નેશનલ

રાજા રઘુવંશી જેમ છત્તીસગઢમાંથી પણ એક દંપતી રહસ્યમય રીતે લાપતા! હમણાં જ થયા હતા લગ્ન…

ખૈરાગઢ, છત્તીસગઢઃ રાજા રઘુવંશીના હત્યાનો કેસ અત્યારે ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજા તેની પત્ની સોનમ સાથે હનીમુન પર જાય છે અને પછી બે દિવસમાં જ લાપતા થઈ જાય છે. ત્યાર બાદ થોડા દિવસો બાદ રાજાની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવે છે. આ હત્યા તેની પત્ની સોનમે જ કરાવી હોય છે. રાજા બાદ હવે ફરી એક કપલ લાપતા થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. છત્તીસગઢમાં વધુ એક કપલ લાપતા થયું છે. બન્ને પતિ-પત્ની ઘરેથી નીકળે છે અને પછી ક્યા ગયા તેનો કોઈ પત્તો જ નથી. લાપતા થયાને આજે 6 દિવસ થયા છે પરંતુ હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જેથી તપાસ કરવામાં આવી રહી છે.

છેલ્લા 6 દિવસથી આ દંપતીનો કોઈ પત્તો જ નથી
પરિવારે બન્ને લાપતા થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે દરેક દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. આ મામલો છત્તીસગઢના ખૈરાગઢ જિલ્લામાં બન્યો છે. અહીં રહેતા નરેન્દ્ર વર્મા 14 જૂને તેમની પત્ની ટ્વિંકલ વર્મા સાથે ઘરેથી નીકળ્યાં હતા. નરેન્દ્ર તેમની પત્ની ટ્વિંકલને તેમના પિયરના ઘરે મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન, દંપતીનો ફોન અધવચ્ચે જ બંધ થઈ ગયો. આ દંપતી 6 દિવસથી ગુમ છે. બંને ટ્વિંકલના પિયરના ઘરે પણ પહોંચ્યા ન હતા. પિયરમાં ગયા નથી, ફોન લાગતો નથી તો પછી આ બન્ને ગયા ક્યા? પરિવાર અત્યારે ખૂબ જ ચિંતિત થઈ ગયો છે.

14 જૂને નરેન્દ્ર પત્ની ટ્વિંકલને તેના પિયર મુકવા માટે નીકળ્યો પણ…
રાજા રઘુવંશી સાથે જે થયું તેવું નરેન્દ્ર સાથે તો નહીં થયું હોય ને? તેવી પરિવારને ચિંતા સતાવી રહી છે. નરેન્દ્ર વર્માના લગ્ન થડા સમય પહેલા જ ડબરી ગામમાં રહેતી ટ્વિંકલ વર્મા સાથે થયા હતા. બે મહિલાના પહેલા અક્ષય તૃતીયાને શુભ દિને લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી બન્ને ખૂબ જ ખુશ હતા. ટ્વિંકલ લગ્ન પછી સાસરીમાં જ રહેતી હતી. જેથી 14 જૂને નરેન્દ્ર ટ્વિંકલને તેના પિયર મુકવા માટે જાયે છે. પરંતુ તેમને ઘરેથી નીકળ્યાને 6 દિવસ થઈ ગયાં છે, ના તો ઘરે પાછા આવ્યાં છે કે ના તો સામે ટ્વિંકલના પીયરમાં ગયાં છે.

પરિવારે 17મી જૂને ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી
નરેન્દ્ર વર્મા અને ટ્વિંકલ વર્માં ઘરે 14 જુને નીકળ્યાં હતાં પરંતુ ઘરે પાછા ના આવતા પરિવારે છેક 17મી જૂને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી તે બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. છુઈખાદન પોલીસ દંપતીના મોબાઇલનું લોકેશન શોધી રહી છે. ઉપરાંત, ઇન્દોર દંપતી રાજા અને સોનમ રઘુવંશી કેસ પ્રકાશમાં આવ્યા પછી, પોલીસ આ કેસની દરેક ખૂણાથી તપાસ કરી રહી છે. આ કેસમાં આગળ શું તપાસ થશે તેવી વિગતો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button