આપણું ગુજરાત

વિસાવદરમાં બે બુથનું મતદાન રદ્દઃ આવતીકાલે ફરી મતદાન યોજાશે

જૂનાગઢ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત ૧૯ જૂન, ગુરૂવારના રોજ યોજાયેલ મતદાન પૈકી બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું હતું. વિસાવદર વિધાનસભાનાં માલીડાનાં બુથ નંબર ૮૬ અને નવા વાઘણીયાનાં બુથ નંબર ૧૧૧ પર આવતીકાલે ફરી મતદાન થશે.

ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવેલા મતદાન મથકોમાં ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગના ૮૬-માલીડા અને ૧૧૧-નવા વાઘણિયા મતદાન મથકનો સમાવેશ થાય છે. આ બંને મતદાન મથકો ખાતે હવે આવતીકાલે સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન યોજવામાં આવશે.

56.89 ટકા મતદાન થયું હતું

ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારોમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. વિસાવદર બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 56.89 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ જિલ્લામાં ૨૨ જૂને ૫૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૫૩ બેઠકો અને ૧૫૨ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે

ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા આક્ષેપ

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને ચૂંટણી પંચને વિસાવદરમાં છેલ્લા એક કલાકથી પોલિંગ બૂથના સીસીટીવીનું લાઇવ ફૂટેજ બંધ કરી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. લાઇવ સ્ટ્રીમિંગ બંધ થયા બાદ વાઘણીયા બૂથ પર ભાજપના કાર્યકરોને નકલી વોટ નાખતા રોકવા બદલ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button