
ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે અને એ વખતે જનસભાની સંબોધી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું બે દિવસ માટે કેનેડા જી-7 સમિટમાં ગયો હતો, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે કેનેડા આવ્યા છો તો વોશિંગ્ટન થઈને જજો અને સાથે જમીશું અને વાત કરીશું.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ મને વોશિંગ્ટન આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ મેં રાષ્ટ્રપતિને કહ્યું હતું કે આમંત્રણ માટે ધન્યવાદ, પરંતુ મારે તો મહાપ્રભુની ધરતી (ઓડિશા) જવાનું છે, તેથી મેં નિમંત્રણને નમ્રતાપૂર્વક સ્વીકાર્યું નહોતું. તમારા લોકોનો પ્રેમ અને મહાપ્રભુની ભક્તિ મને આ ધરતી પર ખેંચીને લાવી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આઝાદીના દાયકાઓ સુધી દેશમાં લોકો કોંગ્રેસના મોડલને જોયું, પરંતુ આ મોડલમાં સુશાસન નહોતું અને જીવન પણ સરળ હતું નહીં. વિકાસની યોજનાઓને અટકાવા, લટકાવવા અને ભટકાવવાની હતી. ભ્રષ્ટાચાર જ કોંગ્રેસના મોડલની ઓળખ હતી. છેલ્લા દશકામાં દેશમાં અનેક રાજ્યોમાં જ્યાં પહેલું વાર એવું બન્યું હશે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકાર બની. આ રાજ્યોમાં સરકાર જ બદલાઈ નથી, પરંતુ સામાજિક અને આર્થિક પરિવર્તનનો નવો દોર શરુ થયો છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આસામમાં એક દાયકા સુધી પરિસ્થિતિ ખરાબ હતી. અસ્થિરતા, અલગાવ, હિંસા જ આસામમાં જોવા મળતી હતી, પરંતુ હવે આસામમાં વિકાસને માર્ગે છે. અનેક દાયકાઓથી ઉગ્રવાદી ગતિવિધિઓ ચાલતી હતી, જે બંધ થઈ છે. આજે આસામ અન્ય રાજ્યથી આગળ નીકળી ગયા છે.

એ જ રીતે ત્રિપુરાનો ઉલ્લેખ કરીશ. ડાબેરીઓના શાસન પછી લોકોએ ભાજપને પહેલી વાર તક આપી છે. ત્રિપુરાનો વિકાસ પણ મોટા પાયે થયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બેહાલ હતા, સરકારી સિસ્ટમમાં લોકોની વાત સાંભળવામાં આવતી નહોતી. હિંસા અને કરપ્શનથી લોકો પરેશાન હતા, પરંતુ જ્યારથી ભાજપની સરકાર આવી છે, ત્યારથી રાજ્યમાં શાંતિ અને વિકાસની મિસાલ બની છે.
અહીં એ જણાવવાનું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પછી યુદ્ધવિરામ માટે અમેરિકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એની વચ્ચે પણ ભારતે એ દાવાને ફગાવી નાખ્યા હતા, જ્યારે એના પછી એના અંગે અનેક સંશય હતા, જ્યારે વિપક્ષે પણ સરકારની ટીકા કરી હતી. બાકી ભૂતકાળના અનુભવો પરથી મોદી અમેરિકા નહીં જઈને દુનિયાને મેસેજ આપ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો : પંજા અને આરજેડીએ બિહારના ‘આત્મસન્માન’ને ઠેસ પહોંચાડીઃ PM મોદીએ બિહારમાં વિપક્ષોની કાઢી ઝાટકણી…