મનોરંજન

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2: સિઝન 1ના આ કલાકારો દુનિયા છોડી ચાલ્યા ગયા…

મુંબઈ: એક એવો સમય હતો, જ્યારે ભારતની ગૃહિણીઓ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી સીરિયલની રાહ જોતી હતી. 8 વર્ષ સુધી આ સીરિયલ ટીવી પર પ્રસારિત થઈ હતી. આ સીરિયલમાં તુલસીની ભૂમિકા ભજવીને સ્મૃતિ ઈરાનીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. હવે આ સીરિયલની બીજી સીઝન આવી રહીં છે. પરંતુ બીજી સીઝનમાં 7 કલાકારો એવા છે જે સ્મૃતિ ઈરાની સાથે કામ કરશે નહીં. કારણ કે તેઓનું નિધન થઈ ચૂક્યું છે. આ 7 કલાકારો કોણ છે? આવો તેમના વિશે જાણીએ.

sudha shivpuri kyunki saas bhi kabhi bahu thi

વડીલની ભૂમિકા ભજવતા પીઢ કલાકારોનું થયું અવસાન
‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલમાં વિરાણી પરિવારની વાત કરવામાં આવી હતી. આ પરિવારના સમજદાર દાદી તેનો આધાર હતા. સુધા શિવપુરી સીરિયલમાં ‘બા’ની ભૂમિકા ભજવતા હતા. ‘બા’ દરેક પરિસ્થિતિમાં પરિવારને એક તાંતણે પરોવી રાખતા હતા. સીરિયલ બંધ થયાના 7 વર્ષ બાદ એટલે કે 2015માં 77 વર્ષીય સુધા શિવપુરીનું અવસાન થયું હતું. તેથી બીજી સીઝનમાં પ્રેક્ષકોને તેમની ખોટ સાલશે. પીઠ અભિનેતા દિનેશ ઠાકુરે ‘બા’ના પતિ ગોવર્ધન વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. 20 સપ્ટેમ્બર 2012ના રોજ તેમનું પણ અવસાન થયું હતું.

vikas sethi kyunki saas bhi kabhi bahu thi

કોઈને હાર્ટ એટેક આવ્યો તો કોઈએ કરી આત્મહત્યા
વિકાસ સેઠીએ તુલસીના પૌત્ર અબીરની ભૂમિકા ભજવી હતી. તુલસીના પૌત્રની ભૂમિકામાં લોકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો. પરંતુ 8 સપ્ટેમ્બર 2024ના રોજ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને માત્ર 48 વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું. અબીર ગોસ્વામીએ સીરિયલમાં રણજીતની ભૂમિકા ભજવી હતી. 2013માં હાર્ટ એટેકના કારણે 38 વર્ષીય આ કલાકારનું અવસાન થયું હતું.

indra kumar kyunki saas bhi kabhi bahu thi

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલથી ઇન્દ્ર કુમારે ટીવીના પડદે પદાર્પણ કર્યું હતું. આ સીરિયલમાં તેણે મિહિર વીરાણીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાએ તેને ઘરે-ઘરે ઓળખાણ અપાવી હતી. 2017માં કાર્ડિએક અરેસ્ટના કારણે તેનું પણ અવસાન થયું હતું. અભિનેતા નરેન્દ્ર ઝાએ પણ આ સીરિયલમાં કામ કર્યું હતું. તેમણે અજય અગ્રવાલનું પાત્ર ભજવ્યું હતું. 14 માર્ચ 2018ના રોજ હાર્ટ એટેકના કારણે તેમનું પણ મૃત્યુ થયું હતું. તેઓ પોતાના દમદાર અવાજ અને પ્રભાવશાળી અભિનયના કારણે જાણીતા હતા.

sameer sharma kyunki saas bhi kabhi bahu thi

સમીર શર્મા પોતાના શાંત સ્વભાવ અને શ્રેષ્ઠ અભિનયના કારણે પોતાના સહકલાકારોમાં જાણીતો હતો. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલમાં તેમણે તુષાર મહેતાનું પાત્ર ભજવ્યું હતું. જોકે પાંચ વર્ષ પહેલા એટલે કે 202માં તેણે પોતાના મલાડ સ્થિત ફ્લેટમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

આપણ વાંચો : સ્મૃતિ ઈરાની અને મિહિરનું 25 વર્ષ પછી રી-યુનિયન: ‘તું બુઢ્ઢો ક્યારે થઈશ?!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button