આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…

વડનગર: વિશ્વ અત્યારે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગર (Vadnagar)ના શર્મિષ્ઠા તળાવ (Sharmistha Lake) પરિસર ખાતે કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતાં.

‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટલે આ પ્રસંગે જણાવ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે’. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મેદસ્વીતાથી દુર રહેવા કરેલા આહ્વાન ને ઝીલી લઈને ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ વર્ષે 11મા યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાત નો સંકલ્પ કર્યો છે.

દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયાઃ મુખ્ય પ્રધાન
રાજ્ય ભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે. એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજ ની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે.’ આ સાથે તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ સાધકો, યોગ પ્રેમીઓ જોડાયા
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા બહેન, રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શીશ પાલજી તેમજ ધારા સભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો, યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

આપણ વાંચો : યોગ એ માત્ર કસરત નથી, જીવન જીવવાની એક રીત છે; વિશાખાપટ્ટનમમાં પીએમ મોદીનું સભાને સંબોધન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button