના વિકાસ માટે આપેલ યોગદાન માટે ધન્યવાદ કરે છે. આ મહોત્સવમાં ભારતની બધી જ મહા નદીઓમાંથી માટીના ઘડામાં પાણી લાવી અને તે પાણીને સિંધુ નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. આજ રીતે આખા ભારતની નદીઓનું પાણી ભેળવી તેને આખા ભારતની પવિત્ર નદી બનાવવામાં આવે છે. આ મહોત્સવ માટે લદાખમાં એક વિશેષ વિસ્તાર બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં 500 લોકોના બેસવા માટે એક સભાગૃહ છે, એક ઓપન થિયેટર છે, એક એક્ઝિબિશન ગેલેરી છે, એક સંગીત રૂમ અને એક નાની લાઈબ્રેરી છે જેમાં સિંધુ નદીની ગાથા ગાતું સાહિત્ય ઉપલબ્ધ છે. આ મહોત્સવમાં ભાગ લેનારા લદાખના હસ્તકળાની વિવિધ સામગ્રીની ખરીદી કરે.
સિંધુ નદીનું ભારતના ધર્મ અને સંસ્કૃતિમાં જે મહત્ત્વ છે તે તો છે જ. આની એક ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ પણ છે. આજે આપણને જ્ે હિંદુ તરીકેની જે ઓળખ મળી છે તે સિંધુ નદીની જ દેન છે. તે માટે જ લેહના લેહ શે મનલા’ ખાતે આયોજિત આ મહોત્સવ હિમાલયની ખૂબસૂરતી માટે ભારતની ઐતિહાસિકતા અને ભૌગોલિકતાનું ગૌરવ અને મહોત્સવ છે. આ વર્ષે આ મહોત્સવનું 29મું સંસ્કરણ છે, જેમાં મોટા સ્તર પર પર્યટકોની આવવાની સંભાવના છે. જ્યારે 1997માં ફિલ્મદિલ સે’નું શૂટીંગ થયું ત્યારે આ જગ્યા પહેલી વાર વિશ્વના ધાર્મિક અને સાંસ્કૃતિક પરિદૃશ્યમાં આ મહોત્સવ ઊભરીને સામે આવ્યો હતો. કુલ મળીને સિંધુ દર્શન મહોત્સવ પોતાની સાંસ્કૃતિક પવિત્રતા, સર્વ ધર્મ સમભાવ અને પર્યટન આધારિત ઉલ્લ્ાાસનું એક વિશિષ્ટ મંચ છે. આ વર્ષે બે આયોજન થશે. જૂનની શરૂઆતમાં 5 થી 8 જૂન 2025 સુધી થવાવાળી સિંધુ દર્શન યાત્રાનું આયોજન હવે પૂરું થઈ ગયું છે અને 23 થી 27 જૂન 2025 સુધી ગુરુ પૂર્ણિમા પર આધારિત વ્યાપક સાંસ્કૃતિક સમારોહ એટલે સિંધુ દર્શન મહોત્સવ ઉત્સુક્તાથી પોતાનો સમય પૂરો થવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો…ફોકસ: જોખમી સ્ટન્ટ્સ કરતો દેખાશે ગ્લોબલ સ્ટાર રામ ચરણ!