આલિયા-રણબીરના ‘ઉતાવળા લગ્ન’નું સિક્રેટ શું હતું, પ્રેગ્નન્સી નહીં, આ હતું અસલી કારણ!

મુંબઈઃ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલેથી સમાચારમાં રહે છે. ઘણી વખત એવું કહેવામાં આવ્યું હતું કે આલિયાએ ગર્ભાવસ્થાને કારણે રણબીર સાથે ઉતાવળમાં લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ કપલે એટલી ઉતાવળમાં લગ્ન કર્યા કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
લગ્નના થોડા મહિના પછી આલિયાએ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી, તેથી લોકોને લાગ્યું કે ગર્ભાવસ્થાને કારણે જ આ દંપતીએ ઉતાવળમાં લગ્ન કર્યા છે. આ એક કારણ હતું પણ તેની પાછળ બીજું એક મોટું કારણ હતું, જે ભાગ્યે જ લોકો જાણતા હશે.

રિપોર્ટ અનુસાર જ્યારે રણબીર અને આલિયા એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારે અભિનેતા ‘તુ ઝૂઠી મેં મક્કાર’નું શૂટિંગ કરી રહ્યો હતો. પછી સમાચાર આવ્યા કે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. આ ખબર મળતા અસુરક્ષિત આલિયા એકવાર ફિલ્મના સેટ પર પહોંચી ગઈ હતી.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આલિયાએ શ્રદ્ધા અને રણબીરને સેટ પર ખૂબ નજીકથી જોયા હતા અને તે ગુસ્સે થઈ ગઈ હતી. એવું પણ કહેવાય છે કે અભિનેત્રીએ શ્રદ્ધાને માર પણ માર્યો હતો, પરંતુ કોઈ આ વાતની પુષ્ટિ કરતું નથી.
ત્યાર બાદ આલિયાએ રણબીરને શ્રદ્ધાથી દૂર રહેવાની ધમકી આપી હતી. તમે જોયું હશે કે, ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશન દરમિયાન, બંને કલાકારોએ ફિલ્મનું પ્રમોશન પણ અલગ અલગ કર્યું હતું. ફિલ્મ એક પ્રેમકથા હોવા છતાં એક જ શહેરમાં હોવા છતાં શ્રદ્ધા ફિલ્મનું પ્રમોશન અલગ જગ્યાએ કરી રહી હતી અને રણબીર અલગ જગ્યાએ. પ્રમોશન દરમિયાન શ્રદ્ધા પણ ઘણી અજીબ દેખાઈ રહી હતી.
આપણ વાંચો : Raha Kapoor ના જન્મ બાદ Alia Bhatt ને સતાવી રહી છે આ સમસ્યા, જાહેરમાં કરી ફરિયાદ…