72 કલાક બાદ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. 73 કલાક બાદ એટલે કે 23મી જૂનના રોજ ગ્રહોના રાજા સૂર્ય શનિ સાથે યુતિ કરીને કેન્દ્ર યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેની કેટલીક રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળશે. આ સમયે આ રાશિના જાતકોના અટકી પડેલાં કામ પૂરા થશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 23મી જૂનના બપોરે 1.57 કલાકે સૂર્ય અને શનિ એકબીજાથી 90 ડિગ્રીના અંતરે હશે, જેને કારણે કેન્દ્ર યોગનું નિર્માણ થશે. શનિ અને સૂર્ય વચ્ચે પિતા અને પુત્રનો સંબંધ છે, પણ છતાં તેમની વચ્ચે શત્રુતાનો ભાવ જોવા મળે છે. પરંતુ આ યોગથી કેટલાક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે.

મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેવાનો છે. સમાજમાં માન-સન્માન વધશે. આ સમયે વિદેશ પ્રવાસ પર જવાની કે લાંબી મુસાફરી પર પ્રવાસ કરવાની ઈચ્છા પૂરી થશે. તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે, પરંતુ આવક વધશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વેપારમાં લાભનો યોગ બનશે.

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેષેય આ રાશિના જાતકોને શનિની ઢૈયાથી મુક્તિ મળશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કામમાં આવી રહેલી અડચણ પણ દૂર થઈ રહી છે. વેપારને કારણે કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું પડી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આકસ્મિક ધનલાભ થશે. લાંબા સમયથી અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. શેરબજારમાં કરેલા રોકાણથી પણ લાભ થશે.

મકર રાશિના જાતનો માટે આ કેન્દ્ર યોગ ફાયદાકારક રહેશે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. કરિયરમાં કોઈ મુશ્કેલી આવી રહી હશે તો તે પણ દૂર થશે. આ સમયે તમારી મહેનત રંગ લાવશે. જે પણ લક્ષ્ય નક્કી કરશો એમાં તમને સફળતા મળશે. બિઝનેસમાં પણ મનચાહ્યો લાભ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. સમાજમાં માન-સન્માન વધશે.